શોધખોળ કરો

સોમનાથઃ પીએમ મોદીએ અનેક પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- આસ્થાને આતંકથી કચડી ન શકાય

પીએમ મોદી દ્વારા આજે ઉદ્ઘાટન કરાયેલા પ્રોજેક્ટ્સમાં સોમનાથ વોકવે, સોમનાથ પ્રદર્શન કેન્દ્ર અને જૂના (જુના) સોમનાથ મંદિરનું સમારકા કરવામાં આવ્યું તે પરિસર સામેલ છે.

સોમનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના સોમનાથમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ સિવાય તેમણે અહીં પાર્વતી માતા મંદિરનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા.

કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આ મારું સૌભાગ્ય છે કે સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે મને આ પવિત્ર સ્થળની સેવા કરવાની તક મળી રહી છે. આજે ફરી આપણે બધા આ પવિત્ર યાત્રાધામના કાયાકલ્પના સાક્ષી છીએ. તેમણે કહ્યું, “આજે મને નવીનીકરણ બાદ નવા સ્વરૂપમાં સમુદ્ર દર્શન પાથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી અને જુના સોમનાથ મંદિરનું ઉદ્ઘાટન કરવાનો લહાવો મળ્યો છે. તેમજ આજે પાર્વતી માતા મંદિરનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે.”

પીએમ મોદીએ કહ્યું કે, આજે હું લોકમાતા અહલ્યાબાઈ હોલકરને પણ નમન કરું છું, જેમણે વિશ્વનાથથી સોમનાથ સુધીના ઘણા મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો હતો. પ્રાચીનતા અને આધુનિકતાનો સંગમ જે તેમના જીવનમાં હતો, આજે દેશ તેને પોતાનો આદર્શ માનીને આગળ વધી રહ્યો છે.

આતંકથી આસ્થાને કચડી શકાતી નથી: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે આ એવી જગ્યા છે જે હજારો વર્ષો પહેલા આપણા ઋષિમુનિઓએ જ્ઞાનનું ક્ષેત્ર ગણાવ્યું હતું. જે આજે પણ આખા વિશ્વ સામે આહ્વાન કરી રહ્યું છે કે, સત્યને અસત્યથી હરાવી શકાતું નથી. આસ્થાને આતંકથી કચડી શકાતી નથી. તેમણે કહ્યું કે સેંકડો વર્ષોના ઈતિહાસમાં આ મંદિર કેટલી વાર તૂટી ગયું, અહીંની મૂર્તિઓ ખંડિત થઈ ગઈ, તેના અસ્તિત્વને ભસ્મીભૂત કરી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ જેટલી પણ વખત તેને તોડવામાં આવ્યું તેટલી વઘત તે ફરી ઉભું થયું. છે.

પીએમ મોદી દ્વારા આજે ઉદ્ઘાટન કરાયેલા પ્રોજેક્ટ્સમાં સોમનાથ વોકવે, સોમનાથ પ્રદર્શન કેન્દ્ર અને જૂના (જુના) સોમનાથ મંદિરનું સમારકા કરવામાં આવ્યું તે પરિસર સામેલ છે.

47 કરોડના ખર્ચે બન્યો સોમનાથ વોકવે

રૂ. 47 કરોડથી વધુના ખર્ચે 'પ્રસાદ (યાત્રાધામ કાયાકલ્પ અને આધ્યાત્મિક, હેરિટેજ પ્રમોશન ઝુંબેશ) યોજના હેઠળ સોમનાથ રિસોર્ટ વિકસાવવામાં આવ્યો છે. 'ટુરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર' ના પરિસરમાં વિકસિત સોમનાથ પ્રદર્શન કેન્દ્ર, જૂના સોમનાથ મંદિરના ખંડિત ભાગો અને જૂના સોમનાથના નાગર શૈલીના મંદિર સ્થાપત્ય શિલ્પોનું પ્રદર્શન કરે છે.

જૂના સોમનાથના જીર્ણોદ્ધાર મંદિર સંકુલને સોમનાથ ટ્રસ્ટ દ્વારા કુલ 3.5 કરોડના ખર્ચ સાથે પૂર્ણ કરવામાં આવ્યું છે. આ મંદિર 'અહિલ્યાબાઈ મંદિર' તરીકે પણ ઓળખાય છે, કારણ કે તે ઈન્દોરની રાણી અહિલ્યાબાઈ દ્વારા બાંધવામાં આવ્યું હતું જ્યારે તેમણે જોયું કે જૂનું મંદિર ખંડેરમાં ફેરવાઈ ગયું છે.

યાત્રાળુઓની સુરક્ષાની સાથે સાથે મંદિરની ક્ષમતા પણ વધશે

યાત્રાળુઓની સલામતી સાથે તેની ક્ષમતા વધારવા માટે સમગ્ર જૂના મંદિર સંકુલનો સંપૂર્ણ વિકાસ કરવામાં આવ્યો છે. કુલ રૂ .30 કરોડના ખર્ચ સાથે શ્રી પાર્વતી મંદિરનું નિર્માણ કરવાની દરખાસ્ત છે. જેમાં સોમપુરા સલાટ શૈલીમાં મંદિરનું નિર્માણ, ગર્ભગૃહનો વિકાસ અને નૃત્ય મંડપનો સમાવેશ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
Embed widget