શોધખોળ કરો

ગુજરાત માટે ગર્વની વાત, રાજ્યમાં સિંહોની સંખ્યા વધીને 674 થઈ, જાણો કેટલા સિંહ અને કેટલી સિંહણ ?

આ સિંહોમાં પુખ્ત વયના 161 નર અને 260 માદા સિંહ એટલે કે સિંહણ છે. જ્યારે 45 નર અને 49 માદા પાઠડા (યુવાનીમાં પ્રવેશી રહેલા વનરાજો) નોંધાયા છે.

અમદાવાદઃ ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર એશિયામાં સિંહોના એક માત્ર નિવાસસ્થાન એવા ગીરમાં સિંહોની વસ્તી વધવાનો સિલસિલો ચાલુ છે. ગુજરાત વન વિભાગે બુધવારે સિંહોની વસતીના જાહેર કરેલા  આંકડા પ્રમાણે અત્યારે ગીરમાં અંદાજે 674 સિંહ છે. આ સિંહોમાં પુખ્ત વયના 161 નર અને 260 માદા સિંહ એટલે કે સિંહણ છે. જ્યારે 45 નર અને 49 માદા પાઠડા (યુવાનીમાં પ્રવેશી રહેલા વનરાજો) નોંધાયા છે. આ સિવાય 137 બચ્ચાં છે અને 22 વણઓળખાયેલા સિંહો છે. ગીરમાં 2015માં છેલ્લી ગણતરી થઈ ત્યારે 523 સિંહ હતા. આમ,  પાંચ વર્ષમાં સિંહોની વસતીમાં 28.87 ટકાનો જંગી વધારો નોંધાયો છે. આ પહેલાં 2015માં સિંહોની વસતીમાં 27 ટકા વધારો નોંધાયો હતો. ગુજરાત માટે ગર્વની વાત, રાજ્યમાં સિંહોની સંખ્યા વધીને 674 થઈ, જાણો કેટલા સિંહ અને કેટલી સિંહણ ? વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સિંહોની વસતીમાં થયેલા વધારા ગુજરાતને અભિનંદન આપ્યા હતા. તેમણે લખ્યું હતું કે, ' સિંહોની વસતીમાં આ વધારો સ્થાનિક લોકોના સહકારને કારણે થયો છે. ગીરમાં રહેતા માલધારી અને ગામવાસીઓ સિંહ સાથે હળી-મળીને રહે છે, તેના પરિણામે જ સિંહોની વસ્તી સતત વધતી રહે છે.' સિંહોની ગણતરી પ્રક્રિયા દરમિયાન વન વિભાગે સિંહોની સંખ્યા, તેની હર-ફરનો વિસ્તાર, રેડિયો કોલર પહેરાવ્યા હોય તેના નંબર, તસવીરો વગેરે વિગતો એકઠી કરી હતી. ગણતરી માટે વન વિભાગે કુલ નવ જિલ્લાના તમામ 13 ડિવિઝનનું જંગલ ખૂંદી નાંખ્યું હતું. 5  અને 6 જૂનના 24 કલાક દરમિયાન અવલોકન કામગીરી કરાઈ હતી અને 1400 જેટલા કર્મચારીઓ કામે લાગ્યા હતા. ગુજરાત માટે ગર્વની વાત, રાજ્યમાં સિંહોની સંખ્યા વધીને 674 થઈ, જાણો કેટલા સિંહ અને કેટલી સિંહણ ? પાંચ વર્ષ પહેલા સિંહો અંદાજે 22 હજાર ચોરસ કિલોમીટરમાં વિચરતા હતા, જે હવે વધીને 30 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ ચૂક્યા છે. સિંહ વિસ્તાર પણ 36 ટકા વધ્યો છે. સિંહનું સત્તાવાર જંગલ 1500 ચોરસ કિલોમીટર કરતાં ઓછુ છે, પરંતુ વનરાજોએ પોતાનો વિસ્તાર પોતાની જાતે મેળવી લીધો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget