શોધખોળ કરો

Shraddha Murder Case: શ્રદ્ધા હત્યાકેસ ઉકેલાઈ ગયો? આફતાબે નાર્કો ટેસ્ટમાં કર્યા અનેક ખુલાસા

આ દરમિયાન આફતાબે ફરી એકવાર શ્રદ્ધાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી આફતાબે ટેસ્ટમાં પૂછવામાં આવેલા મોટાભાગના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

Shraddha Murder Case Update: શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યાની વાત આખરે કબુલી લીધી છે. દિલ્હીના રોહિણી સ્થિત ડો.ભીમરાવ આંબેડકર હોસ્પિટલમાં આફતાબના નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આફતાબનો નાર્કો ટેસ્ટ 1 કલાક 50 મિનિટ સુધી ચાલ્યો હતો. ટેસ્ટ બાદ આરોપી આફતાબને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યો હતો. 

આ દરમિયાન આફતાબે ફરી એકવાર શ્રદ્ધાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી આફતાબે ટેસ્ટમાં પૂછવામાં આવેલા મોટાભાગના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેમણે અંગ્રેજીમાં પણ ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ સાથે જ આફતાબે કેટલાક સવાલોના જવાબ આપવામાં થોડો સમય પણ લીધો હતો. પરંતુ જ્યારે કેટલાક પ્રશ્નો ફરીને પુછવામાં આવ્યા તો તેણે યોગ્ય જવાબ આપ્યા હતાં. આ ટેસ્ટ દરમિયાન આફતાબ ખૂબ જ આત્મવિશ્વાસથી ભરેલો નજરે પડ્યો હતો. 

હત્યાની કરી કબૂલાત

આરોપી આફતાબે નાર્કો ટેસ્ટ દરમિયાન શ્રદ્ધાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. એટલું જ નહીં આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ કર્યો હતો અને તેને ક્યાં ફેંક્યુ હતું તેને લઈને પણ સનસની ખુલાસો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટેસ્ટ દરમિયાન પણ આફતાબ ચાલાકી બતાવતો હતો. અત્યાર સુધી આફતાબ પોલીસની દરેક વાત માની રહ્યો છે અને તપાસમાં સહકાર આપી રહ્યો છે. પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ માટે પણ સંમત થયો હતો. પોલીસ તેના સારા વર્તન પર શંકા વ્યક્ત કરી રહી છે.

આફતાબની હજી આકરી કસોટી બાકી

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના મદદનીશ નિયામક સંજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આજે FSLએ આફતાબનો નાર્કો ટેસ્ટ પૂર્ણ કર્યો છે. ટેસ્ટ દરમિયાન મનોવૈજ્ઞાનિકો, ટેકનિશિયન, એફએસએલના ફોટો નિષ્ણાતો અને આંબેડકર હોસ્પિટલની મેડિકલ ટીમ હાજર રહી હતી. તેમણે કહ્યું હતું કે, નાર્કો બાદ હવે બીજા ટેસ્ટ પણ થશે. આ ટેસ્ટ માટે આરોપી આફતાબને એફએસએલમાં લાવવામાં આવશે જ્યાં તેનું કાઉન્સલિંગ કરવામાં આવશે.

પોલીગ્રાફી ટેસ્ટ કરાવ્યો

આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ આજે પૂરો થઈ ગયો છે, જેનો ફાઈનલ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન આફતાબે કબૂલ્યું હતું કે તેણે જ શ્રદ્ધાની હત્યા કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે, તેને શ્રદ્ધાની હત્યાનો કોઈ જ અફસોસ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
Advertisement

વિડિઓઝ

Ahmedabad Demolition News : અમદાવાદના મોટેરામાં પ્રશાસને ફેરવ્યું દબાણો પર બુલડોઝર
Cylcone Ditwah Update: દિત્વાહ વાવાઝોડાની ભારતમાં કેટલી અસર? સમજો વિન્ડીની મદદથી
Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી
ED Raids: ગુજરાત સહિત 15 રાજ્યોની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડા
Ahmedabad News : અમદાવાદમાં એલ.ડી. એન્જિ. કોલેજની હોસ્ટેલમાં  મારામારી કર્યાનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
PSU Bank Merger: તમારું એકાઉન્ટ કઈ બેંકમાં છે? આ 6 બેંકો 'પતનની આરે', સરકાર દ્વારા મર્જરની મોટી તૈયારી!
PSU Bank Merger: તમારું એકાઉન્ટ કઈ બેંકમાં છે? આ 6 બેંકો 'પતનની આરે', સરકાર દ્વારા મર્જરની મોટી તૈયારી!
સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી! માત્ર ૨૪ કલાકમાં ભાવમાં એવો ઉછાળો કે ખરીદદારો વિચારતા રહી ગયા
સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી! માત્ર ૨૪ કલાકમાં ભાવમાં એવો ઉછાળો કે ખરીદદારો વિચારતા રહી ગયા
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
Embed widget