શોધખોળ કરો

2000 Notes : ATMમાંથી કેમ નથી નિકળતી રૂ. 2000ની નોટ ? થઈ ગઈ બંધ ?

મોટાભાગના લોકોનું કહેવું છે કે 2000 રૂપિયાની ગુલાબી નોટો દુર્લભ બની ગઈ છે. ચલણમાં હોવા છતાં લોકો 2000 રૂપિયાની નોટ જોઈ શકતા નથી.

2000 Rupees Currency Notes: મોટાભાગના લોકોનું કહેવું છે કે 2000 રૂપિયાની ગુલાબી નોટો દુર્લભ બની ગઈ છે. ચલણમાં હોવા છતાં લોકો 2000 રૂપિયાની નોટ જોઈ શકતા નથી. છેલ્લી વખત ક્યારે ATMમાંથી પૈસા ઉપાડવા ગયા હતા અને પૈસા ઉપાડવા પર તમને 2000 રૂપિયાની નોટ મળી હતી તે ઘણા લોકોને યાદ નથી. હવે આ મામલો સંસદમાં ગુંજ્યો છે. સંસદમાં સરકારને પૂછવામાં આવ્યું હતું કે, શું આરબીઆઈએ બેંકોને એટીએમ દ્વારા 2000 રૂપિયાની નોટો આપવા પર પ્રતિબંધ મૂક્યો છે?

જેનો સરકાર તરફથી નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જવાબ આપ્યો હતો. સરકારે રૂપિયા 2000ની નોટને લઈને આરબીઆઈને આવી કોઈ બાબતોનો આદેશ આપ્યો હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, બેંકોને આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.

લોકસભામાં પ્રશ્નકાળમાં સાંસદ સંતોષ કુમારે નાણામંત્રીને પૂછ્યું હતું કે, શું ભારતીય રિઝર્વ બેંકે ATM દ્વારા રૂ. 2,000ની નોટોના વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે? આ પ્રશ્નના લેખિત જવાબમાં નાણામંત્રીએ કહ્યું હતું કે, આરબીઆઈ દ્વારા બેંકોને આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેન્કે ઓટોમેટેડ ટેલર મશીનમાં રૂ. 2000ની નોટો ન ભરવા માટે બેન્કોને કોઈ આદેશ આપ્યો નથી. ભૂતકાળના વપરાશ, ઉપભોક્તાઓની જરૂરિયાતો અને સિઝનલ ટ્રેંડને ધ્યાનમાં રાખીને બેંકો પોતે એટીએમમાં રાખવાની રકમ અને મૂલ્ય નક્કી કરે છે.

નાણા મંત્રીને પૂછવામાં આવ્યું હતું કે, RBIએ 2000 રૂપિયાની નોટ છાપવા પર ક્યારથી  પ્રતિબંધ મૂક્યો છે? તો આ પ્રશ્નનો જવાબ આપતાં નાણામંત્રીએ કહ્યું હતું કે, આરબીઆઈના વાર્ષિક અહેવાલ મુજબ 2019-20 થી 2000 રૂપિયાની નોટોની સપ્લાયની કોઈ માંગ નથી. આ પહેલા ડિસેમ્બર 2021માં પણ સરકારે સંસદમાં કહ્યું હતું કે, 2018-19થી 2000 રૂપિયાની નોટ છાપવા માટે કોઈ નવા ઓર્ડર આપવામાં આવ્યા નથી. તેથી 2000 રૂપિયાની નોટોની સંખ્યામાં ઘટાડો થયો છે.



સરકારને એવો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો કે, કેટલાક ડેટા મુજબ નોટબંધી પછી 9.21 લાખ કરોડ રૂપિયાની 500 અને 2000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ છે અને શું આ ચલણી નોટો કાળા નાણામાં ફેરવાઈ ગઈ છે? આ પ્રશ્નના જવાબમાં નાણામંત્રીએ કહ્યું હતું કે, આવો કોઈ ડેટા ઉપલબ્ધ નથી. તેમણે જણાવ્યું હતું કે, આરબીઆઈના વાર્ષિક અહેવાલ મુજબ માર્ચ 2017ના અંતમાં 500 અને 2000 રૂપિયાની નોટો 9.512 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના ચલણમાં હતી. જે માર્ચ 2022માં વધીને 27.057 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

 
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: કોંગ્રેસે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો મમતા દીદી સામે કોણ મેદાનમાં?
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: કોંગ્રેસે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો મમતા દીદી સામે કોણ મેદાનમાં?
Items Banned In Air Travel: વિમાનમાં આ ફળ લઈ જવા પર છે પ્રતિબંધ, કારણ જાણીને ચોંકી જશો
Items Banned In Air Travel: વિમાનમાં આ ફળ લઈ જવા પર છે પ્રતિબંધ, કારણ જાણીને ચોંકી જશો
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
PNG Gas: ભીષણ યુદ્ધ વચ્ચે PNG ની સપ્લાયમાં કેમ નથી થઈ રહી અસર? જાણો ભારતમાં કેટલું થાય છે ઉત્પાદન?
PNG Gas: ભીષણ યુદ્ધ વચ્ચે PNG ની સપ્લાયમાં કેમ નથી થઈ રહી અસર? જાણો ભારતમાં કેટલું થાય છે ઉત્પાદન?

વિડિઓઝ

Amreli Unseasonal Rain : અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, પડ્યો કમોસમી વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં માવઠાની આગાહી?
BJP host Tiffin Meetings: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની ટિફિન બેઠક
DyCM Harsh Sanghavi : LPG ગેસની અછતને લઈ સુરતમાં નાયબ મુખ્યમંત્રીની ઉદ્યોગકારો સાથે બેઠક
CM Bhupendra Patel: મિડલ ઈસ્ટ યુદ્ધને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતોના જીવ અધ્ધર
ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતોના જીવ અધ્ધર
પાકિસ્તાનમાં તેલ સંકટથી હાહાકાર: શાહબાઝ સરકાર લગાવશે 'સ્માર્ટ લોકડાઉન', દુકાનો-હાઈવે બંધ અને લગ્નો પર પણ પ્રતિબંધ!
પાકિસ્તાનમાં તેલ સંકટથી હાહાકાર: શાહબાઝ સરકાર લગાવશે 'સ્માર્ટ લોકડાઉન', દુકાનો-હાઈવે બંધ અને લગ્નો પર પણ પ્રતિબંધ!
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
સોનું 2,100 રૂપિયા મોંઘું થયું, ચાંદીમાં પણ 11,250 રૂપિયાની તેજી, જાણો આજનો લેટેસ્ટ રેટ
સોનું 2,100 રૂપિયા મોંઘું થયું, ચાંદીમાં પણ 11,250 રૂપિયાની તેજી, જાણો આજનો લેટેસ્ટ રેટ
1 એપ્રિલથી ગેસ સિલિન્ડરનો ભાવ વધશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો ખુલાસો
1 એપ્રિલથી ગેસ સિલિન્ડરનો ભાવ વધશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો ખુલાસો
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
'No Kings' આંદોલનથી હચમચી ગયું અમેરિકા; ઈરાન યુદ્ધ વચ્ચે લાખો લોકો ઉતર્યા રસ્તા પર, શું ખતરામાં છે ટ્રમ્પની ખુરશી?
'No Kings' આંદોલનથી હચમચી ગયું અમેરિકા; ઈરાન યુદ્ધ વચ્ચે લાખો લોકો ઉતર્યા રસ્તા પર, શું ખતરામાં છે ટ્રમ્પની ખુરશી?
Embed widget