શોધખોળ કરો

‘મહા’ વાવાઝોડના પગલે યલ્લો એલર્ટ જાહેર, 24 કલાકમાં આ વિસ્તાર છોડવાનો આદેશ.....

આ વાવાઝોડું દીવ અને દ્વારકા વચ્ચે ટકરાવાનું છે ત્યારે દીવમાં મંગળવારથી ટુરિસ્ટોને આવવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.

અમદાવાદઃ મહા વાવાઝોડું વધારે મજબૂત બન્યું છે અને ગુજરાતના વેરાવળથી 670 કિ.મી. દૂર છે. વાવાઝોડાના સંભવિત જોખમને પગલે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયા કાંઠે યેલ્લો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડું દરિયામાં દીવથી 710 કિ.મી દૂર છે જ્યારે પોરબંદરથી 650 કિમી. દૂર છે. આગામી 6 નવેમ્બરે રાત્રે વાવાઝોડું પોબંદરથી દીવની વચ્ચે ગુજરાતમાંથી પસાર થાય તેવી હવામાન વિભાગની આગાહી છે. આ વાવાઝોડું દીવ અને દ્વારકા વચ્ચે ટકરાવાનું છે ત્યારે દીવમાં મંગળવારથી ટુરિસ્ટોને આવવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. એટલું જ નહીં, જે ટુરિસ્ટ હાલ દીવમાં છે તેમને પણ 24 કલાકની અંદર દીવ છોડી દેવા માટે કહી દેવામાં આવ્યું છે. વાવાઝોડાના જોખમને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને મધદરિયેથી પરત બોલાવવામાં આવી રહ્યા છે. સંભવિત જોખમને પહોંચી વળવા રાજ્યનું વહિવટી તંત્ર સાબદું કરાયું છે. મુખ્યમંત્રી રૂપાણીએ અધિકારીઓને અને મંત્રીઓને સંભવિત નુકસાનીના જિલ્લાઓમાં પહોંચી કંટ્રોલ રૂમ શરૂ કરવા આદેશ આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાત જણાય લોકોનું સ્થળાંતર કરવાની પણ યોજના છે. ગીર સોમનાથ જિલ્લામાં કુલ 10,500 જેટલી નાની મોટી બોટને પરત બોલાવવામાં આવી છે. ફિશરીઝ વિભાગે કોઈ બોટ ફિશિંગ કરવા જશે તો તેનું ત્રણ મહિના સુધી લાયનસ્સ રદ કરાશે તેવી ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં મહા વાવાઝોડાના પગલે NDRFની તૈયારી વિશે એનડીઆરએફના કમાન્ડિંગ ઓફિસર રાકેશ સીંગે માહિતી આપી છે કે NDRFની 15 જેટલી ટીમોને એલર્ટ કરવામાં આવી છે. 10 ટિમ અન્ય રાજ્યમાં એર લિફ્ટ કરવામાં આવશે. 5 ટિમ દિલ્હી અને 5 ટિમ હરિયાણાથી બોલાવવામાં આવશે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખતા રૂપાણી સરકારે અમરેલીથી પોરબંદર સુધીના દરિયા કિનારના વિસ્તારોમાં કાચા મકાનમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાનો સરકારે નિર્ણય લીધો છે. દરિયા કિનારે રહેતા અગરિયા અને બંદરો પર કામ કરતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. આવતીકાલથી સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વાવાઝોડું દરિયામાં વેરાવથી પશ્વિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં સક્રિય છે. હવામાન વિભાગની આગાહી મુજબઆ વાવાઝોડું હાલમાં અતિગંભીર સ્વરૂપે પહોંચ્યું છે. આગામી 5મી નવેમ્બરથી વાવાઝોડું ફંટાશે અને તે પૂર્વ અને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધશે. વાવાઝોડું હાલની આગાહી મુજબ દીવ-પોરબંદરની વચ્ચેથી 100 કિ.મી ઝડપે પસાર થશે. ગુજરાતના કાંઠેથી 6 નવેમ્બર રાત્રે વાવાઝોડું પસાર થાય તેવી વકી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Embed widget