શોધખોળ કરો

ગુજરાત ભાજપમાં સૌથી ‘પાવરફુલ’ હોદ્દા સંગઠન મહામંત્રીપદે નિમાયેલા રત્નાકર કોણ છે ? મોદી-યોગી સાથે શું છે કનેક્શન ?

ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લાં બે દાયકાથી કામ કરતા અને નરેન્દ્ર મોદીને અત્યંત વિશ્વાસુ મનાતા ભીખુભાઈ દલસાણિયાને હટાવી દેવાયા છે.

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ ગુજરાત ભાજપમાં બહુ મોટો ફેરફાર કરીને આશ્ચર્ય સર્જ્યું છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લાં બે દાયકાથી કામ કરતા અને નરેન્દ્ર મોદીને અત્યંત વિશ્વાસુ મનાતા ભીખુભાઈ દલસાણિયાને હટાવી દેવાયા છે. ભીખુભાઈ દલસાણિયાના સ્થાને રત્નાકરની  ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે. 

આ નિમણૂકથી ભાજપના નેતાઓ પણ આશ્ચર્યમાં પડી ગયા છે કેમ કે ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમાયેલા રત્નાકર ગુજરાત ભાજપના નેતાઓ માટે પણ બહુ જાણીતું નામ નથી. આ પહેલાં બિહારમાં ભાજપના સહ-સંગઠન મહામંત્રી તરીકે કામ કરનારા રત્નાકરનો ગુજરાત સાથે બહુ સંપર્ક નથી તેથી ભાજપના નેતાઓ પણ આ નિમણૂકથી ચોંકી ગયા છે. રત્નાકરને બિહાર ભાજપમાં નવા ઉભા કરાયેલા સહ-સંગઠન મહામંત્રીના હોદ્દા પર નિમવામાં આવ્યા હતા.મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયાના વતની એવા અને હાલ બિહાર સંગઠનના સહસંગઠન મહામંત્રી તરીકે કાર્યરત એવા રત્નાકરને પ્રદેશ ભાજપ સંગઠનના નવા મહામંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. 

ઉત્તરપ્રદેશના દેવરિયાના વતની રત્નાકર બિહારમાં નિમાયા એ પહેલાં ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીના લોકસભા મતવિસ્તાર કાશી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મતવિસ્તાર ગોરખપુર ક્ષેત્રના સંગઠન મંત્રી તરીકે કામ કરતા હતા. આમ રત્નાકરનું યોગી અને મોદી બંને સાથે કનેક્શન છે. રત્નાકરે કાશી અને વારાણસી બંને મતવિસ્તારોમાં ભાજપ સંગઠનને મજબૂત કરવામાં ભજવેલી ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમને બિહારમાં મહત્વની જવાબદારી સોંપાઈ હતી. રત્નાકરે બિહારમાં પણ સારી કામગીરી કરીને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી વધારે બેઠતો જીતાડવામાં સફળતા મેળવી હતી.

રત્નાકર પહેલાં મોદીના મતવિસ્તાર કાશીની જવાબદારી સંભાળતા હતા. જો કે યોગી આદિત્યનાથ યુપીના મુખ્યમંત્રી બનતાં ખાલી પડેલી ગોરખપુર લોકસભા બેઠક પર ભાજપની કારમી હારના પગલે ભાજપે રત્નાકરને ગોરખપુરમા સંગઠનની પણ જવાબદારી સોંપી હતી. લોકસભાની 2019ની ચૂંટણીમાં ગોરખપુર લોકસભા બેઠક ફરી જીતીને રત્નાકરે પોતાની તાકાત સાબિત કરી પછી તેમને 2020માં બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં સહ-સંગઠન મહામંત્રી બનાવાયા હતા. બિહારમાં તેમણે સારો દેખાવ કરતાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમને ગુજરાતમાં સંગઠન મહામંત્રી બનાવાયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરામાં ઉઠ્યા દારૂબંધીના લીરેલીરા, ચાર શખ્સોનો દારૂની બોટલ સાથેનો VIDEO VIRALHun To Bolish : હું તો બોલીશ : નેનો માટે કોઈનું નાટક નહીં ચાલેHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટ અધિકારીઓને સજા કેમ નહીં?Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
Crime News: બેંગલુરુમાં પતિએ કરી પત્નીની હત્યા, સૂટકેસમાં લાશ છૂપાવી થયો ફરાર
Crime News: બેંગલુરુમાં પતિએ કરી પત્નીની હત્યા, સૂટકેસમાં લાશ છૂપાવી થયો ફરાર
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
Embed widget