શોધખોળ કરો

સમલૈંગિક લગ્ન પર સુપ્રીમ કોર્ટ આવતીકાલે સંભળાવશે ઐતિહાસિક ફેંસલો

2018માં સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની ખંડપીઠે સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાંથી હટાવી દીધી હતી

Same-sex Marriage Issue: સમલૈંગિક લગ્નને કાનૂની દરજ્જાની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આવતીકાલે (મંગળવાર,  17 ઓક્ટોબર) પોતાનો ચુકાદો આપશે. 10 દિવસની સુનાવણી બાદ 11 મેના રોજ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુનાવણીમાં, અરજદારોએ આગ્રહ કર્યો કે તેમના લગ્નને કાયદેસર રીતે માન્યતા આપવામાં આવે. જ્યારે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તે સમલૈંગિક યુગલોને લગ્નનો દરજ્જો આપ્યા વિના કેટલાક અધિકારો આપવા પર વિચાર કરી શકે છે.

અરજદારો કોણ છે?

સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરનારાઓમાં ગે યુગલ સુપ્રિયો ચક્રવર્તી અને અભય ડાંગ, પાર્થ ફિરોઝ મેહરોત્રા અને ઉદય રાજ ​​આનંદ તથા અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે. 20 થી વધુ અરજીઓમાંથી મોટાભાગની અરજીઓમાં સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની માંગ કરવામાં આવી છે. અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં આંતર-ધાર્મિક અને આંતરજ્ઞાતિય લગ્નો સુરક્ષિત છે. પરંતુ ગે યુગલો સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે.

2018ના નિર્ણયનો આધાર બનાવ્યો

2018માં, સુપ્રીમ કોર્ટે પરસ્પર સંમતિથી બે પુખ્ત વયના લોકો વચ્ચેના સમલૈંગિક સેક્સને અપરાધ જાહેર કર્યો હતો. ત્યારબાદ કોર્ટે આઈપીસીની કલમ 377નો એક ભાગ રદ કર્યો હતો, જે સમલૈંગિકતાને અપરાધ ગણાવે છે. આ પછી ગે મેરેજને કાયદેસરનો દરજ્જો આપવાની માંગ જોર પકડવા લાગી. આખરે ગયા વર્ષે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ વર્ષે, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે આ દિવસોમાં આ મુદ્દા પર સુનાવણી કરી. બેન્ચના બાકીના 4 સભ્યો જસ્ટિસ સંજય કિશન કૌલ, એસ રવિન્દ્ર ભટ, પીએસ નરસિમ્હા અને હિમા કોહલી છે.

અરજદારોની મુખ્ય દલીલો

અરજદારોએ વિશ્વના ઘણા દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપી હોવાની દલીલ કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે ભારતમાં ગે યુગલોને કોઈ કાનૂની અધિકાર નથી. કાયદાની નજરમાં તેઓ પતિ-પત્ની ન હોવાથી, તેઓ એકસાથે બેંક ખાતું ખોલાવી શકતા નથી, તેમના પીએફ અથવા પેન્શનમાં તેમના પાર્ટનરને નોમિની બનાવી શકતા નથી. આ સમસ્યાઓ ત્યારે જ ઉકેલાશે જ્યારે તેમના લગ્નને કાનૂની માન્યતા મળશે.


સમલૈંગિક લગ્ન પર સુપ્રીમ કોર્ટ આવતીકાલે સંભળાવશે ઐતિહાસિક ફેંસલો

'સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ઉકેલ મળ્યો'

અરજદારો વતી એવું પણ કહેવામાં આવ્યું હતું કે સ્પેશિયલ મેરેજ એક્ટની કલમ 4 ના સરળ અર્થઘટન દ્વારા સમગ્ર સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે, જે વિવિધ ધર્મો અને જાતિના લોકો વચ્ચે લગ્નને મંજૂરી આપે છે. કલમ 4માં લખવામાં આવ્યું છે કે બે વ્યક્તિ એકબીજા સાથે લગ્ન કરી શકે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરવું જોઈએ કે 2 લોકોનો અર્થ માત્ર પુરુષ અને સ્ત્રી નથી, તેમાં સમલૈંગિક પણ સામેલ છે.

