શોધખોળ કરો

Syrup Kand: નડિયાદ સિરપકાંડમાં વધુ એક વ્યક્તિની તબિયત લથડી, સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયો

છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ચર્ચિત બનેલા સિરપ કાંડમાં મોટુ અપડેટ સામે આવ્યુ છે

Syrup Kand News: છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ચર્ચિત બનેલા સિરપ કાંડમાં મોટુ અપડેટ સામે આવ્યુ છે. હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, ખેડા જિલ્લામાં થયેલા સિરપ કાંડમાં અત્યાર સુધી કુલ 6 વ્યક્તિઓનું મોત થઇ ચૂક્યુ છે, અને અન્ય કેટલાક લોકો સારવાર હેઠળ છે, હાલમાં માહિતી છે કે, નડિયાદ સિરપ કાંડમાં વધુ એક વ્યકિતની તબિયત લથડી છે. 40 વર્ષીય યુવકને સારવારમાં અમદાવાદ હૉસ્પિટલ ખસેડાયો. ખાસ વાત છે કે, સિરપ કાંડનો ભોગ બનનાર ત્રણ દર્દીઓ સિવિલ હૉસ્પીટલમાં સારવાર લઇ રહ્યાં છે. આમાં વૃદ્ધની હાલતમાં હજુ સુધી કોઈ આવ્યો નથી. આ દર્દી કરિયાણા સ્ટૉરનો માલિક છે, અને તેના પિતાના વેન્ટિલેટર પર છે. સાથે સાથે આ સિરપ કાંડમાં 35 વર્ષીય અમિત સોઢાની હાલત સુધારા પર આવી છે.

સિરપ કાંડનું વડોદરા નીકળ્યું કનેકશન, ખેડાના SP એ લોકોને કરી આ અપીલ

ઝેરીલા સિરપનું વડોદરા કનેકશન સામે આવ્યું છે. યોગેશ સિંધીએ વડોદરાથી સિરપ ખરીદ્યું હતું. વડોદરામાં જે વ્યક્તિ પાસેથી સિરપ ખરીદ્યું હતું તેની પણ તપાસ શરૂ છે. ખેડા એસપી રાજેશ ગઢીયાએ ઝેરીલા સિરપથી 5 લોકાનાં મોતની પુષ્ટી કરી છે. તેમણે જે પણ લોકોને આ સિરપની અસર હોય તેમને સિવિલનો સંપર્ક સાધવા અપીલ કરી હતી. કરિયાણાની દુકાન પાસેથી મળેલી સિરપની ખાલી બોટલોના સેમ્પલ FSLમા મોકલવામાં આવ્યા છે. સિરપ મોકલનારા વડોદરાના બે લોકો પર અગાઉ રાજકોટમાં ફરિયાદ નોંધાઇ ચુકી છે. કિશોર અને ઇશ્વર નામના બે વ્યક્તિઓ કરિયાણાની દુકાનમાં સિરપ વેચતા હતા. આ  કેસમાં નિતિન કોટવાણી નામના સિરપ માફીયા સહિત પાંચ સામે ગુનો પણ નોંધાયો છે...

નડિયાદ જિલ્લાના ખેડાના ગ્રામીણ વિસ્તારના ઝહરીલા સિરપકાંડનો રેલો હવે બિલોદરાથી વડોદરા સુધી પહોંચ્યો છે. પાંચ મૃતક પૈકી ચારના પીએમ વગર જ અંતિમસંસ્કાર થઈ ગયા હતા, જોકે પાંચમા મૃતક નટુભાઈ સોઢાનું‎ પોલીસે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ‎પીએમ કરાવ્યું હતું. તેના પીએમ ‎રિપોર્ટમાં મૃત્યુનું કારણ મિથાઇલ ‎આલ્કોહોલ અને પોઇઝનિંગના કારણે‎ થયું હોવાનું સ્પષ્ટ હતું, જેથી પોલીસે ઘટનાના ચોથા દિવસે નડિયાદના ત્રણ અને વડોદરાના બે મળી કુલ પાંચ શખસ સામે ગુનો નોંધ્યો છે. સિરપ કાંડના ગંભીર ઘટના મુદ્દે આખરે‎ શુક્રવારે મોડી સાંજે ફરિયાદ‎ દાખલ કરવામાં આવી હતી. આ‎ ફરિયાદમાં પ્રથમ નંબર પર ‎આરોપી તરીકે યોગેશ પારુમલ‎ સિંધી, નારાયણ ઉર્ફે કિશોર ‎સોઢા (ભાજપ પૂર્વ કોષાધ્યક્ષ), ‎ઈશ્વર સોઢા, નીતિન કોટવાણી‎ (રહે. વડોદરા) અને ભાવેશ ‎સેવકાણી (રહે. વડોદરા) વિરુદ્ધ ‎ગુનો નોંધાયા છે. પોલીસે‎ આરોપીઓ વિરુદ્ધ બેદરકારી ‎દાખવવા અને લોકોનાં મોત ‎નિપજાવવાની કલમો ઉમેરી છે. ‎ઉલ્લેખનીય છે કે વડોદરાનો‎ નીતિની કોટવાણી કેમિકલના‎ વેપલામાં કુખ્યાત છે. અગાઉ ‎નકલી સેનેટાઈઝર સહિતના‎ પ્રકરણોમાં તેની ધરપકડ કરાઈ ‎હતી.‎ પોલીસે પાંચ સામે ગુના નોંધ્યા છે, જેમાં ત્રણ આરોપીને અગાઉથી જ રાઉન્ડઅપ કરેલા છે, જોકે બે આરોપીઓ હજી ફરાર છે. રાઉન્ડઅપ કરેલા ત્રણ આરોપીએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે બિલોદરા ગામમાં શંકાસ્પદ મોત થતાં અમે બાકી વધેલી બોટલો નદીના પાણીમાં ઠાલવી દીધી હતી. આ ઉપરાંત અન્ય બોટલોને પણ વીણા ગામની સીમમાં આવેલા ગોડાઉન નજીક બાળી દીધી હતી.

સિરપની બોટલ પર લેબલ પણ ખોટું

પોલીસની તપાસમાં બોટલ પર લગાવેલું કાલ મેઘાસ નામનું ખોટું લેબલ હતું, જ્યારે એમાં બતાવેલા અમદાવાદના સરનામે પોલીસે તપાસ કરતાં આવી ઓફિસ ન હોવાનું ખૂલ્યું હતું. ત્યારે આ આયુર્વેવેદિક સિરપની બોટલો ક્યાંથી આવી એ દિશામાં પોલીસે હાલ તપાસ સાધી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Building Collapsed:દિલ્લીમાં ભારે વરસાદની વચ્ચે દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોનાં મોત
Building Collapsed:દિલ્લીમાં ભારે વરસાદની વચ્ચે દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોનાં મોત
Gujarat Rain Forecast: રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
'ઓપરેશન સિંદૂરમાં 5 પાકિસ્તાની ફાઇટર જેટનો થયો હતો નાશ', IAF ચીફે ખોલી દીધી શાહબાઝ શરીફ અને અસીમ મુનીરની પોલ
'ઓપરેશન સિંદૂરમાં 5 પાકિસ્તાની ફાઇટર જેટનો થયો હતો નાશ', IAF ચીફે ખોલી દીધી શાહબાઝ શરીફ અને અસીમ મુનીરની પોલ
J&K Kulgam Encounter:જમ્મુ કાશ્મીર કુલગામમાં 2 જવાન શહીદ, એન્કાઉન્ટરમાં  વધુ 1 આતંકી ઠાર
J&K Kulgam Encounter:જમ્મુ કાશ્મીર કુલગામમાં 2 જવાન શહીદ, એન્કાઉન્ટરમાં વધુ 1 આતંકી ઠાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાખડી બાંધવા તો દિકરીને જન્મવા દો
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને છેતરનારા વીમા કંપનીનો 'વીમો'
Hun To Bolish : હું તો બોલીશ : પાપ પ્રશાસનનું, મોત આપણું!
Rajkot: જેતપુર સેન્ટ્રલ વેર હાઉસમાં મગફળી ચોરીના કેસમાં ચારની ધરપકડ
Bhavnagar: ભાવનગર જિલ્લામાં ગુંડાતત્વો બેફામ, વૃદ્ધને મરાયો ઢોર માર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Building Collapsed:દિલ્લીમાં ભારે વરસાદની વચ્ચે દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોનાં મોત
Building Collapsed:દિલ્લીમાં ભારે વરસાદની વચ્ચે દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોનાં મોત
Gujarat Rain Forecast: રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
'ઓપરેશન સિંદૂરમાં 5 પાકિસ્તાની ફાઇટર જેટનો થયો હતો નાશ', IAF ચીફે ખોલી દીધી શાહબાઝ શરીફ અને અસીમ મુનીરની પોલ
'ઓપરેશન સિંદૂરમાં 5 પાકિસ્તાની ફાઇટર જેટનો થયો હતો નાશ', IAF ચીફે ખોલી દીધી શાહબાઝ શરીફ અને અસીમ મુનીરની પોલ
J&K Kulgam Encounter:જમ્મુ કાશ્મીર કુલગામમાં 2 જવાન શહીદ, એન્કાઉન્ટરમાં  વધુ 1 આતંકી ઠાર
J&K Kulgam Encounter:જમ્મુ કાશ્મીર કુલગામમાં 2 જવાન શહીદ, એન્કાઉન્ટરમાં વધુ 1 આતંકી ઠાર
Rajkot Rain: રાજકોટ લોકમેળાની મજા બગાડશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી
Rajkot Rain: રાજકોટ લોકમેળાની મજા બગાડશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
ODI માં કોઈ એક ટીમ સામે સૌથી વધુ સદી ફટકારનારા ટોપ 5 ખેલાડીઓ, એકે તો 3 વખત કર્યું છે આ પરાક્રમ
ODI માં કોઈ એક ટીમ સામે સૌથી વધુ સદી ફટકારનારા ટોપ 5 ખેલાડીઓ, એકે તો 3 વખત કર્યું છે આ પરાક્રમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી રક્ષાબંધનની ઉજવણી, મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના બહેનોએ CMને બાંધી રાખડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી રક્ષાબંધનની ઉજવણી, મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના બહેનોએ CMને બાંધી રાખડી
Embed widget