શોધખોળ કરો

પહેલીવાર નર્મદા ડેમ 131.20 મીટરની સપાટીને પાર કરીને થયો ઓવરફ્લો, જાણો કેટલા દરવાજા ખોલાયા

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવકમાં સતત વધારો થતાં નર્મદા ડેમના 25 દરવાજા ખોલાયા, કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા

અમદાવાદ: નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ગુરુવાર મોડી રાતે જ નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા હતા જોકે આજે સવારે પાણીમાં આવકમાં સતત વધારો થતાં વધુ 15 દરવાજા ખોલાયા હતા જ્યારે હાલ કુલ 25 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમની હાલની સપાટી 131.20 મીટર છે. નર્મદા ડેમ ઓવર થતાં કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નવા દરવાજા બનાવ્યા બાદ નર્મદા ડેમ આજે પહેલીવાર ઓવરફ્લો થયો છે. નોંધનીય છે કે, ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. હાલ નર્મદા ડેમમાં 6.50 લાખ ક્યૂસેક પાણી છે. ડેમના 25 દરવાજા 0.92 સેમી ખોલાયા છે અને 50,070 ક્યૂસેક પાણીની જાવક થઈ રહી છે. જેને લઈને નદી કાંઠે અવર-જવર ન કરવા સૂચના આપી દેવાઈ છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરી દેવાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક વધતા નર્મદા ડેમમાંથી 6 લાખ ક્યુસેક પાણી છોડવાનું નક્કી કરાયું છે. જેના કારણે કાંઠા વિસ્તારોમાં હાઈ એલર્ટની સ્થિતિ જોવા મળી રહી છે. તકેદારીના પગલાના ભાગરૂપ 10 જેટલા ઉચ્ચ અધિકારીઓને કાંઠા વિસ્તારના 42 ગામોમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે તહેનાત કરાયા છે. રાજ્યનાં ત્રણ જિલ્લા વડોદરા,ભરૂચ, નર્મદા જિલ્લાનાં કાંઠા વિસ્તારનાં ગામોને એલર્ટ અપાયું. વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠા વિસ્તારમાં અવર જવર નહિ કરવા સૂચના આપી દેવાઈ. ઉલ્લેખનીય છે કે નર્મદા કન્ટ્રોલ ઓથોરીટીએ સરદાર સરોવર ડેમને 131 મીટર ભરવાની પરવાનગી આપી હતી. એ પછી ડેમ 131.20 મીટર સુધી ભરાય પછી જ પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ
ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
Embed widget