શોધખોળ કરો

‘મહા’ વાવાઝોડના પગલે યલ્લો એલર્ટ જાહેર, 24 કલાકમાં આ વિસ્તાર છોડવાનો આદેશ.....

આ વાવાઝોડું દીવ અને દ્વારકા વચ્ચે ટકરાવાનું છે ત્યારે દીવમાં મંગળવારથી ટુરિસ્ટોને આવવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.

અમદાવાદઃ મહા વાવાઝોડું વધારે મજબૂત બન્યું છે અને ગુજરાતના વેરાવળથી 670 કિ.મી. દૂર છે. વાવાઝોડાના સંભવિત જોખમને પગલે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયા કાંઠે યેલ્લો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડું દરિયામાં દીવથી 710 કિ.મી દૂર છે જ્યારે પોરબંદરથી 650 કિમી. દૂર છે. આગામી 6 નવેમ્બરે રાત્રે વાવાઝોડું પોબંદરથી દીવની વચ્ચે ગુજરાતમાંથી પસાર થાય તેવી હવામાન વિભાગની આગાહી છે. આ વાવાઝોડું દીવ અને દ્વારકા વચ્ચે ટકરાવાનું છે ત્યારે દીવમાં મંગળવારથી ટુરિસ્ટોને આવવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. એટલું જ નહીં, જે ટુરિસ્ટ હાલ દીવમાં છે તેમને પણ 24 કલાકની અંદર દીવ છોડી દેવા માટે કહી દેવામાં આવ્યું છે. વાવાઝોડાના જોખમને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને મધદરિયેથી પરત બોલાવવામાં આવી રહ્યા છે. સંભવિત જોખમને પહોંચી વળવા રાજ્યનું વહિવટી તંત્ર સાબદું કરાયું છે. મુખ્યમંત્રી રૂપાણીએ અધિકારીઓને અને મંત્રીઓને સંભવિત નુકસાનીના જિલ્લાઓમાં પહોંચી કંટ્રોલ રૂમ શરૂ કરવા આદેશ આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાત જણાય લોકોનું સ્થળાંતર કરવાની પણ યોજના છે. ગીર સોમનાથ જિલ્લામાં કુલ 10,500 જેટલી નાની મોટી બોટને પરત બોલાવવામાં આવી છે. ફિશરીઝ વિભાગે કોઈ બોટ ફિશિંગ કરવા જશે તો તેનું ત્રણ મહિના સુધી લાયનસ્સ રદ કરાશે તેવી ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં મહા વાવાઝોડાના પગલે NDRFની તૈયારી વિશે એનડીઆરએફના કમાન્ડિંગ ઓફિસર રાકેશ સીંગે માહિતી આપી છે કે NDRFની 15 જેટલી ટીમોને એલર્ટ કરવામાં આવી છે. 10 ટિમ અન્ય રાજ્યમાં એર લિફ્ટ કરવામાં આવશે. 5 ટિમ દિલ્હી અને 5 ટિમ હરિયાણાથી બોલાવવામાં આવશે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખતા રૂપાણી સરકારે અમરેલીથી પોરબંદર સુધીના દરિયા કિનારના વિસ્તારોમાં કાચા મકાનમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાનો સરકારે નિર્ણય લીધો છે. દરિયા કિનારે રહેતા અગરિયા અને બંદરો પર કામ કરતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. આવતીકાલથી સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વાવાઝોડું દરિયામાં વેરાવથી પશ્વિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં સક્રિય છે. હવામાન વિભાગની આગાહી મુજબઆ વાવાઝોડું હાલમાં અતિગંભીર સ્વરૂપે પહોંચ્યું છે. આગામી 5મી નવેમ્બરથી વાવાઝોડું ફંટાશે અને તે પૂર્વ અને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધશે. વાવાઝોડું હાલની આગાહી મુજબ દીવ-પોરબંદરની વચ્ચેથી 100 કિ.મી ઝડપે પસાર થશે. ગુજરાતના કાંઠેથી 6 નવેમ્બર રાત્રે વાવાઝોડું પસાર થાય તેવી વકી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
RBI એ રેપો રેટમાં આપેલી રાહતની અસર! જાણો કઈ બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજ પર પર્સનલ લોન
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Embed widget