શોધખોળ કરો

PM મોદી ગુજરાતના પ્રવાસે, સોમનાથ અમૃત પર્વ દરમિયાન કરશે મહાપૂજા, પહેલીવાર યોજાશે કુંભ અભિષેક

PM modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત કુંભ અભિષેક થશે. જેના સાક્ષી પ્રધાનમંત્રી મોદી બનશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં બે દિવસના પ્રવાસે.
  • સોમનાથ મંદિરમાં અમૃત મહોત્સવમાં ભાગ લેશે.
  • સોમનાથમાં કુંભ અભિષેક સમારોહમાં હાજર રહેશે
  • વડોદરામાં સરદાર ધામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

PM modi Gujarat Visit:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતમાં....જામનગરમાં કરશે રાત્રિ રોકાણ....આવતીકાલે સવારે સોમનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ સોમનાથ અમૃત મહોત્સવમાં લેશે ભાગ...સાંજે વડોદરામાં સરદાર ધામના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત....રોડ શો પણ યોજશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી  બે દિવસના ગુજરાતના  પ્રવાસે છે. બીજા દિવસે તેઓ  સોમનાથ મંદિરના પુનઃસ્થાપનની 75મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી અનેક શુભ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ કુંભ અભિષેક અને ધ્વજવંદન સમારોહમાં હાજરી આપશે, ત્યારબાદ એક ખાસ મહાપૂજા થશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી સોમનાથના સમૃદ્ધ વારસા અને આધ્યાત્મિક મહત્વ પર એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથ અમૃત પર્વ નિમિત્તે ઐતિહાસિક સોમનાથ મંદિરમાં મહાપૂજા  કરશે. મંદિરના ઇતિહાસમાં પહેલી વાર કુંભ અભિષેક કરવામાં આવશે અને નવો  શિખર કળશ સ્થાપિત કરવામાં આવશે.

આ પણ વાંચો:PM Gujarat Visit: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આવશે ગુજરાત, 11મીએ જશે સોમનાથ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

સોમનાથ મહાદેવ મંદિર, પ્રથમ જ્યોતિર્લિંગમાં  ઉજવાતા સોમનાથ અમૃત પર્વ દરમિયાન, પુનઃનિર્મિત શિખર કળશને 90  મીટર ઉંચી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરની ટોચ પર લગાવવામાં  આવશે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે 11 તીર્થસ્થળોના જળથી અભિષેક કરવામાં આવશે.

કુંભ અભિષેક પ્રથમ વખત થશે
તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના વડા હેમલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત કુંભ અભિષેક થશે. તેમણે સમજાવ્યું કે, કુંભ અભિષેક દક્ષિણના મંદિરોમાં એક પરંપરા છે, પરંતુ સોમનાથ મંદિરમાં આ પહેલી વાર થશે. વાયુસેનાનું સૂર્ય કિરણ વિમાન અમૃત પર્વ દરમિયાન એર શો કરશે.                                                

દરમિયાન, મોદીની ગુજરાત મુલાકાત માટે સોમનાથ, જામનગર અને વડોદરામાં તૈયારીઓ ચાલી રહી છે. અમૃત પર્વ દરમિયાન ભવ્ય પૂજા (મહાપૂજા) પહેલા પીએમ મોદી રોડ શો કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય ચાર મંત્રીઓ છેલ્લા બે દિવસથી સોમનાથમાં ચાલી રહેલી તૈયારીઓની સમીક્ષા અને નિરીક્ષણ કરવામાં વ્યસ્ત છે.પ્રધાનમંત્રી વડોદરાની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ સરદારધામ છાત્રાલયનું ઉદ્ઘાટન કરશે અને એક સભાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી સરદારધામ સંકુલની પણ મુલાકાત લેશે.

 

Frequently Asked Questions

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં કેટલા દિવસના પ્રવાસે છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કયા મંદિરમાં દર્શન કરશે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજા દિવસે સોમનાથ મંદિરમાં દર્શન કરશે.

સોમનાથ અમૃત મહોત્સવ દરમિયાન શું ખાસ ઉજવાશે?

