શોધખોળ કરો

Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા

Somnath Mandir: પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર 42 કલાક સતત ધર્મોત્સવ ઉજવવામાં આવશે

Somnath Mandir: દેશભરમાં શિવભક્તો માટે સૌથી મોટો તહેવાર આવતીકાલે છે, શિવરાત્રિ પર્વને લઇને હિન્દુ ધર્મમાં અનેક પ્રકારની પૂજા અને અર્ચનાનું મહત્વ સમજાવવામાં આવ્યુ છે. ગુજરાતમાં આ પર્વને વધુ ઉત્સાહભેર ઉજવવા માટે સોમનાથ મહાદેવ મંદિર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આયોજનની તૈયારીઓને લઇને સમાચાર છે કે, સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે સતત 42 કલાક ખુલ્લું રહેશે, એટલું જ નહીં આવતીકાલે મહાશિવરાત્રી પર્વને લઇને સવારે 9.30 વાગ્યાથી પાલખીયાત્રા નીકળશે. 

સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ અને ભક્તોને કોઇ સમસ્યાઓ ના નડે તે માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 3 દિવસ માટે લાઈટ એન્ડ સાઉન્ડ શૉ બંધ રાખવામાં આવ્યો છે. સ્વચ્છતા માટે પણ પ્રથમ વખત અહીં મોટા પાયે સ્ટ્રાઈકિંગ ફોર્સ તૈયાર રાખવામાં આવી છે. આવતીકાલે સવારે 4 વાગ્યે મંદિર ભક્તો માટે ખુલી દેવામાં આવશે. સવારે 7 વાગ્યે આરતી થશે અને બાદમાં 9.30 વાગ્યાથી પાલખીયાત્રા શરૂ કરાશે. 

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર 42 કલાક સતત ધર્મોત્સવ ઉજવવામાં આવશે. શિવરાત્રી પર્વ પર વર્ષના સૌથી વધુ ભક્તો સોમનાથ મંદિરમાં દર્શને પધારતા હોય છે. ગત વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ પર બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ એ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારે ભાવિકોના મહાસાગરને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉત્તમ યાત્રી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રત્યેક મહાશિવરાત્રીની જેમ સવારે 4:00 વાગ્યે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે. સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા કરી 9:30 કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી દર્શનાર્થીઓ માટે પાલખીયાત્રા યોજવામાં આવશે. વહેલી સવારથી જ શ્રી સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યાગનું આયોજન કરવામાં આવશે. તેમજ સોમનાથ આવનાર ભક્તોને 25₹માં મહામૃત્યુંજય યજ્ઞનો લાભ મળે તેવું આયોજન કરાયું છે. મંદિરમાં મહાશિવરાત્રીના પર્વ પર સોમેશ્વર મહાપૂજા પીઠિકાની સંખ્યા પણ બમણી કરવામાં આવી છે. મહાશિવરાત્રીની રાત્રિ પર ચાર પ્રહરની મહાપૂજા અને મહા આરતીનું પણ આયોજન કરાયું છે.

મહાશિવરાત્રી પર્વે શ્રી સોમનાથ મંદિર કાર્યક્રમ:  
દર્શન પ્રારંભ સવારે ૪-૦૦ કલાકે
પ્રાતઃમહાપૂજા પ્રારંભ ૬-૦૦ કલાકે
પ્રાતઃઆરતી ૭-૦૦ કલાકે
લઘુરૂદ્ર યાગ સવારે ૦૭:૩૦ થી (મંદિર યજ્ઞશાળામાં)
શ્રી પાર્થેશ્વર પૂજન સવારે ૦૮:૦૦ કલાકે, (મારૂતિ બીચ)
નુતન ધ્વજારોહણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવારે ૮-૩૦કલાકે
શ્રી સોમનાથ મહાદેવ પાલખી યાત્રા સવારે ૦૯:૦૦ કલાકે
શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા શાંતિ પાઠ સવારે ૦૯-૦૦ થી ૧૦-૦૦ કલાકે
શ્રી સોમનાથ પાઘ પૂજન તથા પાઘ શોભાયાત્રા ૧૦-૦૦ થી ૧૧-૦૦ શ્રી સોમનાથ મંદિર પરીસર
મધ્યાન્હ મહાપૂજા ૧૧-૦૦ કલાકે
મધ્યાન્હ આરતી બપોરે ૧૨-૦૦ કલાકે
મહાશિવરાત્રિએ યાત્રિકો દ્વારા નોંધાવવામાં આવેલ વિશેષ બિલ્વપૂજા બપોરે ૦૧-૩૦ થી ૦૨-૩૦ શ્રી સોમનાથ મંદિર ગર્ભગૃહ
મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ:બપોરે ૦૩-૦૦ થી ૦૬-૩૦ યજ્ઞશાળા, શ્રી સોમનાથ મંદિર
શ્રૃંગાર દર્શન ભસ્મ, રૂદ્રાક્ષ, બિલ્વપત્ર સાંજે ૪-૦૦ થી ૮-૩૦ (શિવરાત્રિ મહાત્મ્ય શ્રૃંગાર)
સંધ્યાવંદન તથા પુરુષુક્તનો પાઠ શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા સાંજ ૬-૦૦ થી ૬-૪૫ શ્રી સોમનાથ મંદિર પરીસર
સાયં આરતી સાંજે ૭-૦૦ કલાકે
શિવરાત્રી પ્રક્ષાલ પૂજન ૮-૩૦ કલાકે
શિવરાત્રી પ્રથમ પ્રહર પૂજન રાત્રે ૮-૪૫ કલાકે
શિવરાત્રી પ્રથમ પ્રહર આરતી ૯-૩૦ કલાકે
શિવરાત્રી જ્યોતપૂજન ૧૦-૧૫ કલાકે
શિવરાત્રી દ્વિતીય પ્રહર પૂજન પ્રારંભ મધ્યરાત્રે ૧૧-૦૦ કલાકે
શિવરાત્રી દ્વિતીય પ્રહર આરતી ૧૨-૩૦ કલાકે
શિવરાત્રી તૃતીય પ્રહર પૂજન પ્રારંભ ૨-૪૫ કલાકે
શિવરાત્રી તૃતીય પ્રહર આરતી ૩-૩૦ કલાકે
શિવરાત્રી ચતુર્થ પ્રહર પૂજન પ્રાતઃ ૪-૪૫ કલાકે
શિવરાત્રી ચતુર્થ પ્રહર આરતી: સવારે૫-૩૦ કલાકે

