શોધખોળ કરો

પહેલા ભથ્થું વધાર્યું, હવે નોકરીની મુદત! હોમગાર્ડ જવાનો પર સરકાર મહેરબાન, જાણો વિગત

Gujarat Home Guard retirement age: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હોમગાર્ડ જવાનોના હિતમાં એક મોટો નિર્ણય જાહેર કર્યો છે.

Gujarat Home Guard retirement age: રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં પોલીસ સાથે ખભેખભા મિલાવીને કામ કરતા હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકારે અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદા જે અત્યાર સુધી 55 વર્ષ હતી, તેમાં 3 વર્ષનો વધારો કરીને 58 વર્ષ કરી છે. આ નિર્ણયના કારણે રાજ્યના હજારો જવાનોને સીધો લાભ મળશે અને તેઓ વધુ સમય સુધી રાષ્ટ્રસેવા કરી શકશે.

મુંબઈ હોમગાર્ડ્ઝ રૂલ્સ, 1953માં કરાયો સુધારો

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હોમગાર્ડ જવાનોના હિતમાં એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. સરકારે 'મુંબઈ હોમગાર્ડ્ઝ રૂલ્સ, 1953' ના નિયમ-9 માં જરૂરી સુધારા કર્યા છે. આ કાયદાકીય સુધારાને પરિણામે હવેથી હોમગાર્ડ સભ્યોની નિવૃત્તિ વય 55 વર્ષથી વધીને 58 વર્ષ થઈ ગઈ છે. એટલે કે, જવાનો હવે પહેલા કરતા 3 વર્ષ વધુ સમય સુધી પોતાની ફરજ પર કાર્યરત રહી શકશે.

પોલીસના 'મદદગાર મિત્ર' તરીકેની કામગીરી

આ અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હોમગાર્ડ દળ રાજ્ય પોલીસના એક મજબૂત પૂરક બળ તરીકે સેવા આપે છે. ચૂંટણી હોય, વી.આઈ.પી. બંદોબસ્ત હોય, રાત્રિ પેટ્રોલિંગ હોય કે પછી ટ્રાફિક નિયમન; હોમગાર્ડના જવાનો હંમેશા ખંતથી પોતાની ફરજ બજાવે છે. મેળા અને ધાર્મિક પ્રસંગોએ પણ તેમની કામગીરી સરાહનીય રહી છે. સરકારના આ નિર્ણયથી જવાનોમાં રાષ્ટ્રસેવાનો જુસ્સો વધશે અને તેઓ વધુ ઉત્સાહથી ફરજ બજાવશે.

કૌટુંબિક જવાબદારીઓમાં મળશે રાહત

હોમગાર્ડના જવાનો માનદ સેવા આપે છે અને તેમના શિરે પણ પરિવારની મોટી જવાબદારીઓ હોય છે. નિવૃત્તિ વયમર્યાદામાં કરાયેલો આ વધારો તેમને આર્થિક અને સામાજિક રીતે મદદરૂપ થશે. 3 વર્ષનો વધારાનો સેવાકાળ તેમને પોતાની કૌટુંબિક ફરજો પૂરી કરવામાં ટેકો આપશે. વળી, હોમગાર્ડ જવાનો સ્થાનિક સ્તરે લોકો સાથે સીધા જોડાયેલા હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને મળતી મદદ વધુ અસરકારક બનશે.

ઇતિહાસ અને ભથ્થામાં થયેલો વધારો

અત્રે ઉલ્લેખનીય છે કે, બૃહદ મુંબઈ રાજ્યમાં 6 ડિસેમ્બર, 1947ના રોજ આંતરિક સુરક્ષા અને કુદરતી આફતોમાં પોલીસને મદદ કરવાના હેતુથી હોમગાર્ડ દળની સ્થાપના કરવામાં આવી હતી. સરકાર હોમગાર્ડ જવાનોના કલ્યાણ માટે સમયાંતરે નિર્ણયો લેતી રહે છે. આ પહેલાં વર્ષ 2022માં જવાનોના માનદ વેતનમાં 50% નો વધારો કરવામાં આવ્યો હતો. 31 નવેમ્બર, 2022ના રોજ દૈનિક ભથ્થું 300 રૂપિયાથી વધારીને 450 રૂપિયા કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Advertisement

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
Embed widget