શોધખોળ કરો

ગુજરાતના આ વિસ્તારમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ધૂળની ડમરી સાથે પવન ફૂંકાઇ શકે છે

આ વર્ષે સામાન્ય કરતા ચોમાસાનું આગમન થોડુ મોડુ થયું છે.

રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવીટી તેજ બની છે. 12થી 14 જૂન દરમિયાન નેઋત્યના ચોમાસાનું આગમન થઈ જશે. જ્યારે પ્રિમોન્સૂન એક્ટિવીટીને કારણે હજુ પાંચ દિવસ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.11 જૂનથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે. જેને કારણે 14 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં અને 15થી 25 જૂન વચ્ચે ગુજરાતના અન્ય ભાગોમાં ચોમાસાનો પ્રારંભ થવાની શક્યતા છે.

બંગાળની ઉત્તર ખાડી અને તેની આસપાસ 11 જૂને લો પ્રેશર સર્જાશે.10 જૂનથી અરેબિયન સમુદ્રમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં પવન વધુ તેજ ગતિએ ફૂંકાશે.અમદાવાદ, દાહોદ, અરવલ્લી, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસમાં મહારાષ્ટ્રમાં ચોમાસુ બેસી જશે તેવી સત્તાવાર જાહેરાત હવામાન વિભાગે કરી છે. મુંબઈ અને કોંકણમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

અમદાવાદમાં આગામી ૩ દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની અથવા ધૂળની ડમરી સાથે પવન ફૂંકાવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ગઈકાલે ૪૧.૫ ડિગ્રી સાથે કંડલામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. રાજ્યમાંથી અન્યત્ર સુરેન્દ્રનગરમાં ૩૯.૩, ડીસામાં ૩૮.૭, ભૂજમાં ૩૮.૪, રાજકોટમાં ૩૭.૮, વડોદરામાં ૩૭.૧, ગાંધીનગર-અમરેલીમાં ૩૭, ભાવનગરમાં ૩૫.૮, સુરતમાં ૩૫ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. 

નોંધનીય છે કે, આ વર્ષે સામાન્ય કરતા ચોમાસાનું આગમન થોડુ મોડુ થયું છે. ત્યારે હવામાન વિભાગે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ ખેડૂતો માટે મદદગાર સાબિત થઈ શકે છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ મોનસૂનને કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર જુનમાં વરસાદ સામાન્ય રહેશે. આ દરમિયાન ખેડૂતો વાવેતર કરી શકે છે. આ વર્ષે જુનથી સપ્ટેમ્બર સુધી દેશમાં લગભગ 101 ટકા વરસાદ વરસી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Embed widget