આ પણ વાંચો

Mahashivratri 2025: મહાશિવરાત્રી પર આખો દિવસ રહેશે ભદ્રા, જાણો ક્યા મુહૂર્તમાં કરશો ભગવાન શિવજીની પૂજા

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sunita Williams Return: સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી, ફ્લોરિડાના તટ પર થયા લેન્ડ જુઓ વીડિયો
Sunita Williams Return: સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી, ફ્લોરિડાના તટ પર થયા લેન્ડ જુઓ વીડિયો
Welcome Back: 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફરી સુનિતા વિલિયમ્સ, અંતરિક્ષથી ધરતીની યાત્રા 17 કલાકમાં કરી પૂર્ણ
Welcome Back: 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફરી સુનિતા વિલિયમ્સ, અંતરિક્ષથી ધરતીની યાત્રા 17 કલાકમાં કરી પૂર્ણ
સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી થતાં જ ટ્રમ્પે આપ્યું પહેલું રિએક્શન, શું બોલ્યા ?
સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી થતાં જ ટ્રમ્પે આપ્યું પહેલું રિએક્શન, શું બોલ્યા ?
13152 રન અને 133 વિકેટ... IPL પહેલા વિસ્ફોટક ક્રિકેટર લીધો ક્રિકેટમાંથી સન્યાસ, લૉર્ડ્સમાં ફટકારી હતી પ્રથમ સદી
13152 રન અને 133 વિકેટ... IPL પહેલા વિસ્ફોટક ક્રિકેટર લીધો ક્રિકેટમાંથી સન્યાસ, લૉર્ડ્સમાં ફટકારી હતી પ્રથમ સદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot: દારૂની બોટલ અને હુક્કા સાથે વાયરલ થયેલા વીડિયો બાદ ભાજપ મહિલા પ્રમુખે ધર્યુ રાજીનામું | 19-3-2025Ahmedabad: મનપાના AIMIMના કોર્પોરેટરનું પદ જોખમમાં, ત્રીજુ બાળક આવતા થયો નિયમ ભંગ અને.. Watch VideoAhmedabad: બેફામ થારચાલક આખરે આવ્યો પોલીસ સકંજામાં, પોલીસકર્મી પર કાર ચઢાવવાનો કર્યો હતો પ્રયાસAhmedabad Overload Truck: SG હાઈવે પર રાત્રે દોડી રહ્યા છે ઓવરલોડેડ ટ્રક, કાર્યવાહીના દાવાની ખૂલી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sunita Williams Return: સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી, ફ્લોરિડાના તટ પર થયા લેન્ડ જુઓ વીડિયો
Sunita Williams Return: સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી, ફ્લોરિડાના તટ પર થયા લેન્ડ જુઓ વીડિયો
Welcome Back: 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફરી સુનિતા વિલિયમ્સ, અંતરિક્ષથી ધરતીની યાત્રા 17 કલાકમાં કરી પૂર્ણ
Welcome Back: 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફરી સુનિતા વિલિયમ્સ, અંતરિક્ષથી ધરતીની યાત્રા 17 કલાકમાં કરી પૂર્ણ
સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી થતાં જ ટ્રમ્પે આપ્યું પહેલું રિએક્શન, શું બોલ્યા ?
સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી થતાં જ ટ્રમ્પે આપ્યું પહેલું રિએક્શન, શું બોલ્યા ?
13152 રન અને 133 વિકેટ... IPL પહેલા વિસ્ફોટક ક્રિકેટર લીધો ક્રિકેટમાંથી સન્યાસ, લૉર્ડ્સમાં ફટકારી હતી પ્રથમ સદી
13152 રન અને 133 વિકેટ... IPL પહેલા વિસ્ફોટક ક્રિકેટર લીધો ક્રિકેટમાંથી સન્યાસ, લૉર્ડ્સમાં ફટકારી હતી પ્રથમ સદી
Rang Panchami 2025: આજે રંગ પંચમી, જાણો આજના દિવસે શું કરાય છે
Rang Panchami 2025: આજે રંગ પંચમી, જાણો આજના દિવસે શું કરાય છે
Russia Ukraine War: શું રશિયા-યુક્રેન યુદ્ધ થશે સમાપ્ત?  ટ્રમ્પ અને  પુતિન વચ્ચે ફોન પર થઈ 2 કલાક વાતચીત
Russia Ukraine War: શું રશિયા-યુક્રેન યુદ્ધ થશે સમાપ્ત? ટ્રમ્પ અને પુતિન વચ્ચે ફોન પર થઈ 2 કલાક વાતચીત
Rang Panchami: હોળી બાદ આજે રંગ પંચમીનો ઉત્સવ, ક્યારે અને કઇ રીતે થઇ હતી આની શરૂઆત ?
Rang Panchami: હોળી બાદ આજે રંગ પંચમીનો ઉત્સવ, ક્યારે અને કઇ રીતે થઇ હતી આની શરૂઆત ?
વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય
વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય
Embed widget