શોધખોળ કરો

છત્તીસગઢના બીજાપુરમાં અથડામણ, સુરક્ષાદળોએ 31 નક્સલિયોને કર્યા ઠાર, 2 જવાન શહીદ  

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 31 નક્સલીઓને ઠાર કર્યા છે. આ અથડામણમાં સુરક્ષાદળોના બે જવાન પણ શહીદ થયા હતા.

બીજાપુર: છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 31 નક્સલીઓને ઠાર કર્યા છે. આ અથડામણમાં સુરક્ષાદળોના બે જવાન પણ શહીદ થયા હતા. આ એન્કાઉન્ટર બીજાપુરના નેશનલ પાર્ક હેઠળના જંગલોમાં થયું હતું. બસ્તર પોલીસના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટરમાં 31 નક્સલવાદીઓ માર્યા ગયા છે. હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ગોળીબાર ચાલુ છે 

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઈન્દ્રાવતી નેશનલ પાર્ક વિસ્તારના જંગલમાં રવિવારે સવારે અથડામણ શરૂ થઈ હતી જ્યારે સુરક્ષા દળોની એક ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી. પોલીસ અધિકારીએ કહ્યું, "પ્રારંભિક માહિતી અનુસાર, અથડામણમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા." તેમણે કહ્યું કે આ વિસ્તારમાં હજુ પણ ગોળીબાર ચાલુ છે.

દંતેવાડામાં છ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

આ પહેલા 5 ફેબ્રુઆરીએ દંતેવાડા જિલ્લામાં પાંચ મહિલા નક્સલવાદીઓ સહિત છ નક્સલવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં ચાલી રહેલા લોન વર્રાટૂ (કમ બેક હોમ) અભિયાનથી પ્રભાવિત થઈને પાંચ મહિલા નક્સલવાદીઓ સહિત છ નક્સલવાદીઓ સુરક્ષા દળોની સામે આત્મસમર્પણ કર્યું હતું.

તેણે જણાવ્યું કે આત્મસમર્પણ કરાયેલા નક્સલવાદીઓ મલંગર એરિયા કમિટીની બુર્ગમ પંચાયતમાં સક્રિય હતા. રસ્તાઓ ખોદવા, નક્સલવાદી બેનરો, પોસ્ટરો લગાવવા અને અન્ય ઘટનાઓમાં નક્સલવાદીઓ સામેલ હોવાના આરોપો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ, આત્મસમર્પણ કરાયેલા નક્સલવાદીઓને 25 હજાર રૂપિયાની સહાય રકમ અને છત્તીસગઢ સરકાર દ્વારા આપવામાં આવતી અન્ય સુવિધાઓ જેવી કે 10 હજાર રૂપિયાની માસિક નાણાકીય સહાય, ત્રણ વર્ષ માટે મફત આવાસ અને ભોજન, કૌશલ્ય વિકાસ માટેની તાલીમ, ખેતીની જમીન વગેરે આપવામાં આવશે. તેમણે કહ્યું કે લોન વર્રાટૂ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 900 નક્સલવાદીઓએ 212 પુરસ્કાર મેળવ્યા છે.

હજુ પણ ઓપરેશન ચાલું છે

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા દળોની કાર્યવાહી ચાલુ છે. આ અથડામણ સવારે 8 વાગ્યાથી ચાલી રહી છે. જે વિસ્તારમાં આ થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલું છે. આ એન્કાઉન્ટરમાં સૈનિકો ઘાયલ થયાના પણ સમાચાર છે, જેમને સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા રાયપુર મોકલવામાં આવ્યા છે. આ સમયે, આખા વિસ્તારમાં ગોળીબારનો અવાજ સંભળાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા જ બીજાપુરના જંગલોમાં એક એન્કાઉન્ટર થયું હતું, તે દિવસે પણ 12 નક્સલીઓ માર્યા ગયા હતા.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'

વિડિઓઝ

Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
1 જાન્યુઆરીથી થઈ જશે આ 4 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6 હજાર સસ્તુ, ચાંદીમાં પહેલીવાર 31,500નો કડાકો
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6 હજાર સસ્તુ, ચાંદીમાં પહેલીવાર 31,500નો કડાકો
આધાર લિંક નથી તો ફક્ત રાત્રે જ બુક કરી શકશો રેલવે ટિકિટ, રિઝર્વેશન પર આવ્યો નવો નિયમ
આધાર લિંક નથી તો ફક્ત રાત્રે જ બુક કરી શકશો રેલવે ટિકિટ, રિઝર્વેશન પર આવ્યો નવો નિયમ
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Embed widget