શોધખોળ કરો

ભાવનગરમાં કોરોના બેકાબુ, જાણો 8 દિવસમાં કેટલા કેસ નોંધાયા, શહેરની 6 જગ્યાએ ફરી રેપિડ ટેસ્ટ કરવાના મનપાના આદેશ

ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 1122 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા.

રાજ્યની સાથે સાથે ભાવનગર જીલ્લામાં પણ કોરોના કેસના વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં કોરોના કેસ ફરી એકવાર માથું ઉચક્યું છે. છેલ્લા આઠ દિવસની વાત કરીએ તો ભાવનગર શહેર અને જીલ્લામાં ૧૨૯ કેસ નોધાયા છે. આઠ દિવસ પહેલાની વાત કરીએ તો માત્ર ૨૯ જેટલા કેસ હતા પરંતુ આઠ દિવસ બાદ ૧૦૦ જેટલા કેસ નો વધારો થયો છે ત્યારે તંત્ર પણ જાગ્યું છે.

ભાવનગર શહેરની છ અલગ અલગ જગ્યાઓ પર ફરી રેપિડ ટેસ્ટ કરવાના આદેશ મનપા કમિશનરએ આપ્યા છે. જોકે ભાવનગર જીલ્લામાં લોકોમાં જાગૃતિનાના અભાવે કેસમાં વધારો જોવા મળી રહયો છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 1122 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા. ગઈકાલે 775  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,71,433 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.54 ટકા પર પહોંચ્યો છે. હાલ 5310 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 લોકો વેન્ટિલેટર પર અને 5249 લોકો સ્ટેબલ છે.

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું હતું.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4430 લોકોના કોરોનાથી મોત થયા છે.  જ્યારે અત્યાર સુધી કુલ 2,81,176 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

સુરત કોર્પોરેશનમાં 315, અમદાવાદ કોર્પોરેશનમાં 264, રાજકોટ કોર્પોરેશનમાં 88, વડોદરા કોર્પોરેશનમાં 97, સુરતમાં 38, રાજકોટ-24, ભરુચ-21, મહેસાણા-19, જામનગર કોર્પોરેશન -18, ખેડા-18, પંચમહાલ-18, વડોદરા-17, ભાવનગર કોર્પોરેશન-15, ગાંધીનગર કોર્પોરેશન-14, કચ્છ-14, આણંદ-13, દાહોદ-12, નર્મદા-12, ગાંધીનગર-10, સાબરકાંઠામાં 10, છોટા ઉદેપુર-9, અમરેલી-8, જુનાગઢ કોર્પોરેશ-8, મહીસાગર-8, મોરબી-8 અને અમદાવાદમાં 7 કેસ નોંધાયા હતા.

ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ  ?

સુરત કોર્પોરેશનમાં 205, અમદાવાદ કોર્પોરેશનમાં 205, વડોદરા કોર્પોરેશનમાં 75, રાજકોટ કોર્પોરેશનમાં 71,  સુરતમાં 29, રાજકોટ-13, ભરુચ-22, મહેસાણા-11, જામનગર કોર્પોરેશન -4, ખેડા-12 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 22,71,145  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,54,662 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં આજે કુલ 67,734  લોકોને રસી આપવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
ડેબિટ કાર્ડ પર મળે છે 10 લાખ સુધીનો વીમો, આ રીતે તમે ક્લેઇમ કરી શકો છો
Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?
Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Embed widget