શોધખોળ કરો

ગુજરાતની કઈ યુનિવર્સિટીમાં કોરોનાના કેસો ધડાધડ વધતાં 5 એપ્રિલ સુધી કરી દેવાઈ બંધ

અગાઉ પણ યુનિવર્સિટીના કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતા યુનિવર્સિટી ત્રણ દિવસ બંધ રાખવામાં આવી હતી

દેશભરમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. સરહદી ક્ચ્છ જિલ્લામાં પણ કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા ક્ચ્છ યુનિવર્સિટી કેમ્પસમાં કોરોનાના કેસ વધતા યુનિવર્સિટીની કામગીરી આગામી 5 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવી છે. ક્ચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક, અધ્યાપકો, સિક્યોરિટી ગાર્ડ સહિત તેમના પરિવારજનો મળી કુલ 15 લોકો સંક્રમિત થતા ફફડાટ વ્યાપી ગયો છે.

અગાઉ પણ યુનિવર્સિટીના કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતા યુનિવર્સિટી ત્રણ દિવસ બંધ રાખવામાં આવી હતી ત્યારે ફરી એકવાર યુનિવર્સિટીમાં કોરોના વ્યાપ વધતા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફના આરોગ્ય માટે ક્ચ્છ યુનિવર્સિટી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ યથાવત રીતે ચાલુ રાખવામાં આવશે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના ( Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2410 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં ગઈકાલે  2015 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં અત્યાર સુધી 2,92,584 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 13 હજારની નજીક પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 12996 પર પહોંચ્યો છે. જેમાંથી 155 લોકો વેન્ટિલેટર પર અને 12841 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.35 ટકા છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન (AMC)માં 3,  સુરત કોર્પોરેશન(SMC)માં 4, વડોદરા કોર્પોરેશનમાં  1 અને ભાવનગરમાં 1 મોત સાથે કુલ 9  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4528 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 613, સુરત કોર્પોરેશનમાં 464, વડોદરા કોર્પોરેશનમાં 292, રાજકોટ  કોર્પોરેશનમાં 179, સુરત 151, વડોદરા 71, રાજકોટ 44, ભાવનગર કોર્પોરેશન-33, જામનગર કોર્પોરેશન -32, મહેસાણા-31, મહીસાગર-29, ભરુચ-28, ગાંધીનગર કોર્પોરેશન-27, પાટણ-27, ખેડા-26, મોરબી-26, સાબરકાંઠા-26,ગાંધીનગર-25, પંચમહાલ-25, અમરેલી-24, જામનગર-24, કચ્છ-24, નર્મદા-22, દાહોદ-21, આણંદ-19, વલસાડ-17, સુરેન્દ્રનગર-14, અમદાવાદ-13, બનાસકાંઠા-12 અને ભાવનગરમાં 10 કેસ નોંધાયા હતા.

કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?

રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2015 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,92,584 છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 53,68,002 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,97,680 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ  કુલ 60,65,682 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 3,69,262 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
આગામી 12-18 મહિનામાં નોકરીઓ માટે ખુલશે જેકપૉટ, બે લાખ પદો પર થશે ભરતી
આગામી 12-18 મહિનામાં નોકરીઓ માટે ખુલશે જેકપૉટ, બે લાખ પદો પર થશે ભરતી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Daman Murder Case | બારમાં બે ગ્રુપ વચ્ચે મારામારી, એકનું મોતSmart Meter Compulsory ? | સ્માર્ટ મીટર લગાવવા ફરજીયાત છે? DGVCLનો ખુલાસોSmart Meter Protest | સ્માર્ટ મીટરનો કકળાટ | ગ્રાહકને 10 જ દિવસ રૂ. 2 હજારનું બીલ?Mahisagar Marriage | 75 વર્ષના દાદા બન્યા ‘વરરાજા’, પોતાના લગ્નમાં મન મૂકીને નાચ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
આગામી 12-18 મહિનામાં નોકરીઓ માટે ખુલશે જેકપૉટ, બે લાખ પદો પર થશે ભરતી
આગામી 12-18 મહિનામાં નોકરીઓ માટે ખુલશે જેકપૉટ, બે લાખ પદો પર થશે ભરતી
Lifestyle: શું લાંબા સમય સુધી કાજલ લગાવવાથી થાય છે આંખોને નુકશાન? જાણો આઈ મેકઅપની સાચી રીત
Lifestyle: શું લાંબા સમય સુધી કાજલ લગાવવાથી થાય છે આંખોને નુકશાન? જાણો આઈ મેકઅપની સાચી રીત
BSNLએ લોન્ચ કર્યા બે સસ્તા પ્લાન, માત્ર 58 અને 59 રુપિયામાં મળશે અનેક બેનિફિટ્સ!
BSNLએ લોન્ચ કર્યા બે સસ્તા પ્લાન, માત્ર 58 અને 59 રુપિયામાં મળશે અનેક બેનિફિટ્સ!
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
દમણના કચીગામમાં દિપાલી બારમાં એક યુવકની હત્યાથી ખળભળાટ, જાણો વધુ વિગતો 
દમણના કચીગામમાં દિપાલી બારમાં એક યુવકની હત્યાથી ખળભળાટ, જાણો વધુ વિગતો 
Embed widget