Panchmahal: યાત્રાધામ પાવાગઢ જતા ભક્તો માટે કામના સમાચાર, રોપ વે સર્વિસ આટલા દિવસ બંધ રાખવાનો નિર્ણય
પંચમહાલ: યાત્રાધામ પાવાગઢ ખાતે આવતીકાલથી પાચ દિવસ રોપ વે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મેન્ટેન્સના કારણે રોપવે સુવિધા પાંચ દિવસ માટે બંધ રહેશે. 7 ઓગસ્ટ' સોમવારથી 11 ઓગસ્ટ શુક્રવાર સુધી રોપ વે બંધ રહેશે.

પંચમહાલ: યાત્રાધામ પાવાગઢ ખાતે આવતીકાલથી પાચ દિવસ રોપ વે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મેન્ટેન્સના કારણે રોપવે સુવિધા પાંચ દિવસ માટે બંધ રહેશે. 7 ઓગસ્ટ' સોમવારથી 11 ઓગસ્ટ શુક્રવાર સુધી રોપ વે બંધ રહેશે. 12 ઓગષ્ટ શનિવારથી રોપ વે રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. રોપ વેનું સંચાલન કરતી ખાનગી કંપની ઉષા બ્રેકો દ્રારા આ જાહેરાત કરવામાં આવી છે. પાવાગઢ ડુંગર ઉપર ચાલતા રોપ વે નિયમ અનુસાર વાર્ષિક મેન્ટેનન્સના કામગિરી કરવામાં આવે છે. દર્શનાર્થીઓને મંદિર સુધી પહોંચવા માટે પગપાળા જવાનું રહેશે.
ગબ્બરની પહાડીઓમાં જોવા મળ્યો દીપડો
બનાસકાંઠના અંબાજીમાં ગબ્બર ની પહાડીઓમાં આજે સવારે દીપડો જોવા મળ્યો હતો. લેબર કામગીરી કરતા લોકોએ દીપડો જોતા વીડિયો બનાવ્યો હતો. ગબ્બર પર્વતની પહાડીઓમાં દીપડો હોવાની જાણ થતા લોકો અને દર્શનાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગબ્બરની પહાડીઓમાં દીપડાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગ પાલનપુરની ટીમ ગબ્બર ખાતે રવાના થઈ હતી. વન્ય અભ્યારણ્ય અને દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી વન વિભાગ એકશન મોડમાં આવ્યું છે.
રાજ્યમાં છ વર્ષમાં દીપડાની સંખ્યામાં 63 ટકાનો વધારો
ગુજરાતમાં દીપડાની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગની તાજેતરની વસતી ગણતરી મુજબ રાજ્યમાં છ વર્ષમાં દીપડાની સંખ્યામાં 63 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં દીપડાની સંખ્યા 2016માં 1395 હતી, તે 2023માં વધીને 2274 પર પહોંચી છે. સૌથી વધુ દીપડા જૂનાગઢમાં છે, અહીં 578 દીપડાનો વસવાટ છે, જ્યારે ગીર સોમનાથમાં 257 દીપડા છે. જૂનાગઢ, સુરત અને ગીર-સોમનાથ જેવા જિલ્લાઓમાં દીપડાની હાજરી બમણી થઈ છે, જે માનવ-પ્રાણી સંઘર્ષની ઘટનામાં વધારા સામે ચેતવણી તરીકે પણ સામે આવી છે.
સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓમાં દીપડા જોવા મળ્યા
રાજ્યના વન અધિકારીઓ જણાવ્યું કે બોટાદ સિવાય સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓમાં દીપડા જોવા મળ્યા હતા. આ પ્રદેશમાં રાજ્યના 50 ટકા દીપડા છે. 2016માં સૌરાષ્ટ્રમાં 700 દીપડા હતા. જ્યારે તાજેતરની વસતી ગણતરીમાં સંખ્યા 60 ટકા વધીને 1117 પર પહોંચી છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભરૂચમાં દીપડાની સંખ્યામાં વધારો થયો છે. અહીં શેરડીના ખેતરો આવેલા છે, જે દીપડા માટે સુરક્ષિત સ્તાન છે.
રાજ્યના આ જિલ્લામાં દીપડાઓની સંખ્યા ઘટી
તાજેતરની દીપડાની વસતી ગણતરી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં દીપડાની સંખ્યામાં 145.5 ટકાનો વધારો થયો છે. 2016માં દક્ષિણ ગુજરાતમાં 211 દીપડા હતા, જે 2023માં વધીને 518 થયા છે. ઉત્તર ગુજરાતમાં દીપડાની સંખ્યામાં 67 ટકા વધારો થયો છે, અહીં 2016માં 91 દીપડા હતા, જે વધીને 2023માં 152 થયા છે. 2274 દીપડાઓમાંથી મધ્ય ગુજરાતમાં માત્ર 24 ટકાનો વધારો થયો છે. જે જિલ્લામાં દીપડાની સંખ્યામાં ઘટાડો થયો તેમાં અમરેલી, દાહોદ, મહેસાણા, જામનગર અને પોરબંદર છે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















