શોધખોળ કરો

Gujarat Corona : કયું પ્રસિદ્ધ મંદિર વધુ 7 દિવસ માટે ભક્તો માટે કરાયું બંધ? જાણો વિગત

ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર દ્વારા પણ બંધને લંબાવવાનો નિર્ણય લેવાયો છે.  આગામી ૨૭-૦૫-૨૦૨૧ સુધી દ્વારકાધીશ મંદિર ભક્તો માટે બંધ રહેશે. મંદિરની અંદર પૂજારી પરિવાર દ્વારા પારંપારિક સેવા અને નિત્યક્રમ રાબેતા મુજબ રહેશે. ભક્તો dwarkadhish.org પર ઓનલાઇન દર્શન કરી શકશે.

દ્વારકાઃ ગઈ કાલે રૂપાણી સરકારે મહાનગરો સહિત 36 શહેરોમાં લગાવેલા આંશિક લોકડાઉનમાં થોડી છૂટછાટ આપી છે. તેમજ અમુક ધંધાર્થીઓને સવારે 9થી 3 વાગ્યા સુધી ધંધો-રોજગાર કરવાની છૂટ આપવામાં આવી છે. કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ધંધા-રોજગાર શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. કોરોના મહામારીને પગલે રાજ્યના અનેક મંદિરો પણ ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યા છે. 

ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર દ્વારા પણ બંધને લંબાવવાનો નિર્ણય લેવાયો છે.  આગામી ૨૭-૦૫-૨૦૨૧ સુધી દ્વારકાધીશ મંદિર ભક્તો માટે બંધ રહેશે. મંદિરની અંદર પૂજારી પરિવાર દ્વારા પારંપારિક સેવા અને નિત્યક્રમ રાબેતા મુજબ રહેશે. ભક્તો dwarkadhish.org પર ઓનલાઇન દર્શન કરી શકશે.

કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે રાજ્ય સરકારે આજથી મોટા ભાગના વેપાર, ધંધા અને દુકાનોને સવારે નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ કરવાની છુટ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે આપેલી આ છુટથી નાના, મધ્યમ અને છુટક વેપારીઓના ધંધા ફરીથી શરૂ થશે. સાથે જ ગ્રાહકોને પણ જોઈતી વસ્તીની ખરીદી કરવાની તક મળશે.

 

હાલ રાજ્ય સરકારે સવારે નવથી બપોરના ત્રણ વાગ્યા સુધી તમામ 36 શહેરોમાં છુટ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યના કોરોના કર્ફ્યુ હેઠળના તમામ 36 શહેરોમાં 27 મે સુધી નાઈટ કર્ફ્યુ તો યથાવત જ રહેશે. પરંતુ સવારના નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ રહેશે.

 

આંશિક અનલોક વચ્ચે વેપારીઓ, દુકાનદારો, ગ્રાહકો અને નાગરિકોએ છુટછાટનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો રહેશે. કોઈપણ જગ્યાએ મોટી ભીડ ન થાય તેની કાળજી રાખવાની રહેશે. માસ્ક પહેર્યા વગર ફરનારા નાગરિકોને અને વેપાર ધંધા કરનારા વેપારીઓને આકરો દંડ કરવામા આવશે.

 

શું ખુલ્લું રહેશે ?

  • પાનના ગલ્લા
  • ચાની કિટલી
  • હેર સલૂ
  • હાર્ડવેરની દુકાનો
  • ઇલેક્ટ્રિકલ્સની દુકાનો
  • રેડીમેડ કપડાની દુકાનો
  • વાસણની દુકાનો
  • મોબાઈલની દુકાનો
  • હોલસેલ માર્કેટ
  • ગેરેજ-પંચરની દુકાનો

શું બંધ રહેશે ?

  • શૈક્ષણિક સંસ્થા
  • ટ્યુશન ક્લાસિસ
  • થિયેટરો
  • ઓડીટોરીયમ
  • એસેમ્બલી હોલ
  • વોટર પાર્ક
  • જાહેર બાગ-બગીચા
  • મનોરંજક સ્થળો
  • જીમ
  • સ્વિમિંગ પુલ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા વાવઝોડાની પરિસ્થિતિને પગલે તંત્ર કામમાં હોવાથી રાત્રિ કર્ફ્યૂ અને વધારાના નિયંત્રણો 18,19,20 મેના રોજ ત્રણ દિવસ સુધી મિનિ લોકડાઉન યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

 

રાજ્યના 36 શહેરોમાં જીવન જરૂરીયાતની દુકાનો સિવાય અનેક ધંધા-રોજગાર બંધ છે. તો રાત્રે 8થી સવારે 6 કલાક સુધી રાત્રી કર્ફ્યૂ પણ લાગૂ છે. હવે રાજ્યમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. તેને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વેપારીઓને મોટી છૂટ આપી છે. રાજ્યમાં મિનિ લોકડાઉનમાં થોડી રાહતો આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આજથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. લારી ગલ્લા સહિતની દુકાનો સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. તમામ દુકાનો 6 કલાક જ ખુલ્લી રાખી શકાશે.

ટોપ સ્ટોરી

બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
ગુજરાતમાં મેઘમહેર: 12 કલાકમાં 250 તાલુકામાં વરસાદ, 5 તાલુકામાં 4 ઇંચથી વધુ ખાબક્યો, જુઓ રિપોર્ટ
ગુજરાતમાં મેઘમહેર: 12 કલાકમાં 250 તાલુકામાં વરસાદ, 5 તાલુકામાં 4 ઇંચથી વધુ ખાબક્યો, જુઓ રિપોર્ટ
Kutch Rain: કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ,  ભૂજ-અંજાર અને માંડવીમાં જળબંબાકાર
Kutch Rain: કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ,  ભૂજ-અંજાર અને માંડવીમાં જળબંબાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાપ્પા આવ્યા વરસાદ લાવ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરો જળમગ્ન કેમ ?
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI Payment Charges: UPI યુઝર્સને મોટી રાહત! 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારની સ્પષ્ટતા
UPI Payment Charges: UPI યુઝર્સને મોટી રાહત! 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારની સ્પષ્ટતા
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, PM મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, PM મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
8th Pay Commission: જો આયોગ માની લેશે આ માંગ તો રોકેટ ગતિથી વધશે કર્મચારીઓનો પગાર, જાણો શું છે માંગ?
8th Pay Commission: જો આયોગ માની લેશે આ માંગ તો રોકેટ ગતિથી વધશે કર્મચારીઓનો પગાર, જાણો શું છે માંગ?
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
Embed widget