શોધખોળ કરો

'હવે અનશન પર ઉતરીશ, જાન પણ ન્યૌછાવર કરી દઇશ ને....' - ભીંતચિત્રો પર કાળો કૂચડો મારનાર હર્ષદ ગઢવીનું નિવેદન

ભીંતચિત્રો પર હવે હર્ષદ ગઢવીનું પહેલું મોટુ નિવેદન સામે આવ્યુ છે, તેમને કહ્યું કે, હું સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધી નથી પરંતુ તેમની વૃત્તિ અને પ્રવૃતિઓનો વિરોધી છું.

Sarangpur Controversy: છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની હરકતોને લઇને વિવાદ ચાલી રહ્યો છે. સાળંગપુરમાં હનુમાનજી પ્રતિમા અને ભીંતચિત્રમાં વિવાદિત રીતે હનુમાનજીને કંડારવામાં આવ્યા છે, આ મુદ્દે રાજ્ય અને દેશના કેટલાય સાધુ-સંતોએ આને તાત્કાલિક દુર કરવાની માંગ કરી છે. જોકે, આ બધાની વચ્ચે ચારણકી ગામના જ હનુમાન ભક્ત હર્ષદ ગઢવીએ કુહાદી સાથે સાળંગપુર મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને આ ભીંતચિત્રો પર કાળો કૂચડો મારી દીધો હતો. પોલીસે હર્ષદ ગઢવીની અટકાયત કરી હતી, હવે હાર્ષદ ગઢવી જામીન પર બહાર છે.


હવે અનશન પર ઉતરીશ, જાન પણ ન્યૌછાવર કરી દઇશ ને....' - ભીંતચિત્રો પર કાળો કૂચડો મારનાર હર્ષદ ગઢવીનું નિવેદન

ભીંતચિત્રો પર હવે હર્ષદ ગઢવીનું પહેલું મોટુ નિવેદન સામે આવ્યુ છે, તેમને કહ્યું કે, હું સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધી નથી પરંતુ તેમની વૃત્તિ અને પ્રવૃતિઓનો વિરોધી છું. હર્ષદ ગઢવીએ આજે સનાતન ધર્મની જય સાથે નિવેદન આપ્યું છે કે, હું સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધી નથી, પણ તેમની વૃત્તિ અને પ્રવુતિનો વિરોધી છું, હનુમાનજીનું અપમાન જોયા બાદ ગુસ્સો કન્ટ્રૉલમાં ના રહ્યો અને મારે ના છૂટકે આ કરવુ પડ્યું. સનાતન ધર્મના સાધુ-સંતોને વારંવાર આ ભીંતચિત્રો હટાવવા હાથ જોડીને વિનંતી કરી, છતા પણ ભીંતચિત્રો હટાવવામાં આવ્યા ન હતા. હવે હું જે કાઈ પગલું ભરીશ તે ગુજરાતના સનાતન ધર્મના સાધુ સંતોને મળીને જ ભરીશ. જો ભીંતચિત્ર હટાવવામાં નઇ આવે તો અનશન પર ઉતરીશ અને જરૂર પડશે તો જાન ન્યૌછાવર પણ કરી દઇશ. ઉલ્લેખનીય છે કે, હર્ષદ ગઢવી હાલમાં જામીન પર બહાર છે, અને તેમને હવે અનશન કરવાની ચિમકી ઉચ્ચારી છે. 


હવે અનશન પર ઉતરીશ, જાન પણ ન્યૌછાવર કરી દઇશ ને....' - ભીંતચિત્રો પર કાળો કૂચડો મારનાર હર્ષદ ગઢવીનું નિવેદન

ભીંતચિત્રોને નુકશાન પહોંચાનાર હર્ષદ ગઢવીના સમર્થનમાં આવ્યા ગામના સરપંચ અને હિન્દુ સંગઠન

સાળંગપુર હનુમાનજી મૂર્તિ વિવાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સાળંગપુર ખાતે ભીત ચિત્રો પર શાહી ફેંકનાર હર્ષદ ગઢવીના સમર્થનમાં લોકો આવી રહ્યા છે. હર્ષદ ગઢવીના સમર્થનમાં બરવાળા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે. બરવાળા પોલીસ મથક ખાતે બરવાળા તાલુકા હિન્દુ યુવા સંગઠન અને સાધુ સંતો અરજી દેવા પહોંચ્યા છે. બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ અરજી આપી છે.

 

હર્ષદ ગઢવી દ્વારા કરાયેલ કૃત્યને સમર્થન આપવામા આવ્યું છે. તેમણે કહ્યું કે, હર્ષદ ગઢવી સજ્જન વ્યક્તિ છે.મંદિરે રજૂઆત કરવા ગયેલ ત્યારે યોગ્ય જવાબ નહીં મળતા ધાર્મિક લાગણી દુભાતા ભીત ચિત્રોને નુકસાન કર્યું. જ્યાં કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ વિશાળ બનાવાઈ ત્યારે એની નીચે હનુમાનજીને સામાન્ય વ્યક્તિ ઘણી ઝુકાવવાનું કામ કર્યું તે દુખદ છે.સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે બેધારી નીતિના વિરોધમાં અરજી આપવામાં આવી છે. 

તો બીજી તરફ સાળંગપુર ભીતચિત્રોને કાળો કલર કરી નુકસાન પહોંચાડનાર હર્ષદ ગઢવીને ચારણકી ગામના સરપંચ સહિત ગામલોકોએ સમર્થન આપ્યું છે. સમર્થનમાં સરપંચ સહિત ગામલોકોએ પ્રતિક્રિયા આપી છે. હર્ષદ ગઢવીએ કરેલ કૃત્યને લોકોએ યોગ્ય ગણાવી સમર્થન આપતા સાથે હોવાનું જણાવ્યું છે. હર્ષદ ગઢવી ધાર્મિક માણસ છે એટલે લાગણી દુભાય એ સ્વાભાવિક છે. હર્ષદ ગઢવીએ પોતાની વાડીમાં ગજાનંદ આશ્રમ બનાવ્યો છે સાથે જ સાળંગપુર જતા પદયાત્રીઓ માટે આશ્રમમાં સુંદર વ્યવસ્થા પણ કરેલ છે.

હવે અનશન પર ઉતરીશ, જાન પણ ન્યૌછાવર કરી દઇશ ને....' - ભીંતચિત્રો પર કાળો કૂચડો મારનાર હર્ષદ ગઢવીનું નિવેદન

ભીંત ચિત્રો પર કાળો કલર મારવામાં આવ્યો

સાળંગપુર હનુમાનજી વિવાદિત ચિત્રો પર હનુમાન ભક્ત હર્ષદ ગઢવી દ્વારા કાળો કલર મારવામાં આવ્યો હતો. જેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.  દેશના સુપ્રસિદ્ધ અને લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં સ્થાપિત કરાયેલા કિંગ ઓફ સાળંગુપરની વિશાળ પ્રતિમા નીચે ભીંત ચિત્રોમાં હનુમાનજી મહારાજને સહજાનંદ સ્વામીના દાસ તરીકે દર્શાવવામાં આવતા હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ દરમિયાન આવતીકાલે સવારે 10 કલાકે અમદાવાદમાં સંતો ભેગા થશે. અમદાવાદના ભારતી આશ્રમ, સરખેજ, લંબે હનુમાન મંદિરે સંતો એકઠા થશે. ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રથી સંતો આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Cricket News: ગુજરાતના આ દિગ્ગજ ક્રિકેટરે અચાનક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ
Cricket News: ગુજરાતના આ દિગ્ગજ ક્રિકેટરે અચાનક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ
Gujarat Rain: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી,  28 ઑગસ્ટ સુધી રાજ્યમાં પડશે અતિ ભારે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી,  28 ઑગસ્ટ સુધી રાજ્યમાં પડશે અતિ ભારે વરસાદ
ભારત પછી હવે યુરોપે પણ ટ્રમ્પને આપ્યો ઝટકો, આ બે દેશોએ USના 5મી પેઢીના ફાઇટર જેટ F-35 ખરીદવાનો કર્યો ઇનકાર
ભારત પછી હવે યુરોપે પણ ટ્રમ્પને આપ્યો ઝટકો, આ બે દેશોએ USના 5મી પેઢીના ફાઇટર જેટ F-35 ખરીદવાનો કર્યો ઇનકાર
Toyota ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે તેની પહેલી ઇલેક્ટ્રિક કાર, મળશે 500 KM થી વધુની રેન્જ
Toyota ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે તેની પહેલી ઇલેક્ટ્રિક કાર, મળશે 500 KM થી વધુની રેન્જ
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast: આજે મેઘરાજા ભુક્કા બોલાવશે: ગુજરાતમાં 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
Sabarmati River Alert : ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે
Gujarat Rain Data: 24 કલાક રાજ્યના 234 તાલુકામાં વરસાદ,  ક્યાં ખાબક્યો સૌથી વધુ?
Surat Murder : સુરતના માસૂમની નિર્મમ હત્યા, મુંબઈમાં ટ્રેનના શૌચાલયમાંથી મળ્યો મૃતદેહ
Ahmedabad Crime: અમદાવાદમાં યુવકની સરાજાહેર હત્યા કરાઈ, પોલીસે 3 આરોપીની કરી ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cricket News: ગુજરાતના આ દિગ્ગજ ક્રિકેટરે અચાનક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ
Cricket News: ગુજરાતના આ દિગ્ગજ ક્રિકેટરે અચાનક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ
Gujarat Rain: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી,  28 ઑગસ્ટ સુધી રાજ્યમાં પડશે અતિ ભારે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી,  28 ઑગસ્ટ સુધી રાજ્યમાં પડશે અતિ ભારે વરસાદ
ભારત પછી હવે યુરોપે પણ ટ્રમ્પને આપ્યો ઝટકો, આ બે દેશોએ USના 5મી પેઢીના ફાઇટર જેટ F-35 ખરીદવાનો કર્યો ઇનકાર
ભારત પછી હવે યુરોપે પણ ટ્રમ્પને આપ્યો ઝટકો, આ બે દેશોએ USના 5મી પેઢીના ફાઇટર જેટ F-35 ખરીદવાનો કર્યો ઇનકાર
Toyota ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે તેની પહેલી ઇલેક્ટ્રિક કાર, મળશે 500 KM થી વધુની રેન્જ
Toyota ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે તેની પહેલી ઇલેક્ટ્રિક કાર, મળશે 500 KM થી વધુની રેન્જ
Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર જોવાથી લાગે છે આ ભયંકર દોષ, જાણો ભૂલથી પણ જોવાય જાય તો શું કરવું
Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર જોવાથી લાગે છે આ ભયંકર દોષ, જાણો ભૂલથી પણ જોવાય જાય તો શું કરવું
 શું છે Hobosexuality? શહેરોમાં કેમ વધી રહ્યું છે તેનું ચલણ
 શું છે Hobosexuality? શહેરોમાં કેમ વધી રહ્યું છે તેનું ચલણ
PM મોદીની ગુજરાત મુલાકાત પર વરસાદનું વિઘ્ન? હવામાન વિભાગે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી
PM મોદીની ગુજરાત મુલાકાત પર વરસાદનું વિઘ્ન? હવામાન વિભાગે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી
‘જે સર્ટિફિકેટ આપે છે, તે જ પાકિસ્તાનમાં ઘુસીને....’, ઓસામા બિન લાદેનનો ઉલ્લેખ કરી જયશંકરે ટ્રમ્પને અરીસો બતાવ્યો
‘જે સર્ટિફિકેટ આપે છે, તે જ પાકિસ્તાનમાં ઘુસીને....’, ઓસામા બિન લાદેનનો ઉલ્લેખ કરી જયશંકરે ટ્રમ્પને અરીસો બતાવ્યો
Embed widget