શોધખોળ કરો

Big Breaking: ધોરણ 10 અને 12માં ઝીરો રિઝલ્ટવાળી શાળાઓ પર આવશે તવાઈ, શિક્ષકો ઉપર પણ લેવાશે પગલાં

રાજ્ય સરકાર રાજ્યમાં ઘટતા જતા શિક્ષણના સ્તરને લઇને ચિંતિત બની છે, સરકાર હવે એક્શન મૉડમાં આવી છે.

ગુજરાતઃ રાજ્ય સરકાર રાજ્યમાં ઘટતા જતા શિક્ષણના સ્તરને લઇને ચિંતિત બની છે, સરકાર હવે એક્શન મૉડમાં આવી છે. તાજેતરમાં જ લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12માં ઓછુ પરિણામ લાવનારી શાળાઓ પર કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. માહિતી છે કે, રાજ્યમાં ઓછુ પરિણામ આપનારી શાળાઓને બંધ કરવામાં આવશે. 

મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં તાજેતરમાં લેવાયેલી ધોરણ 10 અને 12માં ઝીરો રિઝલ્ટવાળી શાળાઓ તવાઈ આવશે, એટલે કે રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે. આ વર્ષે જે શાળાનું ઝીરો રિઝલ્ટ આવ્યું છે તે બંધ કરવામાં આવશે, ઝીરો રિઝલ્ટ આપનારી સ્વ નિર્ભર શાળાઓ બંધ કરવામાં આવશે, જે ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓનું પરિણામ ઝીરો આવ્યું છે તેની ગ્રાન્ટમાં પણ કાપવામાં આવશે, એટલુ જ નહીં ઝીરો પરિણામ વાળી સરકારી શાળાઓના શિક્ષકો ઉપર પગલાં ભરવામા આવશે. આ તમામ કાર્યવાહીમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમીક્ષા કરવામાં આવશે. આ સમીક્ષા બાદ આગામી દિવસોમાં આ નિર્ણય જાહેર કરવામાં આવી શકે છે. ચોંકાવનારી વાત એ છે કે, આ વર્ષે ધોરણ 10ની 157 શાળાઓનું પરિણામ ઝીરો આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 27 અને વિજ્ઞાન પ્રવાહમાં 49 શાળાઓનું પરિણામ ઝીરો આવ્યું છે.

ધો.12 સામાન્ય પરિણામમાં આ વિષયમાં સૌથી વધુ નાપાસ થયા વિદ્યાર્થીઓ, જાણો ગુજરાતીની શું છે સ્થિતિ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે.. જોકે આશ્ચર્યની વાત એ છે કે વર્ષ 2022ની સરખામણીએ આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 13 ટકા ઓછું આવ્યું છે. ગત વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા હતું જે આ વર્ષે ઘટીને 73.27 ટકા થઈ ગયું છે. બોર્ડના અધિકારીનું કહેવું છે કે, કોરોનાકાળમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, શાળાઓ બંધ રહી હતી, ઓનલાઇન શિક્ષણ મેળવ્યું હતું અને ગયા વર્ષની સરખામણીએ 58 હજાર બાળકો વધુ હોવાના કારણે પરિણામ પર અસર જોવા મળી છે અને પરિણામની ટકાવારી ઘટી છે. વર્ષ 2022ની સરખામણીએ આ વર્ષે એટલેકે વર્ષ 2023નું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 13 ટકા ઘટયું છે... પરિણામે માત્ર નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા જ વધી છે એવુ નહિ સારું પરિણામ લાવનાર શાળાઓ અને કેન્દ્રની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ઇંગ્લિશ સેકન્ડ લેન્ગવેજ વિષયમાં 54239 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગુજરાતી ફર્સ્ટ લેન્ગવેજ વિષયમાં 34089 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. 

