શોધખોળ કરો

બાહોશ પોલીસ અધિકારી સુખદેવસિંહ ઝાલાની અણધારી વિદાય, નામ માત્રથી ગુનેગારો ફફડતા

પોલીસ ખાતાના ખરા અર્થમાં સિંધમ અધિકારી તરીકેની લોકોમાં છાપ ધરાવતા આ અધિકારીએ ગઈકાલે (રવિવારે) હૃદયરોગના હુમલાને કારણે ફાની દુનિયા છોડી દિધી. 

અમદાવાદ: 1980ના દાયકામાં જો કોઈ પોલીસ અધિકારી તરીકે નોકરી મેળવે તો સમાજમાં તેનો વટ અલગ જોવા મળતો.સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં IPS અધિકારીઓ કરતા ત્યાંના સ્થાનિક પોલીસ સબ ઈન્સપેકટરનો મોભો વધારે રહેતો. લોકોમાં પોલીસ અધિકારીની અમીટ છાપ ધરાવતા એવા જ એક બાહોશ પોલીસ અધિકારી એટલે સુખદેવસિંહ ઝાલા. પોલીસ ખાતાના ખરા અર્થમાં સિંધમ અધિકારી તરીકેની લોકોમાં છાપ ધરાવતા આ અધિકારીએ ગઈકાલે (રવિવારે) હૃદયરોગના હુમલાને કારણે ફાની દુનિયા છોડી દિધી.

1976માં પોલીસ સબ ઈન્સપેકટરથી કારર્કિદી શરુ કરનાર સુખદેવસિંહ 2011માં ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ તરીકે નિવૃત થયા હતા. તેમની જે શહેરમાં બદલી થતી ત્યાના ગુનેગારો શહેર છોડીને અન્ય જગ્યાએ જતા રહેતા. સૌરાષ્ટ્રના જામનગરના દાણચોરી માટે કુખ્યાત સલાયા હોય કે પછી ગેંગવોરથી ધમધમતા પોરબંદરમાં તેમની હાજરી માત્રથી ગુનાખોરી પર અંકુશ આવતો. 

તેમના નામ માત્રથી ગુનેગારો  ધ્રુજતા

સૌરાષ્ટ્રમાં મોટાભાગના જિલ્લાઓમાં જયારે  PSI તરીકે સુખદેવસિંહ ઝાલાની નિમણૂક થાય ત્યારે લોકોમાં ખુશીનો માહોલ છવાઈ જતો હતો કારણ એ હતું કે હવે ગુનેગારોની મનમાની નહીં ચાલે. કોઈપણ ગુનામાં તલસ્પર્શી તપાસ અને તેમાં ભલભલા મોટા રાજકીય ઓથ હેઠળ ગુનાખોરી કરનાર ગુનેગારોને નહીં છોડનાર અધિકારી એટલે સુખદેવસિંહ ઝાલા. પોરબંદરમાં નેવુના દાયકામાં ગેંગવોરને ખતમ કરવાનો જો કોઈને શ્રેય જાય તો તેમાં સુખદેવસિંહનો ફાળો ખૂબ જ મોટો હતો. પોરબંદરમાં ખારવા સમાજના વાણોટ અને બોટ એસોસિએશનના પ્રમુખ એવા જશુ ગગન શિયાળનું એન્કાઉન્ટર અને પછી શહેરની ગુનાખોરીમાં મેર અને ખારવા ગેંગસ્ટરોમાં તેમના નામનો ફફડાટ ફેલાયો. સુખદેવસિંહે  મીની શિકાગો ગણાતા પોરબંદરમાં શાંતિની શરુઆતના શ્રીગણેશ કર્યા. લોકો અન્યાય સામે લડતા હોય તો તપાસ સુખદેવસિંહ ઝાલા કરે તેવી માંગ અનેક વખત સરકાર સમક્ષ ઉઠતી અને તેમાં લોકોની અપેક્ષા સાચી પણ સાબિત થતી. 

સુખદેવસિંહને બે વર્ષનું એકસટેન્શન અપાયું હતું

આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લાના જેતપુર શહેરનો છે. વર્ષ 2006માં  શહેરના નામી તબીબ દંપતીના સગીર પુત્રનું અપહરણ થયુ.અપહરણકારોએ તેમની માંગ ન સંતોષાતા સગીર પુત્રની હત્યા કરી નાંખી. આ મુદે જેતપુરવાસીઓેમાં રોષ ભભુકી ઉઠયો.લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો અને બે દિવસના બંધ પછી હત્યા કેસની તપાસ સુખદેવસિંહને સોંપવાની માંગ ઉઠી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકરોષને ધ્યાને રાખી માંગ સ્વીકારી અને સુખદેવસિંહે ગણતરીના દિવસોમાં ગુનેગારોને ઝડપી અને જેલના સળીયા પાછળ ધકેલી દિધા. ગોંડલના નિલેશ રૈયાણી હત્યા કેસમાં સુખદેવસિંહે કોઈની પણ શેહશરમ રાખ્યા વગર કરેલી તપાસ લોકો આજે પણ યાદ કરે છે. તેમની લોકચાહના અને કાર્યપધ્ધતિના પગલે નિવૃતીના છેલ્લા દિવસે રાજય સરકારે ડીવાયએસપીનું પ્રમોશન આપી બે વર્ષનું એકસટેન્શન આપ્યું હતું.

તેમની કાર્યશૈલીથી પોલીસકર્મી પણ ગભરાતા

સુખદેવસિંહ નિવૃતી બાદ પોરબંદર અને જામનગર કોર્ટમાં કેસની મુદત વખતે હાજરી આપવા આવે ત્યારે કોર્ટમાં એક અલગ વાતાવરણ જોવા મળતુ હતું. પોરબંદરમાં ગુનાખોરીને ડામવા માટે તેમણે પહેલા Psi તરીકે  DSP એમ.એમ ઝાલાની નીચે અને બાદમાં થોડા વર્ષો બાદ ફરીથી બદલી થઈ Pi તરીકે  સતિષ વર્માની આગેવાની હેઠળ ગુનેગારોને કડક પાઠ ભણાવેલો. પોલીસ અધિકારી તરીકે તેઓ નખશિખ પ્રામાણિક અને શિસ્તનુ પાલન કરનાર હતા. તેમની કાર્યશૈલીથી પોલીસકર્મી પણ ગભરાતા. પોતાને કોઈ મોટા સપના ન હોવાને પગલે તેઓ પોલીસ અધિકારી તરીકે કામગીરી સારી રીતે કરી શકે છે તેવુ તેમના અનેક મિત્રોને જણાવી ચુકયા હતા. એટલે જ નિવૃતી બાદ તેઓએ સરળતા અને સાદાઈને અપનાવી તે વાતને સાર્થક પણ કરી બતાવી.

ઝમર ગામ ખાતે હજારો વૃક્ષોનું રોપણ કર્યું

ગાયત્રી માતાજીમાં અપાર શ્રધ્ધા ધરાવતા હોય તેમણે પીળા વસ્ત્રો ધારણ કરી ગાયત્રીની ઉપાસના કરી. પોતાના વતન સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઝમર ગામ ખાતે પર્યાવરણને જીવંત કરવાના સંકલ્પ સાથે હજારો વૃક્ષોનું રોપણ કરી તેનુ જતન કર્યુ.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ

વિડિઓઝ

LPG shortage crisis: રાજ્યમાં ગેસની અછતને જોતા છારોડી SGVP એ પૂરું પાડ્યું આગોતરા આયોજનનું ઉદાહરણ
MLA Mukesh Patel: ગેસની કાળાબજારી કરતા લોકોને ધારાસભ્ય મુકેશ પટેલની ચેતવણી
US Visa Fraud Case : USની નાગરિકતા માટે લૂંટનું નાટક રચનાર 11 ગુજરાતીની ધરપકડ
C R Patil Birthday: કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમો
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
Nepal: ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 7 લોકોના કરૂણ મોત
Nepal: ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 7 લોકોના કરૂણ મોત
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
મિડલ ઇસ્ટ જંગની અસર, ઇંડિગોની દુબઇ, અબુધાબી સહિતને ફ્લાઇટ રદ્દ, જાણો ડિટેલ
મિડલ ઇસ્ટ જંગની અસર, ઇંડિગોની દુબઇ, અબુધાબી સહિતને ફ્લાઇટ રદ્દ, જાણો ડિટેલ
Embed widget