શોધખોળ કરો

Ayodhya Ram Mandir: અયોધ્યા રામમંદિરમાં કેટલી રકમ ખર્ચાઈ, કેટલું મળ્યું દાન, કેટલું છે બેેલેન્સ, કોષાધ્યક્ષે આપી સંપૂર્ણ ડિટેલ

આ મંદિરના નિર્માણ માટે દેશભરના રામ ભક્તોએ દાન આપ્યું છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, રામ મંદિર માટે તેઓએ વિચાર્યું હતું તેનાથી ત્રણ ગણા વધુ પૈસા મળ્યા છે. રામ મંદિરના નિર્માણ માટે લોકોએ એટલું દાન આપ્યું કે હજું પણ હજારો કરોડ રૂપિયાનું બેલેન્સ  છે.

Ram Mandir Donation: અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ  ભક્તોની વર્ષોથી ચાલી રહેલી રાહનો અંત આવ્યો છે. અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે. દરેક ગલીઓમાં રામલલાની ભક્તિની ભારે ભીડ જોવા મળી રહી છે, પહેલા જ દિવસે પાંચ લાખ લોકોએ રામ મંદિરના દર્શન  કર્યો. રામ મંદિરની દિવ્યતા અને ભવ્યતા અભિભૂત કરી દેનાર છે કારણ કે તેનો દરેક ખૂણો બરાબર રિસર્ચ બાદ સર્જન પામ્યો છે.

આ મંદિરના નિર્માણ માટે દેશભરના રામ ભક્તોએ દાન આપ્યું છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, રામ મંદિર માટે તેઓએ વિચાર્યું હતું તેનાથી ત્રણ ગણા વધુ પૈસા મળ્યા છે. રામ મંદિરના નિર્માણ માટે લોકોએ એટલું દાન આપ્યું કે હજું પણ  હજારો કરોડ રૂપિયાનું  બેલેન્સ  છે.

રામ મંદિર નિર્માણ માટે કેટલું દાન મળ્યું?

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગીરીજી મહારાજે એબીપી લાઈવ સાથે વાત કરતા જણાવ્યું કે, મંદિરના નિર્માણ માટે કેટલું દાન મળ્યું છે. ખજાનચીએ કહ્યું કે રામલલા પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય સમારોહ અંગે, તેના માટે જેટલો ખર્ચ દેખાય છે તેટલો નથી કારણ કે લોકો પોતાના વતી સેવાઓ આપે છે. જેના કારણે ખર્ચમાં ઘટાડો થાય છે.

ગોવિંદ દેવ ગિરીજી મહારાજે કહ્યું કે પહેલા અમે વિચાર્યું હતું કે રામ મંદિરના નિર્માણમાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, પરંતુ જ્યારે જમીનની નીચે ખડકો ન મળ્યો તો ખર્ચ વધુ વધી ગયો. આ પછી પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. રામ મંદિરના નિર્માણ કાર્ય પર અત્યાર સુધીમાં 1100 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે અને હજુ પણ આંકડો  1400 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

આખા દેશની જનતાએ આપ્યું દાન

રામ મંદિર માટે મળેલા દાન વિશે જણાવતા ગોવિંદ દેવ ગિરીજી મહારાજે કહ્યું કે, કોણે કેટલું દાન આપ્યું તેની કોઈ માહિતી નથી. કોઈએ કરોડો રૂપિયા આપ્યા હોય કે કોઈએ ઓછા આપ્યા હોય, આપણા માટે આદર મહત્વપૂર્ણ છે. કોઈએ ગમે તેટલું દાન આપ્યું હોય, આપણે તેને કરોડોમાં ગણતા નથી, આપણે ફક્ત આદરની લાગણીથી જોઈએ છીએ. લોકો અમને 300 કરોડ રૂપિયા આપવા આગળ આવ્યા પરંતુ અમે ના પાડી દીધી. અમે કહ્યું કે આ મંદિર ભારતના દરેક રામ ભક્તના પાંચ રૂપિયાના દાનથી જ બનશે. આપણે દેશના લોકોને એક કરવા પડશે, નાણાં આપોઆપ આવશે.

 ખજાનચીએ કહ્યું, 'અમારી અપેક્ષા કરતા ત્રણ ગણા લોકોએ અમને દાન આપ્યું છે, ભગવાનની કૃપા એવી છે કે તેત્રીસસો કરોડ રૂપિયા આવી ગયા હતા, મંદિર પૂર્ણ થવાના આરે છે અને અમારી પાસે હજુ ત્રણ હજાર કરોડ રૂપિયાનું બેલેન્સ છે.

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
Embed widget