શોધખોળ કરો

રાઘવ ચઢ્ઢાની 'ચા' અને સાહનીની ઓફર ફગાવી: જાણો પક્ષ ન છોડનાર AAP ના એકમાત્ર સાંસદ કોણ છે?

Aam Aadmi Party: પંજાબના 7 માંથી 6 AAP સાંસદો ભાજપમાં જોડાયા, પરંતુ પદ્મશ્રી બલબીર સિંહ સીચેવાલે બળવાખોર નેતાઓ સાથે જવાની સ્પષ્ટ ના પાડી દીધી; જાણો તેમણે શું મોટા ખુલાસા કર્યા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • બલબીર સિંહ સીચેવાલે AAP છોડવાનો ઇનકાર કર્યો.
  • તેમને ભાજપમાં જોડાવા વિક્રમ સાહનીએ કહ્યું.
  • રાઘવ ચઢ્ઢાએ ચા પીવા બોલાવી, સીચેવાલે ના પાડી.

Balbir Singh Seechewal AAP: આમ આદમી પાર્ટી (AAP) માં પડેલા મોટા ભંગાણ બાદ પંજાબના 7 માંથી 6 રાજ્યસભા સાંસદો એકસાથે ભાજપમાં જોડાઈ ગયા છે. રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ સહિતના 7 મોટા નેતાઓએ શુક્રવારે (24 એપ્રિલ, 2026) પક્ષપલટો કર્યો હતો. પરંતુ આટલા મોટા રાજકીય ભૂકંપ વચ્ચે પણ પંજાબના એકમાત્ર AAP સાંસદ એવા છે, જેમણે પાર્ટી સાથે છેડો ફાડ્યો નથી. આ નેતા એટલે પદ્મશ્રીથી સન્માનિત પર્યાવરણવિદ્ અને આધ્યાત્મિક ગુરુ બલબીર સિંહ સીચેવાલ. જલંધરના આ દિગ્ગજ નેતાએ રવિવારે (26 એપ્રિલ, 2026) એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે બળવાખોર જૂથ દ્વારા તેમને પણ ફોન કરીને અને ચા પર બોલાવીને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી.

વિક્રમ સાહનીએ ફોન કરીને સહી કરવા કહ્યું હતું

સ્થાનિક મીડિયા સાથે વાતચીત કરતા બલબીર સિંહ સીચેવાલે આખી ઘટના વર્ણવી હતી. તેમણે કહ્યું કે, "મને વિક્રમ સાહનીનો ફોન આવ્યો હતો. તેમણે મને કહ્યું કે અમે લોકો એક સ્વતંત્ર જૂથ બનાવી રહ્યા છીએ અને ઘણા લોકો પહેલેથી જ તેમાં જોડાઈ ગયા છે. તેમણે મને પણ એ કાગળ પર સહી કરવા કહ્યું, પણ મેં સીધી ના પાડી દીધી કારણ કે મને આમાં કોઈ રસ નહોતો." સીચેવાલે વધુમાં જણાવ્યું કે સાહનીએ તેમને એવો પણ વિશ્વાસ અપાવ્યો હતો કે યુનિવર્સિટી વાળા લોકો પણ આપણી સાથે જ છે. અહીં તેમનો ઈશારો લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) ના સ્થાપક અશોક કુમાર મિત્તલ તરફ હતો, જેઓ શુક્રવારે રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠક સાથે ભાજપમાં જોડાયા ત્યારે હાજર હતા.

રાઘવ ચઢ્ઢાએ ક્યારેય અગાઉ ચા પર નહોતા બોલાવ્યા

સીચેવાલે રાઘવ ચઢ્ઢા સાથે થયેલી વાતચીતનો પણ રસપ્રદ કિસ્સો શેર કર્યો. તેમણે જણાવ્યું કે 16 થી 18 એપ્રિલ દરમિયાન જ્યારે સંસદનું સત્ર ચાલતું હતું, ત્યારે રાઘવ ચઢ્ઢાએ તેમને કહ્યું હતું કે, "બાબાજી, આવો આપણે ચા પીએ અને સાથે બેસીએ."

આના જવાબમાં સીચેવાલે હળવાશથી કહી દીધું કે, "તમે બધાએ તો ચા પી લીધી છે." સીચેવાલે કટાક્ષ કરતા એમ પણ કહ્યું કે અગાઉ રાઘવ ચઢ્ઢાએ તેમને ક્યારેય ચા માટે આમંત્રણ આપ્યું નહોતું, આ પહેલી વાર હતું એટલે એમને કંઈક રંધાઈ રહ્યું હોવાનો અણસાર આવી ગયો હતો. જોકે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની સાથે સીધી રીતે પક્ષપલટા વિશે કોઈ ચર્ચા થઈ હતી? તો તેમણે સ્પષ્ટ ના પાડતા કહ્યું, "ના, મને કોઈએ સીધું એવું નહોતું કહ્યું અને જો કોઈ એવો દાવો કરે છે, તો તે ખોટું બોલી રહ્યા છે."

Frequently Asked Questions

આમ આદમી પાર્ટી (AAP) માંથી કયા રાજ્યસભા સાંસદો ભાજપમાં જોડાયા છે?

પંજાબના 7 માંથી 6 રાજ્યસભા સાંસદો, જેમાં રાઘવ ચઢ્ઢા અને સ્વાતિ માલીવાલનો સમાવેશ થાય છે, તેઓ AAP છોડીને ભાજપમાં જોડાયા છે.

બલબીર સિંહ સીચેવાલ AAP માં શા માટે રહ્યા?

બલબીર સિંહ સીચેવાલે બળવાખોર જૂથ દ્વારા મનાવવાના પ્રયાસો છતાં AAP સાથે જ રહેવાનો નિર્ણય લીધો છે. તેમને પણ ચા પર બોલાવીને ભાજપમાં જોડાવા માટે સંપર્ક કરાયો હતો.

વિક્રમ સાહનીએ બલબીર સિંહ સીચેવાલનો સંપર્ક કેવી રીતે કર્યો?

વિક્રમ સાહનીએ બલબીર સિંહ સીચેવાલને ફોન કરીને એક સ્વતંત્ર જૂથ બનાવવાની વાત કરી અને તેમાં જોડાવા માટે સહી કરવાનું કહ્યું હતું.

રાઘવ ચઢ્ઢાએ બલબીર સિંહ સીચેવાલને ક્યારે સંપર્ક કર્યો?

રાઘવ ચઢ્ઢાએ સંસદ સત્ર દરમિયાન (16 થી 18 એપ્રિલ) બલબીર સિંહ સીચેવાલને ચા પીવા માટે આમંત્રણ આપ્યું હતું, જે સીચેવાલે વ્યંગાત્મક રીતે સ્વીકાર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
કોકરોચ જનતા પાર્ટીને મોટો ઝટકો, દિલ્હી હાઈકોર્ટે 'X' એકાઉન્ટ તાત્કાલિક ફરી શરુ કરવાનો કર્યો ઇનકાર
કોકરોચ જનતા પાર્ટીને મોટો ઝટકો, દિલ્હી હાઈકોર્ટે 'X' એકાઉન્ટ તાત્કાલિક ફરી શરુ કરવાનો કર્યો ઇનકાર
Advertisement

વિડિઓઝ

Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટની શાનદાર જીત, 7-1થી મારી બાજી; આ મહિલા પહેલવાનને ચટાડી ધૂળ
એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટની શાનદાર જીત, 7-1થી મારી બાજી; આ મહિલા પહેલવાનને ચટાડી ધૂળ
Weather Update: રાજ્યમાં આજથી ગાજવીજ સાથે આ જિલ્લામાં વરસાદની આગાહી
Weather Update: રાજ્યમાં આજથી ગાજવીજ સાથે આ જિલ્લામાં વરસાદની આગાહી
IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી
IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી
Embed widget