કયા વિષયમાં કેટલા વિદ્યાર્થીઓ થયા નાપાસ

  • ગુજરાતી ફર્સ્ટ લેન્ગવેજ વિષયમાં 34089 વિદ્યાર્થીઓ નાપાસ
  • ઇંગ્લિશ ફર્સ્ટ લેન્ગવેજ વિષયમાં 2353 વિદ્યાર્થીઓ નાપાસ
  • હિન્દી સેકન્ડ લેન્ગવેજ વિષયમાં 8473 વિદ્યાર્થીઓ નાપાસ
  • ઇંગ્લિશ સેકન્ડ લેન્ગવેજ વિષયમાં 54239 વિદ્યાર્થીઓ નાપાસ
  • અર્થશાસ્ત્ર વિષયમાં 38945 વિદ્યાર્થીઓ નાપાસ થયા
  • વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં 22333 વિદ્યાર્થીઓ નાપાસ
  • સંસ્કૃત વિષયમાં 27739 વિદ્યાર્થીઓ નાપાસ
  • આંકડાશાસ્ત્ર વિષયમાં 27247 વિદ્યાર્થીઓ નાપાસ
  • તત્વજ્ઞાન વિષયમાં 29565 વિદ્યાર્થીઓ નાપાસ
  • સમાજશાસ્ત્ર વિષયમાં 19303 વિદ્યાર્થીઓ નાપાસ
  • મનોવિજ્ઞાન વિષયમાં 18324 વિદ્યાર્થીઓ નાપાસ
  • ભૂગોળ વિષયમાં 21687 વિદ્યાર્થીઓ નાપાસ
  • એલીમેન્ટ ઓફ એકાઉન્ટ વિષયમાં 28519 વિદ્યાર્થીઓ નાપાસ
  • કોમ્પ્યુટર T વિષયમાં 12549 વિદ્યાર્થીઓ નાપાસ

ધો. 12 સામાન્ય પ્રવાહ પરિણામની મોટી વાતો

  • ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર 
  • 477392 વિદ્યાર્થીઓ ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે નોંધાયા હતા
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓનું 67.03 ટકા પરિણામ
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા પરિણામ જાહેર થયું છે
  • 311 શાળાઓનું 100 ટકા પરિણામ
  • રાજ્યની 44 શાળાઓનું 10 ટકા કરતા ઓછુ પરિણામ
  • 84.59 ટકા પરિણામ સાથે કચ્છ જિલ્લો નંબર વન
  • 54.67 ટકા પરિણામ સાથે દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ
  • 1875 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ
  • 21,038 વિદ્યાર્થીઓએ મેળવ્યો A2 ગ્રેડ
  • 52,291 વિદ્યાર્થીઓએ મેળવ્યો B1 ગ્રેડ
  • 83,596 વિદ્યાર્થીઓએ મેળવ્યો B2 ગ્રેડ
  • 1,01, 797 વિદ્યાર્થીઓએ મેળવ્યો C1 ગ્રેડ
  • 77,043 વિદ્યાર્થીઓએ મેળવ્યો C2 ગ્રેડ
  • 12,020 વિદ્યાર્થીઓએ મેળવ્યો D ગ્રેડ
  • સૌથી વધુ પરિણામ   95.85 ટકા સાથે ધાગધ્રાનું છે

ધો. 12 સામાન્ય પ્રવાહ પરિણામની મોટી વાતો

  • ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓનું 67.03 ટકા પરિણામ
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા પરિણામ જાહેર થયું છે
  • 311 શાળાઓનું 100 ટકા પરિણામ
  • રાજ્યની 44 શાળાઓનું 10 ટકા કરતા ઓછુ પરિણામ
  • 84.59 ટકા પરિણામ સાથે કચ્છ જિલ્લો નંબર વન
  • 54.67 ટકા પરિણામ સાથે દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ
  • 1875 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ
  • 21,038 વિદ્યાર્થીઓએ મેળવ્યો A2 ગ્રેડ
  • 52,291 વિદ્યાર્થીઓએ મેળવ્યો B1 ગ્રેડ
  • 83,596 વિદ્યાર્થીઓએ મેળવ્યો B2 ગ્રેડ
  • 1,01, 797 વિદ્યાર્થીઓએ મેળવ્યો C1 ગ્રેડ
  • 77,043 વિદ્યાર્થીઓએ મેળવ્યો C2 ગ્રેડ
  • 12,020 વિદ્યાર્થીઓએ મેળવ્યો D ગ્રેડ
  • સૌથી વધુ પરિણામ   95.85 ટકા સાથે ધાગધ્રાનું છે
  • ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 13 ટકા ઓછું પરિણામ આવ્યું છે.
  • દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે.
  • સૌથી વધુ પરિણામ  95.85 ટકા સાથે ધાગધ્રાનું છે

-

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

India Independence Day: GSTમાં થશે સુધાર, સ્વતંત્રતા પર્વના અવસરે PM  મોદીએ કરી રાહતની જાહેરાત
India Independence Day: GSTમાં થશે સુધાર, સ્વતંત્રતા પર્વના અવસરે PM મોદીએ કરી રાહતની જાહેરાત
Independence Day 2025: સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કર્યુ ધ્વજવંદન, ગાંધીની ભૂમિ પરથી કરી સત્ય અને અહિંસાની વાત
Independence Day 2025: સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કર્યુ ધ્વજવંદન, ગાંધીની ભૂમિ પરથી કરી સત્ય અને અહિંસાની વાત
15 ઓગસ્ટના દિવસે બેંગલુરુમાં સિલિન્ડર વિસ્ફોટ,1 બાળકનું મોત,12 ઘાયલ
15 ઓગસ્ટના દિવસે બેંગલુરુમાં સિલિન્ડર વિસ્ફોટ,1 બાળકનું મોત,12 ઘાયલ
Independence Day 2025 PM Modi : સ્વતંત્રતા પર્વના અવસરે યુવાનો માટે કરી મોટી જાહેરાત, 15000નો મળશે લાભ
Independence Day 2025 PM Modi : સ્વતંત્રતા પર્વના અવસરે યુવાનો માટે કરી મોટી જાહેરાત, 15000નો મળશે લાભ
Advertisement

વિડિઓઝ

Gujarat Rains Update : ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ક્યાં ક્યાં તૂટી પડ્યો વરસાદ?
Dahod News: દાહોદના ત્રણ ખાતર ડેપોને નાયબ ખેતી નિયામકે ફટકારી નોટિસ
Independence Day 2025: પોરબંદરથી CM ભૂપેન્દ્ર પટેલનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : સેવાનું સન્માન
Hun To Bolish : હું તો બોલીશ : જુગારનો ખેલ !
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Independence Day: GSTમાં થશે સુધાર, સ્વતંત્રતા પર્વના અવસરે PM  મોદીએ કરી રાહતની જાહેરાત
India Independence Day: GSTમાં થશે સુધાર, સ્વતંત્રતા પર્વના અવસરે PM મોદીએ કરી રાહતની જાહેરાત
Independence Day 2025: સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કર્યુ ધ્વજવંદન, ગાંધીની ભૂમિ પરથી કરી સત્ય અને અહિંસાની વાત
Independence Day 2025: સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કર્યુ ધ્વજવંદન, ગાંધીની ભૂમિ પરથી કરી સત્ય અને અહિંસાની વાત
15 ઓગસ્ટના દિવસે બેંગલુરુમાં સિલિન્ડર વિસ્ફોટ,1 બાળકનું મોત,12 ઘાયલ
15 ઓગસ્ટના દિવસે બેંગલુરુમાં સિલિન્ડર વિસ્ફોટ,1 બાળકનું મોત,12 ઘાયલ
Independence Day 2025 PM Modi : સ્વતંત્રતા પર્વના અવસરે યુવાનો માટે કરી મોટી જાહેરાત, 15000નો મળશે લાભ
Independence Day 2025 PM Modi : સ્વતંત્રતા પર્વના અવસરે યુવાનો માટે કરી મોટી જાહેરાત, 15000નો મળશે લાભ
યુવાનોને કેવી રીતે મળશે 15 હજાર રૂપિયા, જાણો PM વિકસિત ભારત યોજનાના નિયમો
યુવાનોને કેવી રીતે મળશે 15 હજાર રૂપિયા, જાણો PM વિકસિત ભારત યોજનાના નિયમો
બોર્ડર 2 ની રિલીઝ ડેટ કન્ફર્મ, ફર્સ્ટ પોસ્ટર રિલીઝ, ભારત માટે લડતો જોવા મળ્યો સની દેઓલ
બોર્ડર 2 ની રિલીઝ ડેટ કન્ફર્મ, ફર્સ્ટ પોસ્ટર રિલીઝ, ભારત માટે લડતો જોવા મળ્યો સની દેઓલ
'નશો આ હિન્દુસ્તાનના સન્માનનો...', સચિન તેંડુલકર અને સેહવાગે સ્વતંત્રતા દિવસની આ રીતે પાઠવી શુભેચ્છા
'નશો આ હિન્દુસ્તાનના સન્માનનો...', સચિન તેંડુલકર અને સેહવાગે સ્વતંત્રતા દિવસની આ રીતે પાઠવી શુભેચ્છા
PM Modi Speech: 'આ વખતે ડબલ દિવાળી, GST માં નવા સુધારા થશે, કરોમાં થશે ભારે ઘટાડો, પીએમ મોદીનું એલાન
PM Modi Speech: 'આ વખતે ડબલ દિવાળી, GST માં નવા સુધારા થશે, કરોમાં થશે ભારે ઘટાડો, પીએમ મોદીનું એલાન
Embed widget