શોધખોળ કરો

કોરોના સામે લડવા મોરારી બાપૂએ 1 કરોડના દાનની જાહેરાત કરી, જાણો ક્યાં વપરાશે ?

બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે.  મોરારી બાપૂએ આજે રાજુલામાં રામકથા દરમિયાન મોટી જાહેરાત કરી છે.  

અમરેલી: કોરોના વાયરસથી બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. રાજ્યમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે.  બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે.  મોરારી બાપૂએ આજે રાજુલામાં રામકથા દરમિયાન મોટી જાહેરાત કરી છે.  કોરોનાની વિકટ સ્થિતિમાં ઓક્સિજન, ઇન્જેક્શન, બેડ, દવા કે ડૉક્ટરની સેવા માટે 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. 

1 કરોડમાંથી જરૂરિયાત હશે એ પ્રમાણે વાપરવામાં આવશે. 25-25 લાખ રૂપિયા રાજુલા, મહુવા, સાવરકુંડલા અને તળાજા આ ચાર તાલુકામાં કોરોના સંદર્ભે જે પ્રમાણે જરૂરિયાત હશે તે મુજબ વાપરવામાં આવશે. મોરારી બાપૂની આ જાહેરાતને લોકોએ આવકારી છે.

કોરોનાના પ્રસારને રોકવા માટે પ્રજાએ સ્વૈચ્છિક લોકડાઉન સ્વીકાર કર્યો છે અને બધા માસ્ક વગેરે સુરક્ષિત સંસાધનોનો ઉપયોગ કરી રહ્યાં છે. આ અંગે અગાઉ બાપુએ જનતાને ધન્યવાદ આપતાં જણાવ્યું હતું કે આરોગ્ય યજ્ઞમાં સૌ પોતાનું યોગદાન આપી રહ્યાં છે. 

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 13,105 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 137 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5877 પર પહોંચી ગયો છે.

  

રાજ્યમાં આજે 5,010 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,55,875 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 92 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 92084 પર પહોંચ્યો છે. જેમાંથી 376 લોકો વેન્ટિલેટર પર અને 91708 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.41 ટકા છે.

 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત  કોર્પોરેશનમાં 22,  રાજકોટ કોર્પોરેશન-10, વડોદરા કોર્પોરેશન-10,  સુરત-5, મહેસાણમાં 3, જામનગર કોર્પોરેશન-5,  બનાસકાંઠા-5, જામનગર-4, વડોદરા-4,  પાટણ-3, ભરૂચ 2,  ભાવનગર કોર્પોરેશન-3, ગાંધીનગર 2, ભાવનગર 3, જૂનાગઢ કોર્પોરેશન 2, જૂનાગઢ 2, દાહોદ 1, પંચમહાલ 1, વલસાડ 1, સુરેન્દ્રનગર 3, અમરેલી 1, અમદાવાદ 1, સાબરકાંઠા 5, મહીસાગર 1, મોરબી 4, રાજકોટ 4, ગીર સોમનાથ 2, અરવલ્લી 1, નર્મદા 1 અને દેવભૂમિ દ્વારકામાં 3ના મૃત્યુ થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
Weather Update: રાજ્યમાં આ તારીખથી શરૂ થશે પ્રિમોનસૂન એક્ટિવિટી, હળવા વરસાદની આગાહી
Weather Update: રાજ્યમાં આ તારીખથી શરૂ થશે પ્રિમોનસૂન એક્ટિવિટી, હળવા વરસાદની આગાહી
અમિત શાહનો 2 દિવસ ગુજરાત પ્રવાસ, ગાંધીનગર, અમદાવાદને મળશે નવા પ્રોજેક્ટસ
અમિત શાહનો 2 દિવસ ગુજરાત પ્રવાસ, ગાંધીનગર, અમદાવાદને મળશે નવા પ્રોજેક્ટસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દારૂનો ગૃહ ઉદ્યોગ?
Hun To Bolish | હું તો બોલીશ | બ્લેકમેલર દુલ્હન
Rajkot news: રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર 2 વેપારીઓને કોર્ટે ફટકારી સજા
Ambalal Patel Prediction: ગરમીથી આંશિક રાહત મળવાની અંબાલાલ પટેલની આગાહી
Rajkot Congress Protest: રાજકોટમાં મંદિરોના ડિમોલિશનને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 80kmph ઝડપે ફૂંકાશે પવન
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો
દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે
દેશભરમાં આભ ફાટશે? એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે
સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ, ખરીદતા પહેલા જાણો નવા નિયમો
સોના બાદ હવે ચાંદી પર સરકારની કડક કાર્યવાહી, સરકારે લગાવ્યો પ્રતિબંધ, ખરીદતા પહેલા જાણો નવા નિયમો
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ
તમિલનાડુમાં મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો; CM વિજય પાસે રહેશે ગૃહ વિભાગ, જુઓ સંપૂર્ણ લીસ્ટ
Embed widget