શોધખોળ કરો

બગદાણા કેસમાં જયરાજ આહિરને મળ્યા જામીન, 14 દિવસ બાદ થશે જેલમુક્ત

નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં જયરાજ આહિરને જામીન મળ્યાં છે. 14 દિવસ બાદ જયરાજ આહિર જેલ બહાર આવશે.જાણીએ વધુ વિગત

બગદાણાની ઘટનામાં 14 દિવસ બાદ જયરાજ આહિરને જામીન મળ્યાં છે. તેઓ  જેલ બહાર આવશે, મહુવાની કોર્ટે જયરાજ આહિરને  જામીન આપ્યાં છે. SITએ જયરાજ આહિરની ધરપકડ કરી હતી. અગાઉ આઠ આરોપીના જામીન મંજૂર થયા હતા. હવે  જયરાજ આહિર સહિત સાત આરોપીના જામીન મંજૂર થયા છે. નવનીત બાલધિયા પર હુમલો કરવના કેસમાં જયરાજ આહીર, નાજુ કામળીયા, કાના ભીખાભાઇ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયાની ગઈકાલે મહુવા કોર્ટમાં તેના વકીલ મારફત જેલમુક્ત થવા જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બન્ને પક્ષોના વકીલો દ્વારા લાંબી દલીલો કરવામાં આવી હતી. જેમા આજે કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે.

શું છે સમગ્ર ઘટના
29 ડિસેમ્બર, 2025ની રાતે નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ લોકોએ  હુમલો કર્યો હતો.  નવનીત બાલધિયાએ બગદાણા મંદિર અને ટ્રસ્ટને લગતા કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા હતા, જે બાદ તેમના પર જીવલેણ હુમલો થયો હતો. આ હુમલામાં જયરાજ આહીર અને તેના સાથીદારોના નામ ખુલતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. 

કોણ છે જયરાજ આહીર?

જયરાજ આહીર ભાવનગર પંથકમાં યુવા ભાજપ નેતા અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે જાણીતા છે. ઉપરાંત તે લોકસાહિત્યકાર માયા આહીરના પુત્ર પણ છે. સોશિયલ મીડિયા પર તે મોટી ફેનફોલોઇંગ ધરાવે છે. ઉપરાંત ભાવનગર ભાજપમાં પણ હાલ તે સક્રિય છે. 

કોણ છે નવનીત બાલધિયા?

નવનીત બાલધિયા: નવનીત બાલધિયા એક સામાજિક કાર્યકર હોવા ઉપરાંત કોળી આગેવાન છે. બગદાણાના ટ્રસ્ટ મામલે માયા આહીર દ્વારા મુંબઇમાં એક ડાયરામાં ચુક થયા બાદ તેણે માયા આહીરને ફોન કરીને માફી મંગાવ્યા બાદ આ ઓડિયો વાયરલ થયો હતો. ત્યાર બાદ માયા આહીરના પુત્ર દ્વારા કથિત રીતે નવનીત બાલધીયા પર હુમલો કરવામાં આવ્યો. ત્યાર બાદ આ સમગ્ર મામલો વિવાદિત બન્યો હતો. 

ઉલ્લેખનિય છે કે,  આ મામલે 21 જાન્યુ.એ સાડાત્રણ કલાક પૂછપરછ ચાલી હતી.ત્રણ દિવસ અગાઉ પણ બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને સમન્સ પાઠવતાં SIT સમક્ષ હાજર થયા હતા. . બગદાણા નવનીત બાલધિયા હુમલા કેસ મામલે SIT દ્વારા જયરાજ આહીરની સાડાત્રણ કલાક લાંબી મેરેથોન પૂછપરછ કરાઈ હતી. એ સમયે SIT સમક્ષ નિવેદન આપી બહાર આવેલા જયરાજ આહીરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, SIT દ્વારા મને જે પણ સવાલ કરાયા છે એના મેં જવાબ આપ્યા છે. આ કેસ સંબંધિત ભવિષ્યમાં પણ જ્યારે મને બોલાવવામાં આવશે ત્યારે હું જવાબ આપવા હાજર રહીશ.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વૂમન્સ ડે પર આશાવર્કર્સના હાલ બેહાલ, પગાર સહિતના મુદ્દે અવાજ ઉઠાવતાં અટકાયત
વૂમન્સ ડે પર આશાવર્કર્સના હાલ બેહાલ, પગાર સહિતના મુદ્દે અવાજ ઉઠાવતાં અટકાયત
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
દક્ષિણ ગુજરાતમાં પોસ્ટર વોર: અનંત પટેલ 'મુંગેરીલાલ' તો ધવલ પટેલ 'જુઠ્ઠાલાલ' તરીકે વાયરલ!
દક્ષિણ ગુજરાતમાં પોસ્ટર વોર: અનંત પટેલ 'મુંગેરીલાલ' તો ધવલ પટેલ 'જુઠ્ઠાલાલ' તરીકે વાયરલ!
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
Advertisement

વિડિઓઝ

Gandhidham Suicide case: ગાંધીધામ શહેર ભાજપ મહામંત્રીની આત્મહત્યા કેસમાં ખુલાસો
Asha Workers protest: ગાંધીનગરમાં આશા વર્કર બહેનોનું ધરણા પ્રદર્શન
Gujarat ATS : ગુજરાત ATSની મોટી કાર્યવાહી, એટોમિટેડ ડ્રગ્સની હેરાફેરી કરતા એક શખ્સની સુરતથી ધરપકડ
T20 World Cup Final : ટી-20 વિશ્વકપની ફાઈનલ મેચને કારણે અમદાવદમાં હોટલના ભાડામાં વધારો
Bharuch Fire Incident : અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ LIVE Score: અક્ષર પટેલનો તરખાટ, ખતરનાક ફિન એલન પેવેલિયન ભેગો; ભારતને મળી પ્રથમ સફળતા
IND vs NZ LIVE Score: અક્ષર પટેલનો તરખાટ, ખતરનાક ફિન એલન પેવેલિયન ભેગો; ભારતને મળી પ્રથમ સફળતા
અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી
અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી
સંજુ સેમસને રચ્યો ઇતિહાસ: ફાઇનલમાં 89 રન ફટકારી વિરાટ કોહલીના મહાન રેકોર્ડની કરી બરાબરી
સંજુ સેમસને રચ્યો ઇતિહાસ: ફાઇનલમાં 89 રન ફટકારી વિરાટ કોહલીના મહાન રેકોર્ડની કરી બરાબરી
IND vs NZ: ફાઇનલમાં અભિષેક સંજુનું તોફાન, તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ
IND vs NZ: ફાઇનલમાં અભિષેક સંજુનું તોફાન, તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ
IND vs NZ ફાઇનલ: ટોસ હારીને પણ સૂર્યા ખુશ, જાણો પીચ અને પ્લેઇંગ 11
IND vs NZ ફાઇનલ: ટોસ હારીને પણ સૂર્યા ખુશ, જાણો પીચ અને પ્લેઇંગ 11
3 ફાઈનલ, 2 હાર અને 1 જીત; ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલમાં ભારતનો રેકોર્ડ જાણી ચોંકી જશો!
3 ફાઈનલ, 2 હાર અને 1 જીત; ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલમાં ભારતનો રેકોર્ડ જાણી ચોંકી જશો!
IND vs NZ T20 ફાઇનલ 2026: મેચ પહેલા ટીમ ઇન્ડિયાની ડિજિટલ આરતી વાયરલ, જુઓ વીડિયો
IND vs NZ T20 ફાઇનલ 2026: મેચ પહેલા ટીમ ઇન્ડિયાની ડિજિટલ આરતી વાયરલ, જુઓ વીડિયો
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
Embed widget