શોધખોળ કરો

સોમનાથઃ પીએમ મોદીએ અનેક પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- આસ્થાને આતંકથી કચડી ન શકાય

પીએમ મોદી દ્વારા આજે ઉદ્ઘાટન કરાયેલા પ્રોજેક્ટ્સમાં સોમનાથ વોકવે, સોમનાથ પ્રદર્શન કેન્દ્ર અને જૂના (જુના) સોમનાથ મંદિરનું સમારકા કરવામાં આવ્યું તે પરિસર સામેલ છે.

સોમનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના સોમનાથમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ સિવાય તેમણે અહીં પાર્વતી માતા મંદિરનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા.

કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આ મારું સૌભાગ્ય છે કે સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે મને આ પવિત્ર સ્થળની સેવા કરવાની તક મળી રહી છે. આજે ફરી આપણે બધા આ પવિત્ર યાત્રાધામના કાયાકલ્પના સાક્ષી છીએ. તેમણે કહ્યું, “આજે મને નવીનીકરણ બાદ નવા સ્વરૂપમાં સમુદ્ર દર્શન પાથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી અને જુના સોમનાથ મંદિરનું ઉદ્ઘાટન કરવાનો લહાવો મળ્યો છે. તેમજ આજે પાર્વતી માતા મંદિરનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે.”

પીએમ મોદીએ કહ્યું કે, આજે હું લોકમાતા અહલ્યાબાઈ હોલકરને પણ નમન કરું છું, જેમણે વિશ્વનાથથી સોમનાથ સુધીના ઘણા મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો હતો. પ્રાચીનતા અને આધુનિકતાનો સંગમ જે તેમના જીવનમાં હતો, આજે દેશ તેને પોતાનો આદર્શ માનીને આગળ વધી રહ્યો છે.

આતંકથી આસ્થાને કચડી શકાતી નથી: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે આ એવી જગ્યા છે જે હજારો વર્ષો પહેલા આપણા ઋષિમુનિઓએ જ્ઞાનનું ક્ષેત્ર ગણાવ્યું હતું. જે આજે પણ આખા વિશ્વ સામે આહ્વાન કરી રહ્યું છે કે, સત્યને અસત્યથી હરાવી શકાતું નથી. આસ્થાને આતંકથી કચડી શકાતી નથી. તેમણે કહ્યું કે સેંકડો વર્ષોના ઈતિહાસમાં આ મંદિર કેટલી વાર તૂટી ગયું, અહીંની મૂર્તિઓ ખંડિત થઈ ગઈ, તેના અસ્તિત્વને ભસ્મીભૂત કરી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ જેટલી પણ વખત તેને તોડવામાં આવ્યું તેટલી વઘત તે ફરી ઉભું થયું. છે.

પીએમ મોદી દ્વારા આજે ઉદ્ઘાટન કરાયેલા પ્રોજેક્ટ્સમાં સોમનાથ વોકવે, સોમનાથ પ્રદર્શન કેન્દ્ર અને જૂના (જુના) સોમનાથ મંદિરનું સમારકા કરવામાં આવ્યું તે પરિસર સામેલ છે.

47 કરોડના ખર્ચે બન્યો સોમનાથ વોકવે

રૂ. 47 કરોડથી વધુના ખર્ચે 'પ્રસાદ (યાત્રાધામ કાયાકલ્પ અને આધ્યાત્મિક, હેરિટેજ પ્રમોશન ઝુંબેશ) યોજના હેઠળ સોમનાથ રિસોર્ટ વિકસાવવામાં આવ્યો છે. 'ટુરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર' ના પરિસરમાં વિકસિત સોમનાથ પ્રદર્શન કેન્દ્ર, જૂના સોમનાથ મંદિરના ખંડિત ભાગો અને જૂના સોમનાથના નાગર શૈલીના મંદિર સ્થાપત્ય શિલ્પોનું પ્રદર્શન કરે છે.

જૂના સોમનાથના જીર્ણોદ્ધાર મંદિર સંકુલને સોમનાથ ટ્રસ્ટ દ્વારા કુલ 3.5 કરોડના ખર્ચ સાથે પૂર્ણ કરવામાં આવ્યું છે. આ મંદિર 'અહિલ્યાબાઈ મંદિર' તરીકે પણ ઓળખાય છે, કારણ કે તે ઈન્દોરની રાણી અહિલ્યાબાઈ દ્વારા બાંધવામાં આવ્યું હતું જ્યારે તેમણે જોયું કે જૂનું મંદિર ખંડેરમાં ફેરવાઈ ગયું છે.

યાત્રાળુઓની સુરક્ષાની સાથે સાથે મંદિરની ક્ષમતા પણ વધશે

યાત્રાળુઓની સલામતી સાથે તેની ક્ષમતા વધારવા માટે સમગ્ર જૂના મંદિર સંકુલનો સંપૂર્ણ વિકાસ કરવામાં આવ્યો છે. કુલ રૂ .30 કરોડના ખર્ચ સાથે શ્રી પાર્વતી મંદિરનું નિર્માણ કરવાની દરખાસ્ત છે. જેમાં સોમપુરા સલાટ શૈલીમાં મંદિરનું નિર્માણ, ગર્ભગૃહનો વિકાસ અને નૃત્ય મંડપનો સમાવેશ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Paris Olympics:ઓલિમ્પિકમાં રમવા જઇ રહેલા ખેલાડીઓને મળ્યા PM મોદી, કહ્યુ- 2036નો દાવો મજબૂત કરશે તમારો અનુભવ
Paris Olympics:ઓલિમ્પિકમાં રમવા જઇ રહેલા ખેલાડીઓને મળ્યા PM મોદી, કહ્યુ- 2036નો દાવો મજબૂત કરશે તમારો અનુભવ
Embed widget