![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
KHEDA : “તમે ક્યાંના ખેડૂત?”, માતરમાં બોગસ ખેડૂત ખાતેદારો સામે કાર્યવાહી શરૂ
માતર મહેસુલી વિસ્તારના વર્ષ 2020-21ના વર્ષમાં 500 કરતા વધારે ખેતીલાયક જમીનોના વેચાણ દસ્તાવેજ થયા હતા.
![KHEDA : “તમે ક્યાંના ખેડૂત?”, માતરમાં બોગસ ખેડૂત ખાતેદારો સામે કાર્યવાહી શરૂ the administration started action against fake farmers in matar taluka of kheda district issued notices to 100 fake farmers KHEDA : “તમે ક્યાંના ખેડૂત?”, માતરમાં બોગસ ખેડૂત ખાતેદારો સામે કાર્યવાહી શરૂ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/02/f1bfa7c89a1082fd7869901eb9fec884_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
KHEDA : ખેડા જિલ્લાના માતર તાલુકામાં 500થી વધુ બોગસ ખેડૂતો બની ગયા હોવાની ફરિયાદ રાજ્યના મહેસુલ ખાતા સુધી પહોંચતા હવે આ અંગે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અંગે રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પણ કડક કાર્યવાહીની ચેતવણી આપી ચુક્યા છે.
350થી વધુ બોગસ ખેડૂત ખાતેદારોએ જમીન ખરીદી
ખેડાના માતરમાં 350થી વધુ બોગસ ખેડૂત ખાતેદારો દ્વારા માતર તાલુકામાં ખેતીલાયક જમીનો ખરીદવામાં આવતા સમગ્ર કૌભાંડ બહાર આવતા ગાંધીનગરથી મહેસુલ વિભાગ દ્વારા તપાસ હાથ ધરતા બોગસ ખેડૂતોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને આગામી દિવસોમાં તપાસ બાદ બોગસ ખેડૂત બની જમીનો ખરીદનારની જમીન ખાલસા થવાની વાત મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
500 કરતા વધારે બોગસ ખેડૂત ખાતેદારો
માતર મહેસુલી વિસ્તારના વર્ષ 2020-21ના વર્ષમાં 500 કરતા વધારે ખેતીલાયક જમીનોના વેચાણ દસ્તાવેજ થયા હતા, જેમાં ગાંધીનગર મહેસુલ વિભાગને એક જાણકારી મળી હતી કે જે ખેડૂતો દ્વારા જમીનો ખરીદવામાં આવી છે. તેમાં મોટા ભાગના ખેડૂતો બોગસ ખેડૂત છે અને કોઈ પણ રીતે ખેડૂત ખાતેદાર બની જમીનો ખરીદી છે.
100 ખેડૂત ખાતેદારોને નોટિસ ફટકારાઇ
થોડા દિવસ પહેલા મહેસુલ વિભાગના અધિકારીઓ માતર મામલતદાર કચેરીએ આવી 500 જેટલાં દસ્તાવેજ સહીત અન્ય પુરાવાઓ લઇ ગયા હતા અને તપાસ હાથ ધરી મામલતદાર માતરને વધુ તપાસ કરવાની સૂચના આપવામાં આવતા મામલતદાર દ્વારા 100 ખેડૂત ખાતેદારોને અપાઈ નોટિસ આપવામાં આવી છે અને નોટિસ દ્વારા પૂછવામાં આવ્યું કે આપ ક્યાંના ખેડૂત છો?
ખેડૂત ખરાઈમાં જ વ્યાપક ગેરરીતિના આરોપ
મહેસુલ વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે જે ખેડૂતો બોગસ ખેડૂત ખાતેદાર બની જમીનો ખરીદી છે તેમની સામે કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને ખેડૂત ખરાઈમાં જ વ્યાપક ગેરરીતિ આચારવામાં આવી હોવાનું જણાઈ આવે છે. કઈ મોડસ ઓપરેન્ડીથી આવા લોકો બોગસ ખેડૂત બન્યા હોઈ શકે છે તેની માહિતી મહેસુલ વિભાગને આપી વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)