કેન્દ્રએ માંગનો વિરોધ કર્યો હતો

કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે ભારતીય સમાજ અને તેની માન્યતાઓ ગે લગ્નને યોગ્ય માનતી નથી. કોર્ટે સમાજના એક મોટા વર્ગનો અવાજ પણ સાંભળવો જોઈએ. સોલિસિટર જનરલે એમ પણ કહ્યું કે કાયદો બનાવવો કે તેમાં ફેરફાર કરવો સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે. કોર્ટમાં બેઠેલા કેટલાક લોકોએ એવો મોટો નિર્ણય ન લેવો જોઈએ જે સમાજમાં કાયમી પરિવર્તન લાવે. સુપ્રીમ કોર્ટ પોતાના વતી લગ્નની નવી સંસ્થાને માન્યતા આપી શકે નહીં. સરકારે એમ પણ કહ્યું કે લગ્નને માન્યતા મળ્યા બાદ સમલિંગી યુગલો પણ બાળકને દત્તક લેવાનો પ્રયાસ કરશે. આવા દંપતીમાં મોટા થતા બાળકની માનસિક સ્થિતિ પણ ધ્યાનમાં લેવી જોઈએ.

'ઘણા કાયદાઓને અસર થશે'

સોલિસિટર જનરલે એમ પણ કહ્યું કે સમલૈંગિક લગ્નનો મુદ્દો એટલો સરળ નથી. સ્પેશિયલ મેરેજ એક્ટમાં માત્ર નાના ફેરફારો કરવાથી ફાયદો થશે નહીં. સમલૈંગિક લગ્નની માન્યતા અનેક કાયદાકીય ગૂંચવણોને જન્મ આપશે. 160 અન્ય કાયદાઓ પણ તેનાથી પ્રભાવિત થશે. કૌટુંબિક અને પારિવારિક મુદ્દાઓને લગતા આ કાયદાઓમાં પુરુષને પતિ તરીકે અને સ્ત્રીને પત્ની તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

કોર્ટનો પ્રશ્ન

કેન્દ્ર સરકારની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશો સંમત થયા કે આ વિષય સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સમલૈંગિક લગ્નને કાનૂની દરજ્જો આપવાથી ઘણી મુશ્કેલીઓ ઊભી થશે. ન્યાયાધીશોએ સરકારને પૂછ્યું હતું કે શું સમલૈંગિક યુગલો સતત જે માનવીય સમસ્યાઓનો સામનો કરે છે તેનો ઉકેલ લાવી શકાય છે? જે રીતે સરકારમાં વ્યંઢળ કેટેગરી માટે ટ્રાન્સજેન્ડર એક્ટ બનાવવામાં આવ્યો છે તેવી જ રીતે હોમોસેક્સ્યુઅલ માટે પણ કોઈ ખાસ વ્યવસ્થા કરી શકાય? આવી વ્યવસ્થા જ્યાં તેમના લગ્નને કાનૂની દરજ્જો આપ્યા વિના પણ તેમને સામાજિક સુરક્ષા આપી શકાય અને કેટલાક અધિકારો પણ આપી શકાય.

સરકાર કાયદાકીય અધિકારો આપવા તૈયાર છે

કોર્ટના પ્રશ્નનો જવાબ આપતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે ગે લગ્નને કાયદેસરનો દરજ્જો આપ્યા વિના કેન્દ્ર સરકાર આવા યુગલોને કેટલાક અધિકારો આપવા પર વિચાર કરશે. આ માટે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે.

સપ્ટેમ્બર, 2018માં સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની ખંડપીઠે સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાંથી હટાવી દીધી હતી. તે ચુકાદામાં અદાલતે જણાવ્યું હતું કે બે વયસ્ક વ્યક્તિ વચ્ચે પારસ્પરિક સંમતિથી બાંધવામાં આવેલા સમલૈંગિક સંબંધને હવે ગુનો ગણવામાં આવશે નહીં. એ પછી સમલૈંગિક લગ્નને કાયદેસરના ગણવાની માગણી કરતી અનેક અરજી અદાલત સમક્ષ આવી હતી. સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની ખંડપીઠે એ અરજીઓ બંધારણીય ખંડપીઠને સોંપવાની ભલામણ કરી હતી. જેને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે વડા ન્યાયમૂર્તિના નેતૃત્વમાં પાંચ જજની એક બંધારણીય ખંડપીઠ બનાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget