શોધખોળ કરો

ગુજરાતમાં હવે લગ્ન માટે રાજ્ય સરકારે બહાર પાડ્યો નવો નિયમ, જાણો શું કરવું પડશે

લગ્ન પ્રસંગો દરમ્યાન વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હાલ રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ અમલી બનાવાયો છે તેવા સ્થળોએ કોઇપણ પ્રસંગનું આયોજન કર્ફ્યૂના સમયગાળા દરમ્યાન કરી શકાતું નથી.

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા લગ્ન પ્રસંગને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ માટે ઓનલાઈન મંજૂરી લેવી પડશે. આ મામલે રાજ્યના ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાતમાં લગ્નની સિઝન પૂર્ણ થઈ ગઈ છે. 16મી ડિસેમ્બરથી કમુર્તા બેસી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે લગ્નની મંજૂરી માટે નવો આદેશ કર્યો છે. કોરોના મહામારીને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે ગુજરાતમાં યોજાનારા આગામી લગ્ન પ્રસંગો મામલે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. લગ્ન સમારોહ યોજવા માટે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા Online Registration for Organization Marriage Function નામનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર ડિજિટલ ગુજરાત પોર્ટલ (www.digitalgujarat.gov.in)પર એક્ટિવ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અરજદારે લગ્ન સમારંભ યોજવા માટે આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે. ગુજરાતમાં હવે લગ્ન માટે રાજ્ય સરકારે બહાર પાડ્યો નવો નિયમ, જાણો શું કરવું પડશે અરજી કર્યા બાદ અરજદાર રજિસ્ટ્રેશન સ્લિપની પ્રિન્ટ લઈ શકે છે પીડીએફ પણ સેવ કરી શકે છે. જો કોઈ પોલીસ અધિકારી કે સ્થાનિક વહીવટી તંત્રના અધિકારી કે કર્મચારી અરજદાર પાસે રજિસ્ટ્રેશન સ્લિપની માંગ કરે તો તે અરજદારે રજૂ કરવી પડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુજરાત સરકારે રાજ્યમાં લગ્ન કે અન્ય સત્કાર સમારોહમાં પોલીસ વિભાગની મંજૂરી ફરજિયાત કરી હતી. જો કે લોકોમાં આક્રોશ જોવા મળતા આ નિર્ણયને હટાવી લીધો હતો. લગ્નમાં સ્થળની ક્ષમતાની 50 ટકાથી વધુ નહી, પરંતુ 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનો નિયમ બનાવ્યો હતો. જ્યારે લગ્ન પ્રસંગો દરમ્યાન વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હાલ રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ અમલી બનાવાયો છે તેવા સ્થળોએ કોઇપણ પ્રસંગનું આયોજન કર્ફ્યૂના સમયગાળા દરમ્યાન કરી શકાતું નથી. લગ્નો કે સત્કાર સમારંભો યોજવામાં આવે ત્યારે કોવિડ-19 સંદર્ભે જે માર્ગદર્શિકા અમલમાં છે તેનો નાગરિકોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત

વિડિઓઝ

Alpesh Thakor Statement : તો હું રાજનીતિ છોડી દઈશ....: અભ્યુદય મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનો હુંકાર
Bank Strike News: દેશભરની બેંકોમા હડતાલ, ફાઈવ ડે વીકની માગ સાથે બેંક કર્મચારીઓ ઉતર્યા રસ્તા પર
Vikram Thakor Statement: વિક્રમ ઠાકોર રાજકારણમાં જશે? ઠાકોર સમાજના સંમેલનમાં કરી જાહેરાત
Geniben Thakor Appeal: અભ્યુદય મહાસંમેલનમાં ગેનીબેન ઠાકોરની અપીલ
Thakor Samaj Sammelan : ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના:
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના: "આઠ જણાએ છેતરીને માર્યો તોય ભડના દીકરાએ માફી ન માગી"
ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડીએ વડોદરામાં મચાવ્યો આતંક; દારૂના નશામાં બેફામ ડ્રાઈવિંગ કરી સર્જ્યો અકસ્માત
ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડીએ વડોદરામાં મચાવ્યો આતંક; દારૂના નશામાં બેફામ ડ્રાઈવિંગ કરી સર્જ્યો અકસ્માત
Embed widget