શોધખોળ કરો

ભરૂચના અંકલેશ્વરમાં રામના મંદિર સાથે PM મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથની પ્રતિમા સ્થાપિત કરી

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક મીઠા ફેક્ટરી પાછળ આવેલ કૃષ્ણકુંજ સોસાયટી ખાતે રહેતા રામભક્તો દ્વારા ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Bharuch News: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ કૃષ્ણકુંજ સોસાયટી સ્થિત ભગવાન શ્રીરામના મંદિર ખાતે PM મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથની પ્રતિમા સ્થાપિત કરી ભગવાન રામના રક્ષક તરીકે દર્શાવવામાં આવ્યા છે.

500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યા ખાતે ભવ્ય મંદિરમાં સિંહાસન પર ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે. 5 વર્ષના બાળકના રૂપમાં સોનાના આભૂષણોથી સજ્જ રામલલ્લાને જોઈ સૌકોઈ રામભક્ત ભાવુક થઈ રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના રામભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક મીઠા ફેક્ટરી પાછળ આવેલ કૃષ્ણકુંજ સોસાયટી ખાતે રહેતા રામભક્તો દ્વારા ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે, મંદિરમાં સ્થાપિત ભગવાન શ્રી રામની પ્રતિમા સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથની પ્રતિમા આ મંદિરનું મુખ્ય આકર્ષણ બની છે. ભગવાનની સાથે સાથે PM મોદી અને યુપીના CM યોગીની પ્રતિમા સ્થાપિત કરી તેઓને ભગવાન શ્રીરામના રક્ષક તરીકે દર્શાવવામાં આવ્યા છે.

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ કૃષ્ણકુંજ સોસાયટી ખાતે રૂ. 20 લાખના ખર્ચે ભગવાન શ્રીરામ મંદિર સહિત સંકૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને સિતા માતાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. જોકે, PM મોદીના અથાગ પ્રયત્નો બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પામ્યું છે, ત્યારે અંકલેશ્વરના રામભક્ત દ્વારા PM મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથનો અનોખી રીતે આભાર માનવમાં આવ્યો છે. જેમાં ભક્તોએ વિધિ વિધાન સાથે PM મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથની પ્રતિમાને મંદિરમાં સ્થાપિત કરી છે.

એટલું જ નહીં, મંદિર ખાતે ભક્તો દ્વારા દરરોજ સવાર અને સાંજ ભગવાની શ્રીરામની આરતી કરવામાં આવે છે. આ સાથે જ દર શનિવારે સુંદરકાંડના પાઠનું પણ વિશેષ આયોજન કરવામાં આવે છે. તો બીજી તરફ, મંદિરમાં સ્થાપિત PM મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથની પ્રતિમા આસપાસના લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
Embed widget