શોધખોળ કરો

મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 

વધતી જતી મોંઘવારીએ મધ્યમવર્ગની કમર તોડી નાંખી છે. સતત વધી રહેલા પેટ્રોલ- ડિઝલના ભાવની અસર હવે જીવનજરૂરી ચીજવસ્તુઓ પર પણ પડવા લાગી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી શાકભાજી મોંઘા થયા છે.
  • ગરમીથી પાકને નુકસાન, ઉત્પાદન ઘટતા ભાવમાં ઉછાળો આવ્યો.
  • મોટાભાગના શાકભાજી ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોથી વધુ વેચાય છે.
  • મોંઘવારીથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, ખરીદી મુશ્કેલ બની.

વધતી જતી મોંઘવારીએ મધ્યમવર્ગની કમર તોડી નાંખી છે. સતત વધી રહેલા પેટ્રોલ- ડિઝલના ભાવની અસર હવે જીવનજરૂરી ચીજવસ્તુઓ પર પણ પડવા લાગી છે. એક તરફ આકરી ગરમીના કારણે આવકમાં ઘટાડો અને બીજી તરફ ડીઝલ મોંઘુ થતા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વચતા હવે શાકભાજીના ભાવ પણ ભડકે બળ્યા છે. હાલમાં મોટાભાગના શાકભાજી પ્રતિ કિલો 100 રૂપિયાને પાર કરી ગયા છે. એક તો આકરા તાપમાં તૈયાર શાકભાજીનો પાક બળી જતા ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. જેના કારણે શાક મોંઘુ જ હતું. તેમાં ઈંધણના ભાવ વધતા હવે  ભાવમાં વધુ ઉછાળો આવ્યો છે. શાકભાજીના ભાવ 100ને પાર થતા ગૃહિણીઓના બજેટ પર માઠી અસર પડી છે. હાલમાં બજારમાં ટીંડોળાના ભાવ પ્રતિ કિલો 160 પર પહોંચી ગયા છે. જ્યારે ફણસી પ્રતિ કિલો 200 રૂપિયા પર પહોંચી ગયા છે. જ્યારે પરવર 120, ચોળી 208, ગવાર 100 અને ભીંડાના ભાવ પ્રતિ કિલો 120 પર પહોંચ્યા છે. હાલમાં માત્ર રવૈયા અને ટામેટા જ ગૃહિણીઓને પ્રતિ કિલો 100થી ઓછા ભાવે મળી રહ્યા છે.

પેટ્રોલ ડીઝલના ભાવની અસર હવે રાજ્યમાં શાકભાજી ઉપર પડી રહી છે એક તરફ ગરમી ત્યારે બીજી તરફ શાકભાજીની આવક ઓછી થતા તેના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે... જોકે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થવાના કારણે વેપારીઓને શાક મોંઘુ પડી રહ્યું છે ગરમી હોવાના કારણે શાકભાજીના પાક બળી જવાના કારણે બગડી જાય છે જેથી કરીને આવક ઘટતા તેના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે મોટાભાગના શાકભાજી 100 ને પાર જોવા મળી રહ્યા છે . ત્યારે આ શાકભાજીના ભાવ વધવાના કારણે ગૃહિણીઓના બજેટ ઉપર માઠી અસર પડી રહી છે.  ગૃહિણીઓ આ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઊઠી છે.

આ પણ વાંચોઃ મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય

અનાજથી લઈને ફળો અને શાકભાજી સુધીની દરેક વસ્તુના વધતા ભાવે લોકોના બજેટને ખોરવી નાખ્યું છે. મહિલાઓ રસોડાના વધતા બજેટથી ચિંતિત છે. દરમિયાન, વધતા ભાવોને કારણે સામાન્ય ગ્રાહકો માટે તેમના ઘરના ખર્ચને સંતુલિત કરવાનું મુશ્કેલ બની રહ્યું છે. મધ્યમ અને શ્રમજીવી પરિવારો ખાસ કરીને પ્રભાવિત થયા છે. લોટ, કઠોળ, ખાદ્ય તેલ, મસાલા અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ અગાઉના ભાવોની સરખામણીમાં વધ્યા છે.  ફળો અને શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. લોકો કહે છે કે જે રકમમાં એક અઠવાડિયા ચાલે તેટલો કરિયાણાનો સામાન અને શાકભાજી ખરીદતી હતી તે જ વસ્તુઓ ખરીદવા માટે હવે વધુ ખર્ચ થાય છે.

Frequently Asked Questions

શાકભાજીના ભાવ વધવાનું મુખ્ય કારણ શું છે?

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધ્યો છે. ઉપરાંત, આકરી ગરમીના કારણે શાકભાજીના પાકને નુકસાન થતા ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

શાકભાજીના ભાવ વધારાની ગૃહિણીઓ પર શું અસર થઈ રહી છે?

મોટાભાગના શાકભાજીના ભાવ ₹100 પ્રતિ કિલોને પાર કરી ગયા હોવાથી ગૃહિણીઓના બજેટ પર માઠી અસર પડી છે અને તેઓ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠી છે.

હાલમાં કયા શાકભાજીના ભાવ ઘણા ઊંચા છે?

હાલમાં ટીંડોળા ₹160, ફણસી ₹200, ચોળી ₹208, પરવર ₹120, ગવાર ₹100 અને ભીંડા ₹120 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

કયા શાકભાજી હાલમાં ₹100 થી ઓછા ભાવે મળી રહ્યા છે?

હાલમાં માત્ર રવૈયા અને ટામેટા જ ગૃહિણીઓને પ્રતિ કિલો ₹100 થી ઓછા ભાવે મળી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ
ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
Advertisement

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Embed widget