શોધખોળ કરો
Advertisement
કોરોનાનું સંક્રમણ વધતા ઉત્તર ગુજરાતના વધુ એક ગામમાં જાહેર કરાયું લોકડાઉન
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે, ત્યારે હવે રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.
હિંમતનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે, ત્યારે હવે રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે ખોડિયારધામ વરાણા પછી હિંમતનગરના હાથરોલ ગામમાં પણ લોકડાઉન જાહેર કરાયું છે. હાથરોલ ગામમાં એક સપ્તાહ માટે લોકડાઉન જાહેર કરાયું છે.
હાથરોલ ગામમા ૧૬ કોરોના પોઝિટીવ કેસ નોધાતા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાથરોલ ગામમા અવરજવર અને દુકાનો બંધ કરી દેવાઈ છે. ગ્રામ પંચાયત દ્રારા કોરોનાને લઈ સાવચેતી દાખવવા નિર્ણય લેવાયો છે. ગ્રામ પંચાયત દ્રારા લોકોને ઘરે જ રહેવા અપીલ કરવામાં આવી છે. જિલ્લામાં પોશીના, ખેડબ્રહમા, વડાલી, પુંસરી અને તખતગઢ બાદ હવે હાથરોલ પણ લોકડાઉન જાહેર કરાયું છે.
ખોડિયારધામ વરાણામાં ગઈ કાલે એક સાથે કોરોનાના 8 કેસ આવતાં મંદિર અને બજારો બંધ કરાવી દેવામાં આવી છે. આજથી 9મી ઓક્ટબર સુધી બજારો બંધ રાખવા ગ્રામ પંચાયતે નોટિસ જારી કરી છે. વરાણા ગ્રામ પંચાયતે દુકાનદારોને નોટિસો આપી દુકાનો બંધ કરાવી છે. જોકે, સવારે 2 કલાક અને સાંજે 2 કલાક દુકાનો ખુલ્લી રાખવા છૂટ આપી છે. શ્રી ફળ ચૂંદળીની દુકાનો, પાન મસાલાના ગલ્લા, ઠંડા પીણાંની દુકાનો , શાકભાજી સહિત કરીયાણાની દુકાનો આજથી દિવસ દરમ્યાન બંધ રાખવા કડક સૂચના આપવામાં આવી છે.
હુકમનું પાલન નહીં કરનાર દુકાનદાર વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિતમાં સૂચના આપવામાં આવી છે. કેસો વધતાં વેપારીઓએ ગ્રામપંચાયતના નિર્ણયને આવકારી દુકાનો બંધ રાખવા સહમત થયા છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
શિક્ષણ
Advertisement