હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 14 મે સુધી રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે.
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન?
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને મોટી આગાહી કરી છે. તેમણે આગાહી કરી હતી કે 14 મે સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે.

- હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ૧૪ મે સુધી આકરી ગરમીની આગાહી કરી.
- મધ્ય ગુજરાત, પાટણ, ભરૂચ સહિતના વિસ્તારોમાં તાપમાન ૪૪-૪૫ ડિગ્રી રહેશે.
- ૨૫ મે બાદ અરબ સાગરમાં સિસ્ટમ, દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના.
- ૧૮-૨૩ મે દરમિયાન ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે.
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આકરી ગરમીની આગાહી કરી છે. મળતી જાણકારી અનુસાર, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને મોટી આગાહી કરી છે. તેમણે આગાહી કરી હતી કે 14 મે સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. તેમાં પણ મધ્ય ગુજરાતનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો પાટણ, સમી, હારીજ, પાટડી, દસાડામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહી શકે છે.
પાલનપુર, ડીસા, સાંતલપુર, ભરૂચ, સાબરકાંઠામાં ગરમીનો પારો 44 ડિગ્રી પર પહોંચી શકે છે. તો કચ્છમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી રહેશે અને ઉત્તર સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી સુધી પહોંચશે. એટલું જ નહીં રાજકોટ, હળવદ, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરમાં અતિશય ગરમી રહેશે. સુરતમાં ગરમીનો પારો 41 ડિગ્રી, તો વલસાડ મહત્તમ પારો 39 ડિગ્રી સુધી જઈ શકે છે.
રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટીને લઈને શું કરી આગાહી ?
25 મે બાદ અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાની અંબાલાલ પટેલે આગાહી કરી હતી. સિસ્ટમનો માર ઓમાન તરફ જાય તો દેશના પશ્ચિમ કાંઠે વરસાદ ઓછો થાય તેવી શક્યતા છે. દ.ભારતના ભાગોમાં 25 મે બાદ 200 મીમી વરસાદ વરસવાની સંભાવના છે. સાથે જ અરબ સાગરમાં ઉંચા મોજા ઉછળતા જોવા મળશે. તો ગુજરાતમાં 18થી 23 મે સુધીમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટી જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં આજથી જ હલચલ જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં 17થી 18 મે સુધીમાં ચક્રવાત સર્જાવવાની શક્યતા છે. તો આંદામાન- નિકોબારમાં 12થી 20 મે વરસાદ વરસવાની સંભાવના છે. 18 મે સુધીમાં બંગાળનો ઉપસાગર તોફાની બનવાના એંધાણ છે.
દ.ભારતના ભાગોમાં 25 મે બાદ 200 મીમી વરસાદ વરસવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે. બંગાળના ઉપસાગરમાં 17થી 18 મે સુધીમાં ચક્રવાત સર્જાવવાની શક્યતા છે. આંદામાન- નિકોબારમાં 12થી 20 મે વરસાદ વરસવાની શક્યતા છે. 23 મેના આંદામાન- નિકોબારમાં ભારે વરસાદની આગાહી કરી હતી.
હવામાન વિભાગે રાજ્યભરમાં ચાર દિવસ ગરમીને લઈ આગાહી કરી
રાજ્યમાં આભમાંથી અગનવર્ષા વરસશે. રાજ્યના હવામાન વિભાગે રાજ્યભરમાં ચાર દિવસ ગરમીને લઈ આગાહી કરી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. ચાર દિવસ દરમિયાન મહતમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે. અમદાવાદમાં તો ગરમીનો પારો 45 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા વ્યકત કરાઈ છે. હવામાન વિભાગે અંગ દઝાડતી ગરમીને લઈ વૃદ્ધો, બાળકોને બિનજરૂરી ઘર બહાર નીકળવાનું ટાળવા અપીલ કરી છે. તો શહેરમાં જાહેર સ્થળોએ આકરી ગરમીથી રાહત માટે ORS સહિતની વ્યવસ્થાઓ કરવા તાકિદ કરાઈ છે. છેલ્લા 24 કલાકમાં ગરમીની વાત કરીએ તો કંડલા એરપોર્ટમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે.
Frequently Asked Questions
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ક્યારે કાળઝાળ ગરમીની આગાહી કરી છે?
મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન કેટલું રહી શકે છે?
મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટી ક્યારે જોવા મળશે?
ગુજરાતમાં 18થી 23 મે સુધીમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટી જોવા મળશે.
બંગાળના ઉપસાગરમાં ક્યારે ચક્રવાત સર્જાવવાની શક્યતા છે?
બંગાળના ઉપસાગરમાં 17થી 18 મે સુધીમાં ચક્રવાત સર્જાવવાની શક્યતા છે.





















