શોધખોળ કરો

Covid Update: દેશમાં કોરોનાના કેસ વધતાં ટોચના વૈજ્ઞાનિકે શું કરી માંગ ? જાણો વિગત

Covid-19 Update: દેશમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસ વધી રહ્યા છે. જેના કારણે ઘણા લોકો ચોથી લહેરની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

Covid Update: દેશમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસ વધી રહ્યા છે. જેના કારણે ઘણા લોકો ચોથી લહેરની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર રાકેશ મિશ્રાએ આ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. ચોથી લહેરની સંભાવના ખૂબ ઓછી છે, મને નથી લાગતું કે ભારતમાં કોરોનાની આગામી લહેર હમણાં આવી રહી છે.

કોરોના સામેની લડાઈમાં શું છે મહત્વપૂર્ણ હથિયાર ?

ટાટા ઇન્સ્ટિટ્યૂટ ફોર જિનેટિક્સ એન્ટ સોસાયટીના ડો.રાકેશ મિશ્રાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે કોરોના વાયરસના નવા સ્વરૂપો બહાર આવતા રહેશે પરંતુ જો સાવચેતી રાખવામાં આવે તો તે બહુ ચિંતાનો વિષય નથી. તેમણે કહ્યું હતું કે, કોરોના વાયરસ નવા સ્વરૂપમાં દેખાતો રહેશે, પોતાને પરિસ્થિતિ સાથે ઢાળી દેશે. પરંતુ જો આપણે દરેક પ્રકારની સાવચેતી રાખતા રહીએ તો તેની ચિંતા કરવાની જરૂર નથી. કોરોના સામેના આ યુદ્ધમાં માસ્ક મહત્વપૂર્ણ હથિયાર છે. મને નથી લાગતું કે ભારતને કોરોનાની ચોથી લહેર જોવા મળશે કારણ કે તેની સંભાવના ઘણી ઓછી લાગી રહી છે.તેમણે જિનોમ સિક્વન્સિંગ વધારવાની માંગ કરી હતી.

લોકોને છે આ અપીલ

ડો.રાકેશે કહ્યું કે, ડેટામાં જે કોરોનાના કેસો બતાવવામાં આવી રહ્યા છે તેની વાસ્તવિકતા તેનાથી ઘણી અલગ હોઈ શકે છે. તે ક્યાંક તેના કરતા ઘણું વધારે હોઈ શકે છે. પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. સાવચેતી રાખીને કોરોનાને દૂર રાખી શકાય છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ એકબીજાથી અંતર રાખે, માસ્ક પહેરે અને સ્વચ્છતાનું ધ્યાન રાખે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ  

ભારતમાં કોરોના કેસમાં ફરી વધારો થયો છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં  4270 નવા કેસ નોંધાયા છે અને 9 સંક્રમિતોના મોત  થયા છે. એક્ટિવ કેસ 25 હજારને પાર થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 25,782 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,701 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,30,852 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 194,12,87,000 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 2,57,187 ડોઝ આપવામાં આવ્યા હતા.  

  • 5 જૂન રવિવારે  4270 નવા કેસ અને 15 સંક્રમિતોના મોત
  • 4  જૂન શનિવારે 3962 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા હતા.
  • 3 જૂન શુક્રવારે 4041 નવા કેસ નોંધાયા અને 10 સંક્રમિતોના મોત થયા હતા
  • 2 જૂન ગુરુવારે 3712 નવા કેસ અને 5 સંક્રમિતોના મોત થયા હતા.
  • 1 જૂન બુધવારે 2745 નવા કેસ નોંધાયા અને 6 સંક્રમિતોના મોત થયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Embed widget