સોમનાથ મંદિરના પુનઃસ્થાપનની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમનાથ અમૃત મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે કુંભ અભિષેક, ધ્વજવંદન અને મહાપૂજા થશે.

પ્રધાનમંત્રી મોદી વડોદરામાં કયા કાર્યક્રમમાં ભાગ લેશે?

પ્રધાનમંત્રી મોદી વડોદરામાં સરદાર ધામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને સરદારધામ છાત્રાલયનું ઉદ્ઘાટન કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Monsoon: ચોમાસા પર મોટો ખતરો, 'આ વર્ષે વરસાદ ઓછો, ગરમીનું વધશે જોર' -IMDની ડરાવનારી આગાહી
Monsoon: ચોમાસા પર મોટો ખતરો, 'આ વર્ષે વરસાદ ઓછો, ગરમીનું વધશે જોર' -IMDની ડરાવનારી આગાહી
Rain: સવારથી જ વાતાવરણ પલટાયું, કયા-કયા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ખાબકી શકે છે વરસાદ
Rain: સવારથી જ વાતાવરણ પલટાયું, કયા-કયા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ખાબકી શકે છે વરસાદ
છોટા ઉદેપુરમાં ભાજપ સાંસદ જસુ રાઠવા સામે પોલીસ ફરિયાદ, એબીપી અસ્મિતાના 'હું તો બોલીશ'ના અહેવાલની ધારદાર અસર
છોટા ઉદેપુરમાં ભાજપ સાંસદ જસુ રાઠવા સામે પોલીસ ફરિયાદ, એબીપી અસ્મિતાના 'હું તો બોલીશ'ના અહેવાલની ધારદાર અસર
Rain: ગરમીમાં રાહતના સમાચાર, આવતીકાલથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ખાબકશે વરસાદ
Rain: ગરમીમાં રાહતના સમાચાર, આવતીકાલથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ખાબકશે વરસાદ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના નિશાને મહારાજ સાહેબ ?
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરોમાં મેયરરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આપણી ઈમ્પેક્ટ
Ambalal Patel Prediction : 7 અને 8 જૂને ભારે વરસાદનો ખતરો! અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast: આકરી ગરમી બાદ આવતીકાલથી રાજ્યમાં વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી
IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા  IPL ઈતિહાસમાં સૌથી ઝડપી 1000 રન, સચિન સહિત ઘણા દિગ્ગજોએ પાછળ છોડ્યા 
વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા  IPL ઈતિહાસમાં સૌથી ઝડપી 1000 રન, સચિન સહિત ઘણા દિગ્ગજોએ પાછળ છોડ્યા 
ક્વોલિફાયર-2 માં RR ની પ્રથમ બેટિંગ, ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાં આ શાનદાર બોલરની વાપસી  
ક્વોલિફાયર-2 માં RR ની પ્રથમ બેટિંગ, ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાં આ શાનદાર બોલરની વાપસી  
8th Pay Commission: 8માં પગાર પંચમાં મોટો પગાર વધારો મુશ્કેલ! સરકાર અપનાવી શકે છે આ ફોર્મૂલા 
8th Pay Commission: 8માં પગાર પંચમાં મોટો પગાર વધારો મુશ્કેલ! સરકાર અપનાવી શકે છે આ ફોર્મૂલા 
વૈભવ સૂર્યવંશીના નામે IPL માં નોંધાયો મોટો રેકોર્ડ, બન્યો 700 રનનો આંકડો પાર કરનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી
વૈભવ સૂર્યવંશીના નામે IPL માં નોંધાયો મોટો રેકોર્ડ, બન્યો 700 રનનો આંકડો પાર કરનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી
Gujarat Rain: ગરમીથી મળશે રાહત, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain: ગરમીથી મળશે રાહત, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઋષભ પંતે LSGની કેપ્ટનશીપ છોડી, સતત બે ખરાબ સિઝન બાદ લીધો મોટો નિર્ણય
ઋષભ પંતે LSGની કેપ્ટનશીપ છોડી, સતત બે ખરાબ સિઝન બાદ લીધો મોટો નિર્ણય
Embed widget