શોધખોળ કરો

Valsad: ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાનની ખુલ્લી પોલ, આ જગ્યાએ મંદિરમાં ભણવા મજબૂર છે વિદ્યાર્થીઓ

વલસાડ: શિક્ષણનો સ્તર ઊંચું લાવવા માટે સરકાર સતત ખર્ચ કરી રહી છે અને સ્કૂલ ચલે હમ અને પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા જેવા સ્લોગનો આપવામાં આવે છે. પણ જમીની હકીકત કઈંક જુદી જ છે.

વલસાડ: શિક્ષણનો સ્તર ઊંચું લાવવા માટે સરકાર સતત ખર્ચ કરી રહી છે અને સ્કૂલ ચલે હમ અને પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા જેવા સ્લોગનો આપવામાં આવે છે. પણ જમીની હકીકત કઈંક જુદી જ છે. અલગ અલગ વિભાગોની ફાઇલમાં આ બાળકોના ભણવાના ઓરડા ખોવાઈ જાય છે. વલસાડ જિલ્લામાં કોઇક જગ્યાએ ટેરેસ પર તો કોઈક જગ્યાએ મંદિરમાં તો કોઈક જગ્યાએ દૂધની ડેરીમાં બાળકો ભણી રહ્યા છે. ત્યારે એક સ્લોગન એવું પણ બની શકે કે પઢને કા મકાન હોગા તો હી તો પઢેગા બચ્ચા. વલસાડમાં ઓરડાને લઈને એક ઘટના સામે આવી છે.

રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં આજે પણ શિક્ષણ સ્તરે હજુ પણ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના ભદેલી ગામ એટલે દેશના માજી વડા પ્રધાન અને ભારત રત્ન સ્વ. મોરારજી દેસાઈના ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત બનતા બાળકોએ ખુલ્લામાં ટેરેસ પર અથવા એક સાથે બે ધોરણના બાળકોએ આચાર્યના ઓફિસમાં બેસી અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. નવાપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 117 જેટલા બાળકો અભ્યાસ કરે છે ત્યારે શાળામાં 8 ઓરડાઓ પૈકી 2 ઓરડાઓ ચાલુ છે. જેમાં એક આચાર્ય તથા શિક્ષકોની ઓફીસ છે ત્યારે બાળકોએ ખુલ્લામાં ન બેસવું પડે એ માટે આચાર્યની ઓફિસમાં ભણાવવામાં આવે છે. સાથે એક ઓરડામાં જ બંને ધોરણના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે તો અન્ય ધોરણના બાળકોને ટેરેસ પર બેસાડવામાં આવે છે.

બાળકો વધુ હોવાના કારણે બે બેચમાં બાળકોને બોલાવવામાં આવે છે. સાથે ધોરણ 1 અને 2 , ધોરણ 3 અને 4 ના બાળકોને સાથે બેસાડીને પણ અભ્યાસ કરવામાં આવે છે. નવાપુરા ખાતે આવેલી પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં થતા શિક્ષણ વિભાગ દ્રારા વર્ષ 2018માં તોડી પાડવાની મજૂરી આપી દેવામાં આવી હતી પરંતુ ઉલ્લેખનીય બાબત એ છે કે શાળા તોડી પાડવાની મંજૂરી આપવામાં આવી છે પણ નવા મકાનની કોઈ પણ મજૂરી ન મળતા શાળાનું કામ હજુ પણ શરૂ કરાયું નથી. વારંવાર શાળા માટે સ્થાનિકો તથા ગ્રામ પંચાયતના સભ્યો સરપંચ સહિતના લોકો દ્વારા રજુઆત કરવામાં આવી છે તેમ છતાં સંબંધિત વિભાગ દ્વારા શાળા બનાવવા માટે કોઈ પણ મંજૂરી ન મળતા બાળકોએ વરસાદ હોય ઠંડી હોય કે ગરમી હોય તેવા આચાર્યની ઓફિસમાં અથવા ટેરેસ પર બેસી ભણવાનો વારો આવ્યો છે.

આઝાદીના આટલા વર્ષો  બાદ પણ રાજ્યના છેવાડે આવેલા કપરાડા તાલુકાના અંતરિયાળ આદિવાસી અનેક ગામોમાં આવી હાલત છે. શાળાના ઓરડાઓ જર્જરીત થઈ ગયા છે. આથી ક્યાંક બાળકો જોખમી રીતે અભ્યાસ કરવા મજબૂત થઈ રહ્યા છે. તો ક્યાંક ઓરડાના અભાવે ખુલ્લામાં બાળકોને અભ્યાસ કરવો પડે છે. પરંતુ આ બાળકો  ગામના મંદિરમાં અભ્યાસ કરવા મજબૂત થઈ રહ્યા છે. ધોરણ એકથી પાંચના બાળકોને ગામના મંદિરના ગર્ભગૃહમાં જ એક સાથે બેસાડવામાં આવે છે. અને એક સાથે ત્રણ શિક્ષકો અહીંયા અભ્યાસ કરાવે છે. આથી એક સાથે ત્રણ શિક્ષકો પાંચ પાંચ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હોવાથી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. 

આથી શિક્ષકો પણ સ્વીકારી રહ્યા છે કે ગામમાં આ મોટી સમસ્યા છે.  શિક્ષકો પણ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે શાળાના નવા ઓરડાઓ બનાવવામાં આવે. તો સૂકલ બારી ગામ કપરાડા તાલુકાનું છેવાડાનું ગામ છે. જ્યાં મોટાભાગે આદિવાસી વસ્તી છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ પણ માની રહ્યા છે કે તેમના ગામની શાળા જર્જરીત થઈ ગઈ હોવાથી બાળકોને એક સાથે ગામના મંદિરમાં જ અભ્યાસ કરાવવા મજબૂર થવું પડ્યું છે. આથી વાલીઓ પણ માંગ કરી રહ્યા છે કે ગામમાં વહેલી તકે નવી શાળા બનાવવામાં આવે.

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા 758 ઓરડા વલસાડમાં મજુર કરવામાં આવ્યા છે જેની સંચાલન સમગ્ર શિક્ષા કચેરી દ્વારા કરવામાં આવી રહ્યું છે જે પૈકી 375 ઓરડાના વર્ક ઓર્ડર અપાઈ ચુક્યા છે. 135 ઓરડા બનવવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. હાલ 135 ઓરડા ટેન્ડર પ્રક્રિયામાં છે અને 248 ઓરડા રી ટેન્ડર પ્રક્રિયામાં છે. સાથે સાથે જર્જરિત શાળાને લઈને બાળકોનું હિત જળવાઈ રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાન સહિત અનેક અભિયાનો ચલાવવામાં આવે છે. શાળાઓને કરોડો રૂપિયાના ખર્ચે પ્રાથમિક સુવિધાઓથી સજજ કરવામાં આવી રહી હોવાના દાવાઓ પણ કરવામાં આવે છે. પરંતુ હજુ પણ રાજ્યના છેવાડાના વિસ્તારોમાં કેટલાક ગામોમાં પૂરતી સુવિધાઓ પહોંચી શકી નથી. આથી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના શુકલબારી ગામની મંદિરમાં ચાલતી આ શાળાના અને વલસાડ તાલુકાના હિંગરાજ નવાપુરા ફળિયાની શાળાના  દ્રશ્યો સરકારના દાવાઓની પોલ ખોલી રહ્યા છે. ત્યારે વહેલી તકે આ ગામની શાળા નવી બને અને મંદિરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં અભ્યાસ કરવાનું નસીબ સાંપડે તેવી લોકો માગ કરી રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  
Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  
અમદાવાદના મેયર બન્યા હિતેષ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી
અમદાવાદના મેયર બન્યા હિતેષ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય; ડિઝલની મર્યાદા કરવામાં આવી નિશ્ચિત, જાણો શું થશે ફાયદો?
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય; ડિઝલની મર્યાદા કરવામાં આવી નિશ્ચિત, જાણો શું થશે ફાયદો?

વિડિઓઝ

Ahmedabad Mayor News : અમદાવાદના નવા મેયર અને ડેપ્યૂટી મેયરની જાહેરાત
CNG Price Hike : પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પડ્યો ખેલ !
Hun To Bolish : હું તો બોલીશ : કેમ પાછુ પડ્યું આપણું ગામ?
Vadgam News : વડગામ તા. પં.ના પ્રમુખની ચૂંટણીમાં બબાલ, ભાજપે કોંગ્રેસના ઉમેદવારને ઉઠાવ્યાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર,  રાજકીય માહોલ ગરમાયો 
કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર,  રાજકીય માહોલ ગરમાયો 
Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  
Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ
SBI માં 364 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળશે,ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 364 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળશે,ચેક કરો કેલક્યુલેશન 
અમદાવાદના મેયર બન્યા હિતેષ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી
અમદાવાદના મેયર બન્યા હિતેષ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી
CNG Price Hike: પેટ્રોલ અને ડીઝલ પછી CNG પણ થયું મોંઘુ, 11 દિવસમાં ચોથી વખત વધ્યાં ભાવ, પ્રતિ કિલો 2 રૂપિયાનો વઘારો
CNG Price Hike: પેટ્રોલ અને ડીઝલ પછી CNG પણ થયું મોંઘુ, 11 દિવસમાં ચોથી વખત વધ્યાં ભાવ, પ્રતિ કિલો 2 રૂપિયાનો વઘારો
Stock Market Today: શેરબજારમાં ફરી કડાકો, સેંસેક્સ 200 પોઇન્ટ ડાઉન
Stock Market Today: શેરબજારમાં ફરી કડાકો, સેંસેક્સ 200 પોઇન્ટ ડાઉન
Embed widget