શોધખોળ કરો

Lok sabha 2024: વિવાદાસ્પદ નિવેદન બાદ રૂપાલાનું પહેલું સંબોધન, જાણો શું કહ્યુ, જુઓ વીડિયો

ક્ષત્રિય સમાજ પર કરેલા વિવાદિત નિવેદન બાદ રાજકોટથી પરષોતમ રૂપાલાએ પ્રચારના શ્રીગણેશ કર્યાં છે. વિવાદ બાદ પહેલા સંબોધનમાં તેમણે શું કહ્યું જાણો

Lok sabha 2024:રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોતમ રૂપાલા છેલ્લા કેટલાક સમયથી તેમને કરેલા ક્ષત્રિય સમાજ પરના નિવેદનને લઇને વિવાદોથી ઘેરાયેલા છે. તેમણે કરેલા વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ છે અને ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી રહી છે. આ બધાની વચ્ચે ગઇકાલે દિલ્હીથી પરત ફર્યા બાદ પરષોતમ રૂપાલાએ લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. તેઓ આજે મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રવચન દ્રારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યો હતા. ઉલ્લેખનિય છે કે, તેમને કરેલા વિવાદના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. વિવાદ બાદ તેમનું આ પહેલું જાહેર પ્રવચન છે. તો જાણીએ કે રાજકોટની ચૂંટણી  પ્રચાર જનસભામાં તેમણે શું સંબોધન કર્યું,

વિવાદ બાદ પરશોત્તમ રૂપાલાનું પ્રથમ ભાષણ

પરષોતમ રૂપાલાએ મહિલા સંમેલનમાં મોદી સરકારે મહિલાઓ માટે કરેલા કાર્યો અને યોજનાની વાત કરી હતી. સભાને સંબોધતા કહ્યું કે, “મોદી સરકારે ડિફેન્સ સ્કૂલ દેશની દિકરીઓ માટે ખોલી, ડિફેન્સ સ્કૂલ એક  સમયે માત્ર દીકરા  માટે જ હતી આજે મોદી સરકારે બહેનો માટે તેના દ્વાર ખોલી દીધા.આવી અનેક અદભૂત યોજના દ્રારા મહિલાના વિકાસ માટે મોદી સરકારે કામ કર્યું. માતૃશક્તિ માટે મોદી સરકારમાં અનેક યોજનાઓ શરૂ કરી. પ્રસુતિ મહિલાઓને ડિલિવરી બાદ ઘરે મુકવા જવાની યોજના માત્ર આપણા રાજ્યમાં મોદી સરકારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ શરૂ કરી” પરષોતમ રૂપાલાએ મહિલા સંમેલનનમાં ભાજપ સરકારે મહિલા માટે શરૂ કરેલી યોજનાનો ઉલ્લેખ કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, ક્ષત્રિય સમાજ માટે કરેલા વિવાદિત નિવેદન બાદ તેઓએ આજે પ્રચારના શ્રીગણેશ કરતા રહેલા જાડેજા કુળના કુળદેવી માતા આશાપુરાજીના દર્શનથી પ્રચારની શરુઆત કરી હતી. જનસભાને સંબોધતા તેમણે જણાવ્યું કે, આગામી સમયમાં ટિફિન બેઠક દ્વારા આપણે મહિલાઓ સાથે સંવાદ કરીશું અને મહિલાઓની રજૂઆતને સાંભળીશું.  

નિવેદનનનો શું છે સમગ્ર વિવાદ 

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં તેઓ ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, તેમણે આગળ કહ્યું હતું.તેઓ આગળ કહે છે કે, “એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા” આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જો કે આ નિવેદનને લઇને તેઓ માફી પણ માગી ચૂક્યાં છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Embed widget