શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાથી મોતના આંકડા વધવા મુદ્દે આરોગ્ય મંત્રીએ શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત

ગુજરાતમાં કોરોનાના કેસ મામલે આરોગ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. કોરોના મામલે કોઈ આગાહી સાચી સાબિત થઈ નથી. આપણા રાજ્યમાં કેસ ઘટી રહ્યા છે. આ ટ્રેન્ડ ઘટતો જઈ રહ્યો છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ મામલે આરોગ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. કોરોના મામલે કોઈ આગાહી સાચી સાબિત થઈ નથી. આપણા રાજ્યમાં કેસ ઘટી રહ્યા છે. આ ટ્રેન્ડ ઘટતો જઈ રહ્યો છે. મોતના આંકડા અંગે અમને અંદાજ હતો. કેસ એકટિવ થતા દર્દીઓ મોડા ભરતી થયા હોય તેવા સંજોગોમાં મોત વધતા હોવાનું અનુમાન છે. એવરેજ દસ દિવસમાં 27-28 નો મોતનો આંકડો નોંધાયો છે.

કોર્ટમાં રાજ્ય સરકારની ઝાટકણી કાઢવા મુદ્દે આરોગ્યમંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં કોરોના કેસ અને મોતની ગાઈડલાઈન હતી તે અંગે વાત કરાઈ છે. હાલ કોઈ વિરોધાભાસ નથી. સુપ્રીમ કોર્ટના તારણ અને અવલોકન માટે ગુજરાત સરકાર તૈયાર છે.

કોરોના મૃત્યુ સહાય મુદ્દે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં વિગતો રજૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને કોરોના સહાય મુદ્દે મહત્વનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને આદેશ કર્યો હતો કે ટેકનિકલ કારણોસર અરજીઓ નામંજૂર થવી જોઇએ નહીં. મહારાષ્ટ્ર સરકારનો પણ સુપ્રીમ કોર્ટે ઉધડો લીધો હતો. વેલ્ફેર સ્ટેટ તરીકે વળતર આપવાની સરકારની જવાબદારી છે. મૃતકોને સાંત્વના મળે એ રીતે સરકાર કામગીરી કરે છે. રાજ્ય સરકારોના ઢીલા વલણ સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વધી છે. ગુજરાત રાજ્યના આંકડા પર પણ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.  કોર્ટે કહ્યું કે  માત્ર સ્ટેટ્સટિક્સ નહિ પૂરતી વિગતો સરકાર રજૂ કરે.  મૃતકોના નામ, સરનામાં મૃત્યુ તારીખ સહિતની વિગતો રજૂ કરવા કોર્ટે  આદેશ આપ્યો છે.  આ તમામ વિગતો રાજ્ય સરકારો તેમના રાજ્યની લીગલ સર્વિસીસ ઓથોરિટીના મેમ્બર સેક્રેટરીને પૂરી પાડે છે.

ગુજરાતમા સરકારી ચોપડે નોંધાયેલ 10579 મૃત્યુ સામે કોરોના મૃત્યુ સહાય માટે 102230 અરજીઓ આવી છે. રાજ્ય સરકારે 87045 અરજીઓ મંજૂર કરી છે. કોરોનાના કારણે મૃત્યુ થયું હોય અથવા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોય અને એક મહિનામાં મૃત્યુ થયું હોય એવા દર્દીના મોતને કોરોના મૃત્યુ ગણીને સહાય ચૂકવવા સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો.

