શોધખોળ કરો

Gir somnath: વેરાવળમાં ફરી મેઘરાજાએ કરી જમાવટ, અનેક વિસ્તારો થયા જળમગ્ન

ગીર સોમનાથ જિલ્લામાં અડધા દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થતા લોકોના જીવ પડીકે બંધાયા છે.

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં અડધા દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થતા લોકોના જીવ પડીકે બંધાયા છે.  વેરાવળ શહેર અને તાલુકામાં આજે વહેલી સવારથી ફરી વરસાદી માહોલ જામ્યો હતો.  વેરાવળ શહેરમાં બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.  સૂત્રાપાડામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. બે કલાકમાં અહીં બે ઈંચ વરસાદ વરસી ગયો છે. 

મુશળધાર વરસાદના કારણે ખેડૂતો ચિતિંત

વેરાવળ શહેર અને તાલુકાના નાવદ્રા, ઈન્દ્રોય, સોનારીયા સહિતના ગામમાં મુશળધાર વરસાદના કારણે ખેડૂતો ચિતિંત બન્યા છે. આ તરફ સોમનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો છે.  થોડા દિવસોમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે.  ત્યારે શ્રાવણી પર્વ પહેલા જ સોમનાથ મહાદેવ પર જળાભિષેક કરી રહ્યા છે.  

લીલાશાહનગર સોસાયટીમાં પણ ગોઠણડૂબ પાણી

આ તરફ ફરી મુશળધાર વરસાદના કારણે વેરાવળના ભાલકા વિસ્તારમાં આવેલું જગવિખ્યાત કૃષ્ણ ભગવાનનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.  મંદિર આસપાસની અનેક સોસાયટીમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. જ્યારે સોમનાથ ટોકીઝ, હુશેન રોડ બેટમાં ફેરવાઈ ગયો હતો. અહીં રોડ-રસ્તા, દુકાનો બધુ જ  જળમગ્ન છે.  વેરાવળના લીલાશાહનગર સોસાયટીમાં પણ ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતાં.  આ સોસાયટીમાં અંદાજિત 100થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘરમાં પાણી ભરાતા લોકોની ઘરવખરીને નુકસાન થયું છે.  અહીંના સ્થાનિકોનો આરોપ છે કે પાણીના નિકાલના અભાવે દર વર્ષે ચોમાસામાં આજ સ્થિતિ સર્જાઈ છે.

સિઝનનો અત્યાર સુધીમાં 38.28 ટકા વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા સિઝનના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 38.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 57.10 ટકા તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં  51.10 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં  40.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 23.09 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં માત્ર 23.86 ટકા  વરસાદ વરસી ચૂક્યો છે.  

NDRFની 10 ટીમો તૈનાત

અધિકારીઓએ જણાવ્યું કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે અને ફસાયેલા લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે 16 જળાશયો ભરાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Govt Jobs: સરકારી નોકરીનું સપનું પૂરું! આજે 4473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા
Gujarat Govt Jobs: સરકારી નોકરીનું સપનું પૂરું! આજે 4473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા
Weather Forecast :બંગાળની ખાડીમાં ફરી સર્જાશે વાવાઝોડું , જાણો ગુજરાત પર માવઠાનું કેટલું સંકટ
Weather Forecast :બંગાળની ખાડીમાં ફરી સર્જાશે વાવાઝોડું , જાણો ગુજરાત પર માવઠાનું કેટલું સંકટ
Gujarat Govt Jobs: ‘લોકો હવે 'સાહેબ' કહેશે, પણ વહેમમાં ન રહેતા’, 4,473 નવા કર્મચારીઓને નાયબ મુખ્યમંત્રીની લાલ બત્તી
Gujarat Govt Jobs: ‘લોકો હવે 'સાહેબ' કહેશે, પણ વહેમમાં ન રહેતા’, 4,473 નવા કર્મચારીઓને નાયબ મુખ્યમંત્રીની લાલ બત્તી
Bihar Politics: ‘આ ગઠબંધન છે, કંઈ ન કહી શકાય...’ - નીતિશ કુમારને ગૃહ મંત્રાલય ન મળતા સાથી પક્ષે જ ઉઠાવ્યા સવાલ!
Bihar Politics: ‘આ ગઠબંધન છે, કંઈ ન કહી શકાય...’ - નીતિશ કુમારને ગૃહ મંત્રાલય ન મળતા સાથી પક્ષે જ ઉઠાવ્યા સવાલ!
Advertisement

વિડિઓઝ

Narmada News: રાજપીપળાની બેંકના પૂર્વ કેશ ઓફિસર પર 1.93 કરોડની ઠગાઈનો આરોપ
Mehsana News: વિજાપુરમાં બની ચોંકાવનારી ઘટના, ધો. 2ની આઠ વર્ષીય બાળકીને કોઈએ આપ્યું ઈન્જેક્શન
Banaskantha News: થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા
Ambalal Patel Prediction: નવું ચક્રવાત ગુજરાતમાં કેવું મચાવશે તોફાન? અંબાલાલે શું કરી આગાહી
Mohan Bhagwat Statement: હિન્દુત્વ પર RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટુ નિવેદન | abp Asmita LIVE
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Govt Jobs: સરકારી નોકરીનું સપનું પૂરું! આજે 4473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા
Gujarat Govt Jobs: સરકારી નોકરીનું સપનું પૂરું! આજે 4473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા
Weather Forecast :બંગાળની ખાડીમાં ફરી સર્જાશે વાવાઝોડું , જાણો ગુજરાત પર માવઠાનું કેટલું સંકટ
Weather Forecast :બંગાળની ખાડીમાં ફરી સર્જાશે વાવાઝોડું , જાણો ગુજરાત પર માવઠાનું કેટલું સંકટ
Gujarat Govt Jobs: ‘લોકો હવે 'સાહેબ' કહેશે, પણ વહેમમાં ન રહેતા’, 4,473 નવા કર્મચારીઓને નાયબ મુખ્યમંત્રીની લાલ બત્તી
Gujarat Govt Jobs: ‘લોકો હવે 'સાહેબ' કહેશે, પણ વહેમમાં ન રહેતા’, 4,473 નવા કર્મચારીઓને નાયબ મુખ્યમંત્રીની લાલ બત્તી
Bihar Politics: ‘આ ગઠબંધન છે, કંઈ ન કહી શકાય...’ - નીતિશ કુમારને ગૃહ મંત્રાલય ન મળતા સાથી પક્ષે જ ઉઠાવ્યા સવાલ!
Bihar Politics: ‘આ ગઠબંધન છે, કંઈ ન કહી શકાય...’ - નીતિશ કુમારને ગૃહ મંત્રાલય ન મળતા સાથી પક્ષે જ ઉઠાવ્યા સવાલ!
Akhilesh Yadav: ‘અમે પણ મંદિર બનાવી રહ્યા છીએ...’ - અખિલેશ યાદવનો મોટો ધડાકો! બાબરી મસ્જિદ વિવાદ વચ્ચે ભાજપને ચેતવણી?
Akhilesh Yadav: ‘અમે પણ મંદિર બનાવી રહ્યા છીએ...’ - અખિલેશ યાદવનો મોટો ધડાકો! બાબરી મસ્જિદ વિવાદ વચ્ચે ભાજપને ચેતવણી?
Shashi Tharoor: કોંગ્રેસમાં ફરી ભડકો? શશિ થરૂરે 'વિરોધ ખાતર વિરોધ' કરનારા નેતાઓને બતાવ્યો અરીસો, જાણો ઈશારામાં શું કહ્યું
Shashi Tharoor: કોંગ્રેસમાં ફરી ભડકો? શશિ થરૂરે 'વિરોધ ખાતર વિરોધ' કરનારા નેતાઓને બતાવ્યો અરીસો, જાણો ઈશારામાં શું કહ્યું
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈંજેકશન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈંજેકશન
EPFO Big Update: 1 કરોડ કર્મચારીઓને બલ્લે-બલ્લે! EPFO ની આ તૈયારીથી નિવૃત્તિનું ટેન્શન થશે દૂર
EPFO Big Update: 1 કરોડ કર્મચારીઓને બલ્લે-બલ્લે! EPFO ની આ તૈયારીથી નિવૃત્તિનું ટેન્શન થશે દૂર
Embed widget