શોધખોળ કરો

Ayodhya Ram Mandir: અયોધ્યા રામમંદિરમાં કેટલી રકમ ખર્ચાઈ, કેટલું મળ્યું દાન, કેટલું છે બેેલેન્સ, કોષાધ્યક્ષે આપી સંપૂર્ણ ડિટેલ

આ મંદિરના નિર્માણ માટે દેશભરના રામ ભક્તોએ દાન આપ્યું છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, રામ મંદિર માટે તેઓએ વિચાર્યું હતું તેનાથી ત્રણ ગણા વધુ પૈસા મળ્યા છે. રામ મંદિરના નિર્માણ માટે લોકોએ એટલું દાન આપ્યું કે હજું પણ હજારો કરોડ રૂપિયાનું બેલેન્સ  છે.

Ram Mandir Donation: અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ  ભક્તોની વર્ષોથી ચાલી રહેલી રાહનો અંત આવ્યો છે. અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે. દરેક ગલીઓમાં રામલલાની ભક્તિની ભારે ભીડ જોવા મળી રહી છે, પહેલા જ દિવસે પાંચ લાખ લોકોએ રામ મંદિરના દર્શન  કર્યો. રામ મંદિરની દિવ્યતા અને ભવ્યતા અભિભૂત કરી દેનાર છે કારણ કે તેનો દરેક ખૂણો બરાબર રિસર્ચ બાદ સર્જન પામ્યો છે.

આ મંદિરના નિર્માણ માટે દેશભરના રામ ભક્તોએ દાન આપ્યું છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, રામ મંદિર માટે તેઓએ વિચાર્યું હતું તેનાથી ત્રણ ગણા વધુ પૈસા મળ્યા છે. રામ મંદિરના નિર્માણ માટે લોકોએ એટલું દાન આપ્યું કે હજું પણ  હજારો કરોડ રૂપિયાનું  બેલેન્સ  છે.

રામ મંદિર નિર્માણ માટે કેટલું દાન મળ્યું?

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગીરીજી મહારાજે એબીપી લાઈવ સાથે વાત કરતા જણાવ્યું કે, મંદિરના નિર્માણ માટે કેટલું દાન મળ્યું છે. ખજાનચીએ કહ્યું કે રામલલા પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય સમારોહ અંગે, તેના માટે જેટલો ખર્ચ દેખાય છે તેટલો નથી કારણ કે લોકો પોતાના વતી સેવાઓ આપે છે. જેના કારણે ખર્ચમાં ઘટાડો થાય છે.

ગોવિંદ દેવ ગિરીજી મહારાજે કહ્યું કે પહેલા અમે વિચાર્યું હતું કે રામ મંદિરના નિર્માણમાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, પરંતુ જ્યારે જમીનની નીચે ખડકો ન મળ્યો તો ખર્ચ વધુ વધી ગયો. આ પછી પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. રામ મંદિરના નિર્માણ કાર્ય પર અત્યાર સુધીમાં 1100 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે અને હજુ પણ આંકડો  1400 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

આખા દેશની જનતાએ આપ્યું દાન

રામ મંદિર માટે મળેલા દાન વિશે જણાવતા ગોવિંદ દેવ ગિરીજી મહારાજે કહ્યું કે, કોણે કેટલું દાન આપ્યું તેની કોઈ માહિતી નથી. કોઈએ કરોડો રૂપિયા આપ્યા હોય કે કોઈએ ઓછા આપ્યા હોય, આપણા માટે આદર મહત્વપૂર્ણ છે. કોઈએ ગમે તેટલું દાન આપ્યું હોય, આપણે તેને કરોડોમાં ગણતા નથી, આપણે ફક્ત આદરની લાગણીથી જોઈએ છીએ. લોકો અમને 300 કરોડ રૂપિયા આપવા આગળ આવ્યા પરંતુ અમે ના પાડી દીધી. અમે કહ્યું કે આ મંદિર ભારતના દરેક રામ ભક્તના પાંચ રૂપિયાના દાનથી જ બનશે. આપણે દેશના લોકોને એક કરવા પડશે, નાણાં આપોઆપ આવશે.

 ખજાનચીએ કહ્યું, 'અમારી અપેક્ષા કરતા ત્રણ ગણા લોકોએ અમને દાન આપ્યું છે, ભગવાનની કૃપા એવી છે કે તેત્રીસસો કરોડ રૂપિયા આવી ગયા હતા, મંદિર પૂર્ણ થવાના આરે છે અને અમારી પાસે હજુ ત્રણ હજાર કરોડ રૂપિયાનું બેલેન્સ છે.

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ Final Live Score:  રોહિત ફરી એકવાર ટોસ હાર્યો, ભારત ન્યુઝીલેન્ડ સામે પ્રથમ બોલિંગ કરશે
IND vs NZ Final Live Score: રોહિત ફરી એકવાર ટોસ હાર્યો, ભારત ન્યુઝીલેન્ડ સામે પ્રથમ બોલિંગ કરશે
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Accident : ડીસા હાઈવે પર બાઇકમાં અચાનક લાગી આગ, ચાલકનું મોતGyan Prakash Swami Statement : બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ, જલારામબાપા મુદ્દે મોરારિ બાપનું નિવેદનAhmedabad Liquor Party : પોલીસને ખુલ્લી ચેલેન્જ , અમદાવાદમાં જાહેરમાં દારૂની પાર્ટીUSA Hindu Temple News: કેલિફોર્નિયામાં હિંદુ મંદિરોમાં કરાઈ તોડફોડ, દિવાલો પર લખાયા આપત્તિજનક શબ્દો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ Final Live Score:  રોહિત ફરી એકવાર ટોસ હાર્યો, ભારત ન્યુઝીલેન્ડ સામે પ્રથમ બોલિંગ કરશે
IND vs NZ Final Live Score: રોહિત ફરી એકવાર ટોસ હાર્યો, ભારત ન્યુઝીલેન્ડ સામે પ્રથમ બોલિંગ કરશે
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી  સત્તાવાર જાહેરાત
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી સત્તાવાર જાહેરાત
Holi-2025: શું તમે જાણો છો હર્બલ રંગોથી જ કેમ રમવી જોઈએ હોળી,કૃત્રિમ રંગોના નુકસાન જાણશો તો ચોંકી જશો
Holi-2025: શું તમે જાણો છો હર્બલ રંગોથી જ કેમ રમવી જોઈએ હોળી,કૃત્રિમ રંગોના નુકસાન જાણશો તો ચોંકી જશો
GBS:મહારાષ્ટ્રમાં વધ્યાં જીવલેણ આ સિડ્રોમના કેસ, આ લક્ષણો અનુભવાય તો થઇ જજો સાવધાન
GBS:મહારાષ્ટ્રમાં વધ્યાં જીવલેણ આ સિડ્રોમના કેસ, આ લક્ષણો અનુભવાય તો થઇ જજો સાવધાન
Stock Market Update:શેર બજારના કડાકા પર લાગશે બ્રેક? જાણો આગામી કેવું રહેશે સપ્તાહ
Stock Market Update:શેર બજારના કડાકા પર લાગશે બ્રેક? જાણો આગામી કેવું રહેશે સપ્તાહ
Embed widget