રાજ્ય સરકારના જ આંકડા પ્રમાણે 1 લાખથી વધુ પરિવારોએ પોતાના પરિજનના કોરોના મૃત્યુ અંગે નોંધાવ્યા દાવા. જેમાંથી 87,000થી વધુ મોત સુપ્રીમના નિર્દેશ પ્રમાણે સરકારે કોરોના મૃત્યુ ગણ્યા, અરજીઓ મંજુર કરી. આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: સિક્કિમમાં વાદળ ફાટવાથી 20 જેટલા ગુજરાતીઓ ફસાયા, 3 દિવસથી નથી થઈ શક્યો સંપર્ક
Ahmedabad: સિક્કિમમાં વાદળ ફાટવાથી 20 જેટલા ગુજરાતીઓ ફસાયા, 3 દિવસથી નથી થઈ શક્યો સંપર્ક
Lok Sabha Speaker: લોકસભામાં સ્પીકરને લઈને ઘમાસાણ, જાણો ઈન્ડિયા ગઠબંધનને શું માગ રાખી કે રાજકારણ ગરમાયું
Lok Sabha Speaker: લોકસભામાં સ્પીકરને લઈને ઘમાસાણ, જાણો ઈન્ડિયા ગઠબંધનને શું માગ રાખી કે રાજકારણ ગરમાયું
IND vs CAN: ટોસ વગર જ રદ્દ કરવામાં આવી ભારત-કેનેડા વચ્ચેની મેચ
IND vs CAN: ટોસ વગર જ રદ્દ કરવામાં આવી ભારત-કેનેડા વચ્ચેની મેચ
Odisha Cabinet Portfolio: ઓડિશામાં મંત્રિમંડળની જાહેરાત, જાણો સીએમ સહિત કોને ક્યું મળ્યું ખાતું?
Odisha Cabinet Portfolio: ઓડિશામાં મંત્રિમંડળની જાહેરાત, જાણો સીએમ સહિત કોને ક્યું મળ્યું ખાતું?
Advertisement
metaverse

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | પેટા કોન્ટ્રાક્ટનું કાળચક્રHu to Bolish | હું તો બોલીશ | કોંગ્રેસ જીવતી થઈ?Rajkot TRP Game Zone | Congress Protest | રાજકોટ આગકાંડને લઈને કોંગ્રેસનું જોરદાર વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone | Congress Protest | CP ઓફિસમાં એન્ટ્રી ન મળતા ઉકળી ઉઠ્યા લલિત કગથરા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: સિક્કિમમાં વાદળ ફાટવાથી 20 જેટલા ગુજરાતીઓ ફસાયા, 3 દિવસથી નથી થઈ શક્યો સંપર્ક
Ahmedabad: સિક્કિમમાં વાદળ ફાટવાથી 20 જેટલા ગુજરાતીઓ ફસાયા, 3 દિવસથી નથી થઈ શક્યો સંપર્ક
Lok Sabha Speaker: લોકસભામાં સ્પીકરને લઈને ઘમાસાણ, જાણો ઈન્ડિયા ગઠબંધનને શું માગ રાખી કે રાજકારણ ગરમાયું
Lok Sabha Speaker: લોકસભામાં સ્પીકરને લઈને ઘમાસાણ, જાણો ઈન્ડિયા ગઠબંધનને શું માગ રાખી કે રાજકારણ ગરમાયું
IND vs CAN: ટોસ વગર જ રદ્દ કરવામાં આવી ભારત-કેનેડા વચ્ચેની મેચ
IND vs CAN: ટોસ વગર જ રદ્દ કરવામાં આવી ભારત-કેનેડા વચ્ચેની મેચ
Odisha Cabinet Portfolio: ઓડિશામાં મંત્રિમંડળની જાહેરાત, જાણો સીએમ સહિત કોને ક્યું મળ્યું ખાતું?
Odisha Cabinet Portfolio: ઓડિશામાં મંત્રિમંડળની જાહેરાત, જાણો સીએમ સહિત કોને ક્યું મળ્યું ખાતું?
Gujarat Monsoon: રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી, અમદાવાદમાં પણ પડશે વરસાદ
Gujarat Monsoon: રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી, અમદાવાદમાં પણ પડશે વરસાદ
Surat Crime: સુરતમાં સામૂહિક આત્મહત્યાની ઘટના, ચાર વૃદ્ધો રાત્રિ ભોજન લીધા બાદ સવારે ઉઠ્યા જ નહીં, તપાસ શરૂ....
Surat Crime: સુરતમાં સામૂહિક આત્મહત્યાની ઘટના, ચાર વૃદ્ધો રાત્રિ ભોજન લીધા બાદ સવારે ઉઠ્યા જ નહીં, તપાસ શરૂ....
Surat Crime News: ભેસ્તાનમાં ભાણેજને ધમકાવી મામાએ આચર્યુ દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો
Surat Crime News: ભેસ્તાનમાં ભાણેજને ધમકાવી મામાએ આચર્યુ દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો
વિપક્ષના નેતા બનવા માટે 10 ટકા સાંસદ કેમ જરૂરી છે, લોકસભામાં કેટલા પાવરફૂલ હોય છે  નેતા વિપક્ષ?
વિપક્ષના નેતા બનવા માટે 10 ટકા સાંસદ કેમ જરૂરી છે, લોકસભામાં કેટલા પાવરફૂલ હોય છે નેતા વિપક્ષ?
Embed widget