Weather forecast: રાજ્યમાં આજથી પાંચ દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Weather forecast: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં આજથી આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

Weather forecast: ગુજરાતમાં ગરમીથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગે રાજ્યમાં આજથી આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ, તેજ પવન અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં 4 જૂન સુધી વરસાદી વાતાવરણ યથાવત રહી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાઈ શકે છે. ખાસ કરીને આજે મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા હોવાથી લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી દરિયો તોફાની રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વરસાદી માહોલના કારણે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી આકરી ગરમીમાંથી લોકોને રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે.
અમદાવાદ શહેરમાં પણ હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જેના કારણે ગરમીનું પ્રમાણ ઘટશે.
બીજી તરફ ક્રિકેટપ્રેમીઓ માટે પણ આ સમાચાર મહત્વના છે. આગામી દિવસોમાં વરસાદી માહોલને કારણે IPLના મહત્વના મુકાબલાઓમાં મેઘરાજા વિઘ્નરૂપ બની શકે છે. હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને ક્રિકેટ ચાહકોની નજર પણ હવે આકાશ તરફ મંડાયેલી છે.
અંબાલાલ આગાહી
જરાતમાં આજથી કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અને ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે, જ્યારે જૂનના બીજા સપ્તાહમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં 4 જૂન સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ યથાવત રહી શકે છે.રાજ્યમાં વરસાદની આ આગાહીને કારણે ખેડૂતો, નાગરિકો અને વેપારીઓ સહિત તમામ વર્ગોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. આગામી પાંચ દિવસ દરમિયાન હવામાનમાં સતત બદલાવ જોવા મળે તેવી શક્યતા છે.





















