શોધખોળ કરો

Independence Day 2021: રાજ્યકક્ષાની સ્વતંત્રત્તા પર્વની ઉજવણીને લઈને જૂનાગઢમાં તૈયારીઓને આખરી ઓપ

15મી ઓગસ્ટ રાજ્યકક્ષાની સ્વતંત્રત્તા પર્વની ઉજવણી જૂનાગઢમાં યોજાનાર છે.  જેને લઈને આજે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે.

ગાંધીનગર:  15મી ઓગસ્ટ રાજ્યકક્ષાની સ્વતંત્રત્તા પર્વની ઉજવણી જૂનાગઢમાં યોજાનાર છે.  જેને લઈને આજે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે. રાજ્યકક્ષાની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીઅને રાજ્યપાલ સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી આ ઉજવણીમાં ભાગ લેવા બે દિવસના પ્રવાસે 14 અને 15 ઓગષ્ટના રોજ જુનાગઢ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તથા ધ્વજ વંદન કરાશે.

15મી ઓગષ્ટે સવારે 9 કલાકે જુનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડમાં 75માં સ્વાતંત્ર દિનની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહી ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ બાદ રાજ્યના પ્રજાજનોને સંબોધન કરી શુભકામના પાઠવશે. ગુજરાત પોલીસને પ્રજાની સુરક્ષા માટે વધુ સુસજ્જ કરવાના ભાગરૂપે જૂનાગઢથી મુખ્યમંત્રી ગુજરાત પોલીસને 10 હજાર બોડી વોર્ન કેમેરા અને 15 ડ્રોન કેમેરા સિસ્ટમ અર્પણ કરશે.

રાજ્ય સરકારની 15મી ઓગસ્ટ મુદ્દે ગાઈડલાઈન, 1000ની મર્યાદામાં લોકો રહી શકશે હાજર

રાજ્યમાં પણ 15મી ઓગસ્ટની ઉજવણીને લઈને રાજ્યના ગૃહ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. ગૃહ વિભાગના પરિપત્ર અનુસાર રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમમાં મહત્તમ એક હજારની મર્યાદામાં જ લોકો હાજર રહી શકશે. તો જિલ્લા કક્ષાના સરકારી ધ્વજવંદનના કાર્યક્રમમાં મહત્તમ એક હજાર લોકો હાજર રહી શકશે.


તાલુકા કક્ષાના ધ્વજવંદનના કાર્યક્રમમાં 500 લોકોની તો ગઈકાલે યોજાનારા અલગ અલગ સાંસ્કૃતિ કાર્યક્રમમાં પણ 500ની મર્યાદામાં લોકો હાજર રહી શકશે. કોરોનાની સ્થિતિને જોતા ધ્વજવંદન કાર્યક્રમમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

ગુજરાતમાં કોરોનાના 25 નવા કેસ નોંધાયા

ગાંધીનગર:  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 નવા કેસ સામે આવ્યા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું.  રાજ્યમાં હાલ 185 એક્ટિવ કેસ છે અને 7  દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં હાલ કોરોના વાયરસના કેસ સ્થિર થયા છે.  રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 6,18,515 દર્દીઓનું રસીકરણ થયું છે. 


છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 4, રાજકોટ કોર્પોરેશનમાં 4, વડોદરા  કોર્પોરેશનમાં 4, અમદાવાદ 3, પોરબંદરમાં 3, સુરત 2, અરવલ્લી 1, ગાંધીનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1  કેસ  નોંધાયા છે.  રાજ્યમાંથી વધુ  18 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,14,903 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે

વિડિઓઝ

Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
Aadhaar-PAN Link : તાત્કાલિક કરો આ કામ, 2 દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાનકાર્ડ!
Aadhaar-PAN Link : તાત્કાલિક કરો આ કામ, 2 દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાનકાર્ડ!
Embed widget