શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતનું નવું નજરાણું: ગીરનાર પરનો રોપ-વે જાહેર જનતા માટે ક્યારે ખુલ્લો મુકાશે? જાણો
Junagadh Rope Way, Girnar Rope way, Ropeway likely to open on first day of Navratri, Junagadh News, Girnar News
![ગુજરાતનું નવું નજરાણું: ગીરનાર પરનો રોપ-વે જાહેર જનતા માટે ક્યારે ખુલ્લો મુકાશે? જાણો Ropeway on Girnar likely to open on first day of Navratri? ગુજરાતનું નવું નજરાણું: ગીરનાર પરનો રોપ-વે જાહેર જનતા માટે ક્યારે ખુલ્લો મુકાશે? જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/25135551/Rop-way.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગુજરાતના મોટા યાત્રાધામ ગણાતા ગિરનાર પર જવા માગતાં શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવામાં આવી રહેલો રોપ-વે આગામી 17મી ઓક્ટોબરે ખૂલ્લો મૂકવામાં આવે તેવી સંભાવના છે. 2007ના વર્ષમાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરનાર તે વખતના મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી આ રોપ-વેને ખૂલ્લો મૂકવા માટે ઉપસ્થિત રહે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે આ રોપ-વે પાછળ રૂપિયા 1.10 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ગીરનારમાં તૈયાર કરવામાં આવી રહેલા આ રોપ-વે સાથે અંદાજે 16 કેબિન કનેક્ટ કરવામાં આવશે. આ કેબિનમાં એક સાથે 16 લોકો ઉપર જઈ શકશે. રોપ-વ ચાલુ થયા બાદ યાત્રાળુ નવ જ મીનિટમાં ઉપર પહોંચી શકશે.
આ રોપ-વે સતત ફરતો જ રહેશે. તેમાં ઉપર પહોંચેલા યાત્રાળુને ઉતારતા ખાલી પડેલી કેબિનમાં પાછા ઉતરવા માગતા યાત્રાળુઓને બેસાડીને લઈ આવવામાં આવશે. યાત્રાળુઓને ઉપર દર્શન કરવા માટે એકાદ કલાક સુધી રહેવાનો સમય આપવામાં આવશે. ત્યારબાદ તેમને તે જ રોપવેમાં પાછા લઈ આવવામાં આવશે. આ રોપ-વેની ટિકીટ અંદાજે રૂપિયા 700 રાખવામાં આવે તેવી સંભાવના છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)