શોધખોળ કરો
Advertisement
આગામી પાંચ દિવસ મનમૂકીને પડશે વરસાદ, જાણો ક્યા વિસ્તારમાં મેઘરાજા તૂટી પડશે
ગુરુવારની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે અને જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ ખાબરી શકે છે.
અમદાવાદઃ રાજ્યના કેટલાક વિસ્તારમાં હાલમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આગાહી અનુસાર આજે બનાસકાંઠા,પાટણ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચમાં ભારે વરસાદની શક્યતા છે. તો બુધવારે બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ અને જૂનાગઢ કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.
ગુરુવારની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે અને જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ ખાબરી શકે છે. જ્યારે શુક્રવારે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિથી અતિભારે વરસાદ તો સુરત ડાંગ , નવસારીમાં ભારેથી અતિભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, તાપી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર ઉત્તર ગુજરાતમાં પડી રહેલ વરસાદને કારણે ખેતીને ફાયદો થઈ શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion