શોધખોળ કરો

પહેલા ભથ્થું વધાર્યું, હવે નોકરીની મુદત! હોમગાર્ડ જવાનો પર સરકાર મહેરબાન, જાણો વિગત

Gujarat Home Guard retirement age: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હોમગાર્ડ જવાનોના હિતમાં એક મોટો નિર્ણય જાહેર કર્યો છે.

Gujarat Home Guard retirement age: રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં પોલીસ સાથે ખભેખભા મિલાવીને કામ કરતા હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકારે અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદા જે અત્યાર સુધી 55 વર્ષ હતી, તેમાં 3 વર્ષનો વધારો કરીને 58 વર્ષ કરી છે. આ નિર્ણયના કારણે રાજ્યના હજારો જવાનોને સીધો લાભ મળશે અને તેઓ વધુ સમય સુધી રાષ્ટ્રસેવા કરી શકશે.

મુંબઈ હોમગાર્ડ્ઝ રૂલ્સ, 1953માં કરાયો સુધારો

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હોમગાર્ડ જવાનોના હિતમાં એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. સરકારે 'મુંબઈ હોમગાર્ડ્ઝ રૂલ્સ, 1953' ના નિયમ-9 માં જરૂરી સુધારા કર્યા છે. આ કાયદાકીય સુધારાને પરિણામે હવેથી હોમગાર્ડ સભ્યોની નિવૃત્તિ વય 55 વર્ષથી વધીને 58 વર્ષ થઈ ગઈ છે. એટલે કે, જવાનો હવે પહેલા કરતા 3 વર્ષ વધુ સમય સુધી પોતાની ફરજ પર કાર્યરત રહી શકશે.

પોલીસના 'મદદગાર મિત્ર' તરીકેની કામગીરી

આ અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હોમગાર્ડ દળ રાજ્ય પોલીસના એક મજબૂત પૂરક બળ તરીકે સેવા આપે છે. ચૂંટણી હોય, વી.આઈ.પી. બંદોબસ્ત હોય, રાત્રિ પેટ્રોલિંગ હોય કે પછી ટ્રાફિક નિયમન; હોમગાર્ડના જવાનો હંમેશા ખંતથી પોતાની ફરજ બજાવે છે. મેળા અને ધાર્મિક પ્રસંગોએ પણ તેમની કામગીરી સરાહનીય રહી છે. સરકારના આ નિર્ણયથી જવાનોમાં રાષ્ટ્રસેવાનો જુસ્સો વધશે અને તેઓ વધુ ઉત્સાહથી ફરજ બજાવશે.

કૌટુંબિક જવાબદારીઓમાં મળશે રાહત

હોમગાર્ડના જવાનો માનદ સેવા આપે છે અને તેમના શિરે પણ પરિવારની મોટી જવાબદારીઓ હોય છે. નિવૃત્તિ વયમર્યાદામાં કરાયેલો આ વધારો તેમને આર્થિક અને સામાજિક રીતે મદદરૂપ થશે. 3 વર્ષનો વધારાનો સેવાકાળ તેમને પોતાની કૌટુંબિક ફરજો પૂરી કરવામાં ટેકો આપશે. વળી, હોમગાર્ડ જવાનો સ્થાનિક સ્તરે લોકો સાથે સીધા જોડાયેલા હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને મળતી મદદ વધુ અસરકારક બનશે.

ઇતિહાસ અને ભથ્થામાં થયેલો વધારો

અત્રે ઉલ્લેખનીય છે કે, બૃહદ મુંબઈ રાજ્યમાં 6 ડિસેમ્બર, 1947ના રોજ આંતરિક સુરક્ષા અને કુદરતી આફતોમાં પોલીસને મદદ કરવાના હેતુથી હોમગાર્ડ દળની સ્થાપના કરવામાં આવી હતી. સરકાર હોમગાર્ડ જવાનોના કલ્યાણ માટે સમયાંતરે નિર્ણયો લેતી રહે છે. આ પહેલાં વર્ષ 2022માં જવાનોના માનદ વેતનમાં 50% નો વધારો કરવામાં આવ્યો હતો. 31 નવેમ્બર, 2022ના રોજ દૈનિક ભથ્થું 300 રૂપિયાથી વધારીને 450 રૂપિયા કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Advertisement

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Embed widget