શોધખોળ કરો

Tatkal Booking Rules: હવે OTP વગર નહીં મળે ટિકિટ! અમદાવાદની વધુ 3 ટ્રેનોમાં 18 ડિસેમ્બરથી નિયમ લાગુ

રેલવે બુકિંગમાં પારદર્શિતા લાવવા પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય; હવે મોબાઈલ પર આવેલો પાસવર્ડ આપ્યા પછી જ કન્ફર્મ થશે ટિકિટ, મુસાફરોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું.

Tatkal booking OTP rule: જો તમે ક્રિસમસના વેકેશનના સમયે ટ્રેનમાં મુસાફરી કરવા માટે Tatkal Ticket બુક કરાવવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. Western Railway (પશ્ચિમ રેલવે) એ તત્કાલ બુકિંગ સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે મોટો ફેરફાર કર્યો છે. હવે અમદાવાદ મંડળમાંથી ઉપડતી વધુ ત્રણ ટ્રેનોમાં ટિકિટ બુક કરાવવા માટે OTP Verification ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નવો નિયમ 18 ડિસેમ્બર, 2025 થી અમલમાં આવશે. હવે મુસાફરે આપેલા મોબાઈલ નંબર પર આવેલો કોડ આપ્યા પછી જ ટિકિટ જનરેટ થશે.

રેલવે બોર્ડની સૂચના અનુસાર, પશ્ચિમ રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગમાં થતી ગેરરીતિઓ અટકાવવા અને સાચા મુસાફરોને ટિકિટ મળી રહે તે માટે એક કડક અને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવેથી તત્કાલ ક્વોટામાં ટિકિટ બુક કરાવતી વખતે One Time Password (OTP) આધારિત વેરિફિકેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. એટલે કે, જ્યારે તમે રિઝર્વેશન ફોર્મમાં જે મોબાઈલ નંબર લખશો, તેના પર સિસ્ટમ દ્વારા એક OTP મોકલવામાં આવશે. આ પાસવર્ડનું સફળ સત્યાપન થયા બાદ જ તમારી ટિકિટ ઈશ્યુ કરવામાં આવશે.

18 ડિસેમ્બરથી આ 3 ટ્રેનોમાં નિયમ લાગુ

અમદાવાદ મંડળના મુસાફરોએ ખાસ નોંધ લેવી કે તારીખ 18 ડિસેમ્બર, 2025 થી નીચે મુજબની ત્રણ મહત્વની ટ્રેનોમાં તત્કાલ ટિકિટ માટે OTP ફરજિયાત બનશે:

ટ્રેન નં. 19223: સાબરમતી - જમ્મુ તાવી એક્સપ્રેસ

ટ્રેન નં. 19316/19315: અસારવા - ઇન્દોર વીરભૂમિ એક્સપ્રેસ

ટ્રેન નં. 19489: અમદાવાદ - ગોરખપુર એક્સપ્રેસ

આ ટ્રેનોમાં નિયમ પહેલેથી જ શરૂ

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ રેલવેએ 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરથી કેટલીક પ્રીમિયમ ટ્રેનોમાં આ સિસ્ટમ પહેલાથી જ શરૂ કરી દીધી છે. જેમાં સાબરમતી-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ (12957), અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસ (12297), સાબરમતી-જોધપુર Vande Bharat Express (12462), હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો અને મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

ક્યાં લાગુ પડશે આ નિયમ? 

આ નવો નિયમ માત્ર ઓનલાઈન બુકિંગ પૂરતો સીમિત નથી. ભલે તમે રેલવે સ્ટેશન પરના કોમ્પ્યુટરાઈઝ્ડ PRS Counter પરથી ટિકિટ લો, કોઈ અધિકૃત એજન્ટ પાસે જાવ, IRCTC Website નો ઉપયોગ કરો કે પછી મોબાઈલ એપ્લિકેશન દ્વારા બુકિંગ કરો - દરેક પ્લેટફોર્મ પર OTP આપવો ફરજિયાત રહેશે.

રેલવે પ્રશાસને તમામ મુસાફરોને અપીલ કરી છે કે બુકિંગના સમયે તેઓ પોતાનો એક્ટિવ અને સાચો મોબાઈલ નંબર જ આપે, જેથી OTP મેળવવામાં અને વેરિફિકેશન પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય અને તેઓ સરળતાથી પોતાની ટિકિટ મેળવી શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
Embed widget