શોધખોળ કરો

Big Breaking: ધોરણ 10 અને 12માં ઝીરો રિઝલ્ટવાળી શાળાઓ પર આવશે તવાઈ, શિક્ષકો ઉપર પણ લેવાશે પગલાં

રાજ્ય સરકાર રાજ્યમાં ઘટતા જતા શિક્ષણના સ્તરને લઇને ચિંતિત બની છે, સરકાર હવે એક્શન મૉડમાં આવી છે.

ગુજરાતઃ રાજ્ય સરકાર રાજ્યમાં ઘટતા જતા શિક્ષણના સ્તરને લઇને ચિંતિત બની છે, સરકાર હવે એક્શન મૉડમાં આવી છે. તાજેતરમાં જ લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12માં ઓછુ પરિણામ લાવનારી શાળાઓ પર કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. માહિતી છે કે, રાજ્યમાં ઓછુ પરિણામ આપનારી શાળાઓને બંધ કરવામાં આવશે. 

મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં તાજેતરમાં લેવાયેલી ધોરણ 10 અને 12માં ઝીરો રિઝલ્ટવાળી શાળાઓ તવાઈ આવશે, એટલે કે રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે. આ વર્ષે જે શાળાનું ઝીરો રિઝલ્ટ આવ્યું છે તે બંધ કરવામાં આવશે, ઝીરો રિઝલ્ટ આપનારી સ્વ નિર્ભર શાળાઓ બંધ કરવામાં આવશે, જે ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓનું પરિણામ ઝીરો આવ્યું છે તેની ગ્રાન્ટમાં પણ કાપવામાં આવશે, એટલુ જ નહીં ઝીરો પરિણામ વાળી સરકારી શાળાઓના શિક્ષકો ઉપર પગલાં ભરવામા આવશે. આ તમામ કાર્યવાહીમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમીક્ષા કરવામાં આવશે. આ સમીક્ષા બાદ આગામી દિવસોમાં આ નિર્ણય જાહેર કરવામાં આવી શકે છે. ચોંકાવનારી વાત એ છે કે, આ વર્ષે ધોરણ 10ની 157 શાળાઓનું પરિણામ ઝીરો આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 27 અને વિજ્ઞાન પ્રવાહમાં 49 શાળાઓનું પરિણામ ઝીરો આવ્યું છે.

ધો.12 સામાન્ય પરિણામમાં આ વિષયમાં સૌથી વધુ નાપાસ થયા વિદ્યાર્થીઓ, જાણો ગુજરાતીની શું છે સ્થિતિ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે.. જોકે આશ્ચર્યની વાત એ છે કે વર્ષ 2022ની સરખામણીએ આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 13 ટકા ઓછું આવ્યું છે. ગત વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા હતું જે આ વર્ષે ઘટીને 73.27 ટકા થઈ ગયું છે. બોર્ડના અધિકારીનું કહેવું છે કે, કોરોનાકાળમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, શાળાઓ બંધ રહી હતી, ઓનલાઇન શિક્ષણ મેળવ્યું હતું અને ગયા વર્ષની સરખામણીએ 58 હજાર બાળકો વધુ હોવાના કારણે પરિણામ પર અસર જોવા મળી છે અને પરિણામની ટકાવારી ઘટી છે. વર્ષ 2022ની સરખામણીએ આ વર્ષે એટલેકે વર્ષ 2023નું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 13 ટકા ઘટયું છે... પરિણામે માત્ર નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા જ વધી છે એવુ નહિ સારું પરિણામ લાવનાર શાળાઓ અને કેન્દ્રની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ઇંગ્લિશ સેકન્ડ લેન્ગવેજ વિષયમાં 54239 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગુજરાતી ફર્સ્ટ લેન્ગવેજ વિષયમાં 34089 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. 

