શોધખોળ કરો

2000 Notes : ATMમાંથી કેમ નથી નિકળતી રૂ. 2000ની નોટ ? થઈ ગઈ બંધ ?

મોટાભાગના લોકોનું કહેવું છે કે 2000 રૂપિયાની ગુલાબી નોટો દુર્લભ બની ગઈ છે. ચલણમાં હોવા છતાં લોકો 2000 રૂપિયાની નોટ જોઈ શકતા નથી.

2000 Rupees Currency Notes: મોટાભાગના લોકોનું કહેવું છે કે 2000 રૂપિયાની ગુલાબી નોટો દુર્લભ બની ગઈ છે. ચલણમાં હોવા છતાં લોકો 2000 રૂપિયાની નોટ જોઈ શકતા નથી. છેલ્લી વખત ક્યારે ATMમાંથી પૈસા ઉપાડવા ગયા હતા અને પૈસા ઉપાડવા પર તમને 2000 રૂપિયાની નોટ મળી હતી તે ઘણા લોકોને યાદ નથી. હવે આ મામલો સંસદમાં ગુંજ્યો છે. સંસદમાં સરકારને પૂછવામાં આવ્યું હતું કે, શું આરબીઆઈએ બેંકોને એટીએમ દ્વારા 2000 રૂપિયાની નોટો આપવા પર પ્રતિબંધ મૂક્યો છે?

જેનો સરકાર તરફથી નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જવાબ આપ્યો હતો. સરકારે રૂપિયા 2000ની નોટને લઈને આરબીઆઈને આવી કોઈ બાબતોનો આદેશ આપ્યો હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, બેંકોને આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.

લોકસભામાં પ્રશ્નકાળમાં સાંસદ સંતોષ કુમારે નાણામંત્રીને પૂછ્યું હતું કે, શું ભારતીય રિઝર્વ બેંકે ATM દ્વારા રૂ. 2,000ની નોટોના વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે? આ પ્રશ્નના લેખિત જવાબમાં નાણામંત્રીએ કહ્યું હતું કે, આરબીઆઈ દ્વારા બેંકોને આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેન્કે ઓટોમેટેડ ટેલર મશીનમાં રૂ. 2000ની નોટો ન ભરવા માટે બેન્કોને કોઈ આદેશ આપ્યો નથી. ભૂતકાળના વપરાશ, ઉપભોક્તાઓની જરૂરિયાતો અને સિઝનલ ટ્રેંડને ધ્યાનમાં રાખીને બેંકો પોતે એટીએમમાં રાખવાની રકમ અને મૂલ્ય નક્કી કરે છે.

નાણા મંત્રીને પૂછવામાં આવ્યું હતું કે, RBIએ 2000 રૂપિયાની નોટ છાપવા પર ક્યારથી  પ્રતિબંધ મૂક્યો છે? તો આ પ્રશ્નનો જવાબ આપતાં નાણામંત્રીએ કહ્યું હતું કે, આરબીઆઈના વાર્ષિક અહેવાલ મુજબ 2019-20 થી 2000 રૂપિયાની નોટોની સપ્લાયની કોઈ માંગ નથી. આ પહેલા ડિસેમ્બર 2021માં પણ સરકારે સંસદમાં કહ્યું હતું કે, 2018-19થી 2000 રૂપિયાની નોટ છાપવા માટે કોઈ નવા ઓર્ડર આપવામાં આવ્યા નથી. તેથી 2000 રૂપિયાની નોટોની સંખ્યામાં ઘટાડો થયો છે.

સરકારને એવો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો કે, કેટલાક ડેટા મુજબ નોટબંધી પછી 9.21 લાખ કરોડ રૂપિયાની 500 અને 2000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ છે અને શું આ ચલણી નોટો કાળા નાણામાં ફેરવાઈ ગઈ છે? આ પ્રશ્નના જવાબમાં નાણામંત્રીએ કહ્યું હતું કે, આવો કોઈ ડેટા ઉપલબ્ધ નથી. તેમણે જણાવ્યું હતું કે, આરબીઆઈના વાર્ષિક અહેવાલ મુજબ માર્ચ 2017ના અંતમાં 500 અને 2000 રૂપિયાની નોટો 9.512 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના ચલણમાં હતી. જે માર્ચ 2022માં વધીને 27.057 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

 
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો

વિડિઓઝ

Chhota Udaipur news: બોડેલી નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી
Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર
AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર
Mehsana: મહેસાણામાં સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, ચાર વિદ્યાર્થીને લાકડીથી ફટકાર્યા
Mehsana: મહેસાણામાં સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, ચાર વિદ્યાર્થીને લાકડીથી ફટકાર્યા
Daily Bad Habits: યુવાઓની આ સાત આદતો શરીરને કરી દેશે બીમાર? નિષ્ણાંતોના મતે- તેની અસર કેટલી છે ખતરનાક?
Daily Bad Habits: યુવાઓની આ સાત આદતો શરીરને કરી દેશે બીમાર? નિષ્ણાંતોના મતે- તેની અસર કેટલી છે ખતરનાક?
Embed widget