શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PM મોદી બાદ ગૃહમંત્રી અમિત શાહ પણ લેશે રસી, મેદાંતાની ટીમ ઘરે જઈને આપશે રસી
દેશભરમાં કોરોના વાયરસના રસીકરણનો ત્રીજી તબક્કો આજથી શરૂ થઈ ગયો છે.
![PM મોદી બાદ ગૃહમંત્રી અમિત શાહ પણ લેશે રસી, મેદાંતાની ટીમ ઘરે જઈને આપશે રસી After PM Modi, Home Minister Amit Shah will also take the vaccine, Medanta's team will go home and give the vaccine PM મોદી બાદ ગૃહમંત્રી અમિત શાહ પણ લેશે રસી, મેદાંતાની ટીમ ઘરે જઈને આપશે રસી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/24013640/Amit-shah.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ આજથી સમગ્ર દેશમાં ત્રીજા તબક્કાનાં રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે. આ તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના દરેક નાગરિકને રસી આપવામાં આવશે. સાથે જ જેમની ઉંમર 45 વર્ષ છે અને તેને કોઈ ગંભીર બીમારી હશે તો તેને પણ આ તબક્કામાં રસી આપવામાં આવશે. આ તબક્કાના રસીકરણની શરૂઆત ખુદ પ્રધાનમંત્રી મોદીએ રસી લઈને કરી છે.
પીએમ મોદીએ રસી લીધા બાદ હવે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોના રસી લેશે. મેદાંતા હોસ્પિટલની ટીમ ગૃહમંત્રીના ઘરે જઈને કોરોના રસી આપશે. ગૃહમંત્રીને આજે કોરોના રસી આપવામાં આવશે. આ પહેલા પીએમ મોદીએ આજે કોરોના રસી લીધી હતી.
પીએમ મોદીએ સવારે 6 કલાકે એઈમ્સ જઈને ત્યાં કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ લીધો. દેશભરમાં કોરોના વાયરસના રસીકરણનો ત્રીજી તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. જેમાં સમગ્ર દેશમાં 60 વર્ષથી ઉપરની વ્યક્તિ અને 45 વર્ષથી ઉપરની અને અન્ય બીમારી હોય તેવી વ્યક્તિને કોરોના વાયરસની રસી આપવાનું શરૂ થયું છે.
મોદીએ સવારે 6.25 કલાકે લીધી રસી
દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં પીએમ મોદીએ ભારત બાયોટેકની Co Vaxinનો પ્રથમ ડોઝ સવારે 6.25 કલાકે લીધો હતો. પુડુચેરીની હેવાસી સિસ્ટર પી નિવેદાએ તેમને આ ડોઝ આપ્યો હતો. પીએમએ આસામી ગમછો પહેર્યો હતો અને કોઈપણ સુરક્ષા વગર તેઓ એઈમ્સ પહોંચ્યા હતા.
સાથે મળીને ભારતને કોરોના મુક્ત બનાવીએ- મોદી
રસી લીધા બાદ પીએમ મોદીએ કહ્યું, “કોરોના વાયરસ વિરૂદ્ધ વૈશ્વિક લડાઈને મજબૂતી આપવા માટે જે ઝડપથી આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કામ કર્યું છે તે ઉલ્લેખનીય છે. જે લોકો રસી લેવા માટે યોગ્ય છે, હું એ બધાને રસી લેવાની અપીલ કરું છું. સાથે મળીને ભારતને કોરોના મુક્ત બનાવીએ.”
રસી ન લેવા પર વિપક્ષે ઉઠાવ્યા હતા સવાલ
જણાવીએ કે, દેશમાં કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો શરૂ થયા પહેલા કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ પીએમ મોદી પર રસી ન લેવા પર સવાલ ઉઠાવ્યા હતા. વિપક્ષનું કહેવું હતું કે પીએ મમોદી અને તેમના મંત્રી કોરોના રસી નથી લઈ રહ્યા, જ્યારે અન્ય દેશોના પ્રમુખોએ લોકો પહેલા ખુદ રસી લીધી હતી. વિપક્ષે સરકારને પૂછ્યું હતું કે આખરે કેન્દ્રના મંત્રી રસી લેવાથી કેમ ડરે છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)