શોધખોળ કરો

રાજ્યમાં નવા 3 જિલ્લા આવી શકે છે અસ્તિત્વમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિલંબની આશંકા

જો આ નિર્ણય અમલમાં આવે તો ગુજરાતમાં જિલ્લાઓની કુલ સંખ્યા 33થી વધીને 36 થઈ જશે.

New District: અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓનું વિભાજન કરી નવા ત્રણ જિલ્લા બનાવવાની રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી છે. આ નવા જિલ્લાઓમાં વિરમગામ, વડનગર અને રાધનપુર અથવા થરાદનો સમાવેશ થઈ શકે છે.

જો આ નિર્ણય અમલમાં આવે તો ગુજરાતમાં જિલ્લાઓની કુલ સંખ્યા 33થી વધીને 36 થઈ જશે. નવા જિલ્લા બનવાની સાથે નવા તાલુકા અને નગરપાલિકાઓની પણ રચના થઈ શકે છે.

જોકે, આ નવા જિલ્લાઓની રચનાના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં વિલંબ થવાની શક્યતા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિલંબ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉપરાંત કેટલીક તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પણ વિલંબમાં મુકાઈ શકે છે.

સરકારનું આયોજન જાન્યુઆરી 2025 સુધીમાં નવા જિલ્લાઓનો ઉમેરો કરવાનું છે. આ નિર્ણયથી એક તરફ જ્યાં વહીવટી સુવિધાઓ વધશે ત્યાં બીજી તરફ સ્થાનિક લોકોને વિકાસની નવી તકો મળશે.

થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને કોન્ક્રીટ રોડ બનાવવાનો ગ્રામીણ જનસુવિધા હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો.

​રાજ્યના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતળની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જવાથી તથા વધુ ટ્રાફિક ભારણ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હતી.

​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમસ્યાના કાયમી અને લાંબા ગાળાના નિવારણ તરીકે સુવિધા પથ અંતર્ગત ગામતળની લંબાઈમાં ૫.૫૦ મીટર કે ઉપલબ્ધ પહોળાઈમાં કોન્ક્રીટ રોડ બનાવવા માટે કુલ ૬૬૮.૩૦ કરોડ રૂપિયાની ફાળવણીની મંજુરી આપી છે.

એટલું જ નહી, જ્યાં કોન્ક્રીટ રોડ બનાવવો શક્ય નહી હોય ત્યાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં કુલ ૧૦૨૦.૧૫ કિ.મી.ની લંબાઈના ૭૮૭ માર્ગો સુવિધાપથ અન્વયે કોન્ક્રીટ રોડ બનશે.

​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર લોકોનું ઈઝ ઓફ લીવિંગ વધારવા સાથે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો સુધી સુવિધા સભર રોડ નેટવર્ક આપવા પ્રતિબધ્ધ છે.

​આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ રાજ્યના ગામડાઓને સુવિધાપથની સગવડ આપવા કરેલી આ ૬૬૮ કરોડ રૂપિયાની ફાળવણીને પરિણામે ગ્રામ્ય વસ્તીને સારી સપાટી વાળા અને વધુ ટકાઉ તથા વરસાદી સિઝનમાં પણ કોઈ અડચણ ન પડે તેવા બારમાસી કોન્ક્રીટ રોડ મળશે.

નોંધનીય છે કે, ચોમાસા દરમિયાન રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લા, તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું હતું. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા હતો., જેના ભાગરૂપે માર્ગમકાન વિભાગ દ્વારા અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ હતી.

આ પણ વાંચોઃ

માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2 અને વર્ગ-3 ઇજનેરોની સાગમટે બદલીના આદેશ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદના શાહ આલમ ટોલનાકા પાસે યુવતીને બુરખો હટાવવાનું કહેતા બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?
Hun To Bolish: હું તો બોલીશ : બેફામ ગૌહત્યારા
Dwarka DJ News : દ્વારકામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 14 ડી.જે. કરાયા ડિટેઇન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
Embed widget