શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોના ટેસ્ટ માટેની નવી ગાઇડલાઇન, કઈ સ્થિતિમાં કરવામાં આવશે RT-PCR ટેસ્ટ?
શરદી, ઉધરસ અને તાવ જણાતા પ્રાથમિક તબક્કામાં RT-PCR ટેસ્ટ કરવામાં આવશે નહીં. તમામ દર્દીઓ માટે એન્ટીજન ટેસ્ટ જ સર્વમાન્ય ગણવામાં આવશે.
![કોરોના ટેસ્ટ માટેની નવી ગાઇડલાઇન, કઈ સ્થિતિમાં કરવામાં આવશે RT-PCR ટેસ્ટ? ICMR declare Advisory on Strategy for COVID-19 Testing in India કોરોના ટેસ્ટ માટેની નવી ગાઇડલાઇન, કઈ સ્થિતિમાં કરવામાં આવશે RT-PCR ટેસ્ટ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/05135701/Singapore-covid.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લીઃ કોવિડના ટેસ્ટની ગાઈડલાઈનમાં ICMRએ મોટા ફેરફાર કર્યા છે. હવે એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવશે તે જ માન્ય ગણવામાં આવશે. જોકે, એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ લક્ષણ જણાશે તો દર્દીઓ RT-PCR ટેસ્ટ કરાવી શકશે. એન્ટીજન ટેસ્ટ કર્યા બાદ 3 દિવસ સુધી લક્ષણો જણાશે, તેવા કિસ્સામાં RT-PCR માટે મંજૂરી આપવામાં આવશે.
શરદી, ઉધરસ અને તાવ જણાતા પ્રાથમિક તબક્કામાં RT-PCR ટેસ્ટ કરવામાં આવશે નહીં. તમામ દર્દીઓ માટે એન્ટીજન ટેસ્ટ જ સર્વમાન્ય ગણવામાં આવશે. જો ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી વ્યક્તિમાં કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ બાદમાં વ્યક્તિમાં લક્ષણો દેખાય તો તે વ્યક્તિને ફરીથી એન્ટીજન કે RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.
ICMRના ટેસ્ટિંગ પ્રોટોકોલ પ્રમાણે, નોન કંન્ટેન્મેન્ટ ઝોનમાં તમામ પ્રકારના એવા લોકો જેમાં લક્ષણો છે(પહેલી પ્રાથમિકતા- RT-PCR, બીજી પ્રાથમિકતા- રેપિડ એન્ટીજન ટેસ). લક્ષણ વગરના હાઈ રિસ્ક કોન્ટેક્ટ(જેમ કે- પરિવાર અને કાર્યસ્થળના લોકો, 65 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ, ગંભીર બીમારીવાળી વ્યક્તિ). (પહેલી પ્રાથમિકતા- રેપિડ એન્ટીજન ટેસ્ટ, બીજી પ્રાથમિકતા RT-PCR). હોસ્પિટલમાં( પહેલી પ્રાથમિકતા- RT-PCR, બીજી પ્રાથમિકતા રેપિડ એન્ટીજન ટેસ્ટ).
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
ઓલિમ્પિક્સ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)