શોધખોળ કરો

Lok Sabha Election: ઉદ્ધવ બાદ શરદ પવાર સાથે રાહુલ ગાંધીએ કરી વાત, મહારાષ્ટ્રમાં 38 સીટ પર બની વાત, 9 પર કોકડું ગુંચવાયું

આ વાત એવા સમયે પ્રકાશમાં આવી રહી છે જ્યારે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે અને NCP ચીફ શરદ પવાર સાથે ફોન પર વાત કરી હતી. સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ત્રણેય નેતાઓ વચ્ચે શીટ વહેંચણીના મુદ્દે ચર્ચા થઈ હતી.

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે, મહારાષ્ટ્રમાં શીટ વહેંચણીને લઈને વાટાઘાટો ચાલી રહી હોય તેવું લાગે છે. આ દરમિયાન, મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકોમાંથી કોંગ્રેસ, શરદ પવારની એનસીપી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી વચ્ચે 38 બેઠકો પર સમજૂતી થઈ છે, પરંતુ મુદ્દો 9 બેઠકો પર અટવાયેલો છે.

રાહુલ ગાંધીએ MVA નેતાઓ સાથે વાત કરી

આ વાત એવા સમયે પ્રકાશમાં આવી રહી છે જ્યારે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે અને NCP ચીફ શરદ પવાર સાથે ફોન પર વાત કરી હતી. સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ત્રણેય નેતાઓ વચ્ચે શીટ વહેંચણીના મુદ્દે ચર્ચા થઈ હતી. બેઠકોની વહેંચણીને લઈને 27મી ફેબ્રુઆરીએ મહાવિકાસ અઘાડી (MVA)ની બેઠક છે. એમવીએના નેતાઓ 28મી ફેબ્રુઆરી સુધીમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરશે.

કોંગ્રેસ-શિવસેના (UBT)ને કેટલી સીટો જોઈએ છે?

સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે કોંગ્રેસ મુંબઈમાં લોકસભાની 6માંથી 3 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. આ ત્રણ બેઠકો મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ ઉત્તર મધ્ય અને મુંબઈ દક્ષિણ મધ્ય છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના ચાર બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવા માંગે છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે મુંબઈ શિવસેના (UBT) કઈ ચાર લોકસભા બેઠકો ઈચ્છે છે.

કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રભારી રમેશ ચેન્નીથલાએ જણાવ્યું હતું કે, "MVA ગઠબંધન મજબૂત છે અને મહત્તમ બેઠકો જીતવા માટે દરેક એક થઈને કામ કરશે. તેમણે કહ્યું કે પ્રકાશ આંબેડકર, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત ચાલી રહી છે." દેશમાં સૌથી વધુ લોકસભા બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે. 80 લોકસભા સીટો ધરાવતા યુપીમાં કોંગ્રેસ 17 સીટો પર ચૂંટણી લડવા માટે રાજી થઈ ગઈ છે.

તો બીજી તરફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં 4-3ની ફોર્મ્યુલા આપી છે. એટલે કે આમ આદમી પાર્ટી 4 સીટો પર અને કોંગ્રેસ 3 સીટો પર ચૂંટણી લડશે. જો કે કોંગ્રેસ 4 સીટો માંગી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે, પરંતુ કોંગ્રેસની એક સીટની માંગને કારણે હજુ સુધી ગઠબંધન અને આ મહત્વની બેઠકને લઈને જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Embed widget