કયા વિષયમાં કેટલા વિદ્યાર્થીઓ થયા નાપાસ

  • ગુજરાતી ફર્સ્ટ લેન્ગવેજ વિષયમાં 34089 વિદ્યાર્થીઓ નાપાસ
  • ઇંગ્લિશ ફર્સ્ટ લેન્ગવેજ વિષયમાં 2353 વિદ્યાર્થીઓ નાપાસ
  • હિન્દી સેકન્ડ લેન્ગવેજ વિષયમાં 8473 વિદ્યાર્થીઓ નાપાસ
  • ઇંગ્લિશ સેકન્ડ લેન્ગવેજ વિષયમાં 54239 વિદ્યાર્થીઓ નાપાસ
  • અર્થશાસ્ત્ર વિષયમાં 38945 વિદ્યાર્થીઓ નાપાસ થયા
  • વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં 22333 વિદ્યાર્થીઓ નાપાસ
  • સંસ્કૃત વિષયમાં 27739 વિદ્યાર્થીઓ નાપાસ
  • આંકડાશાસ્ત્ર વિષયમાં 27247 વિદ્યાર્થીઓ નાપાસ
  • તત્વજ્ઞાન વિષયમાં 29565 વિદ્યાર્થીઓ નાપાસ
  • સમાજશાસ્ત્ર વિષયમાં 19303 વિદ્યાર્થીઓ નાપાસ
  • મનોવિજ્ઞાન વિષયમાં 18324 વિદ્યાર્થીઓ નાપાસ
  • ભૂગોળ વિષયમાં 21687 વિદ્યાર્થીઓ નાપાસ
  • એલીમેન્ટ ઓફ એકાઉન્ટ વિષયમાં 28519 વિદ્યાર્થીઓ નાપાસ
  • કોમ્પ્યુટર T વિષયમાં 12549 વિદ્યાર્થીઓ નાપાસ

ધો. 12 સામાન્ય પ્રવાહ પરિણામની મોટી વાતો

  • ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર 
  • 477392 વિદ્યાર્થીઓ ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે નોંધાયા હતા
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓનું 67.03 ટકા પરિણામ
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા પરિણામ જાહેર થયું છે
  • 311 શાળાઓનું 100 ટકા પરિણામ
  • રાજ્યની 44 શાળાઓનું 10 ટકા કરતા ઓછુ પરિણામ
  • 84.59 ટકા પરિણામ સાથે કચ્છ જિલ્લો નંબર વન
  • 54.67 ટકા પરિણામ સાથે દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ
  • 1875 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ
  • 21,038 વિદ્યાર્થીઓએ મેળવ્યો A2 ગ્રેડ
  • 52,291 વિદ્યાર્થીઓએ મેળવ્યો B1 ગ્રેડ
  • 83,596 વિદ્યાર્થીઓએ મેળવ્યો B2 ગ્રેડ
  • 1,01, 797 વિદ્યાર્થીઓએ મેળવ્યો C1 ગ્રેડ
  • 77,043 વિદ્યાર્થીઓએ મેળવ્યો C2 ગ્રેડ
  • 12,020 વિદ્યાર્થીઓએ મેળવ્યો D ગ્રેડ
  • સૌથી વધુ પરિણામ   95.85 ટકા સાથે ધાગધ્રાનું છે

ધો. 12 સામાન્ય પ્રવાહ પરિણામની મોટી વાતો

  • ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓનું 67.03 ટકા પરિણામ
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા પરિણામ જાહેર થયું છે
  • 311 શાળાઓનું 100 ટકા પરિણામ
  • રાજ્યની 44 શાળાઓનું 10 ટકા કરતા ઓછુ પરિણામ
  • 84.59 ટકા પરિણામ સાથે કચ્છ જિલ્લો નંબર વન
  • 54.67 ટકા પરિણામ સાથે દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ
  • 1875 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ
  • 21,038 વિદ્યાર્થીઓએ મેળવ્યો A2 ગ્રેડ
  • 52,291 વિદ્યાર્થીઓએ મેળવ્યો B1 ગ્રેડ
  • 83,596 વિદ્યાર્થીઓએ મેળવ્યો B2 ગ્રેડ
  • 1,01, 797 વિદ્યાર્થીઓએ મેળવ્યો C1 ગ્રેડ
  • 77,043 વિદ્યાર્થીઓએ મેળવ્યો C2 ગ્રેડ
  • 12,020 વિદ્યાર્થીઓએ મેળવ્યો D ગ્રેડ
  • સૌથી વધુ પરિણામ   95.85 ટકા સાથે ધાગધ્રાનું છે
  • ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 13 ટકા ઓછું પરિણામ આવ્યું છે.
  • દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે.
  • સૌથી વધુ પરિણામ  95.85 ટકા સાથે ધાગધ્રાનું છે

-

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget