શોધખોળ કરો

Monsoon: ગુજરાત માટે સારા સમાચાર, સરદાર સરોવર ડેમ 65 ટકા ભરાયો, રાજ્યના 25 જળાશયો હાઈ એલર્ટ પર

Gujarat Dam Water Level: વરસાદની આ ધમાકેદાર ઇનિંગને પગલે રાજ્યના પાંચ મુખ્ય જળાશયો અત્યારથી જ 100 ટકા એટલે કે સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતના 206 ડેમોમાં સાર્વત્રિક વરસાદથી સરેરાશ 41 ટકા પાણી ભરાયું.
  • પાંચ મુખ્ય જળાશયો 100 ટકા ભરાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા.
  • સરદાર સરોવર ડેમ 65.22 ટકા ભરાયો, પીવાના પાણીની સમસ્યા હલ.

Gujarat Dam Water Level: ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાના પ્રારંભિક તબક્કામાં જ થયેલા સાર્વત્રિક અને નોંધપાત્ર વરસાદને કારણે રાજ્યની જળરાશિમાં મોટો વધારો થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, ગુજરાતની જીવાદોરી સમાન તમામ 206 નાના-મોટા ડેમોમાં પાણીની ભારે આવક થતાં સરેરાશ જળસ્તર 41 ટકાએ પહોંચી ગયું છે. 

વરસાદની આ ધમાકેદાર ઇનિંગને પગલે રાજ્યના પાંચ મુખ્ય જળાશયો અત્યારથી જ 100 ટકા એટલે કે સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે, જેને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. ચાલુ સિઝનમાં ઉપરવાસમાંથી આવી રહેલા પુષ્કળ પાણીના પ્રવાહને લીધે રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીની મોટી સમસ્યા હલ થઈ ગઈ છે અને ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Rain Forecast: રથયાત્રા પર થશે અમીછાંટણાં, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે અમદાવાદમાં વરસાદની સંભાવના

જળસંપત્તિ વિભાગના અહેવાલ મુજબ, રાજ્યના કુલ જળાશયોમાંથી 20 જળાશયો હાલમાં 70 થી 100 ટકા જેટલા ભરાઈ ગયા છે, જ્યારે અન્ય 25 જળાશયોમાં પાણીનું સ્તર 50 થી 70 ટકાની વચ્ચે નોંધાયું છે. સૌથી રાહતના સમાચાર એ છે કે ગુજરાતની મુખ્ય જળ પરિયોજના એવા નર્મદા નદી પર સ્થિત સરદાર સરોવર ડેમમાં જળસ્તર વધીને 65.22 ટકા થઈ ગયું છે. મધ્યપ્રદેશના ઉપરવાસના વિસ્તારોમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પ્રતિ સેકન્ડ હજારો ક્યુસેક પાણીની આવક સતત ચાલુ છે. આ વ્યાપક જળસંગ્રહને લીધે આગામી ઉનાળા સુધી રાજ્યમાં પાણીની અછત સર્જાશે નહીં તેવી સંભાવનાઓ પ્રબળ બની છે. ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા તમામ ડેમોની સ્થિતિ પર સતત ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

                                                                                                                                                                                                   

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
Embed widget