શોધખોળ કરો

Amrit Bharat Station: PM મોદી આજે લોન્ચ કરશે અમૃત ભારત સ્ટેશન યોજના, દેશના 508 સ્ટેશનોની થશે કાયાકલ્પ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ મારફતે અમૃત ભારત સ્ટેશન યોજનાનો પ્રારંભ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ મારફતે અમૃત ભારત સ્ટેશન યોજનાનો પ્રારંભ કરશે. આ યોજના હેઠળ એક સાથે દેશભરના 508 સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે. આ યોજના માટે સ્ટેશનો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને વિસ્તારના ધારાસભ્યો હાજર રહેશે. રેલવે અધિકારીઓ ન્યૂ ઈન્ડિયાના સપનાને સાકાર કરવા કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરશે. આ ભવ્ય કાર્યક્રમનું આ સ્ટેશનો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. જે રીતે લોકો વડાપ્રધાનના મનની વાત સાંભળે છે, તે જ રીતે સ્ટેશનો પર મોટી સ્ક્રીન લગાવીને લોકો રેલવેની સમગ્ર યોજનાથી વાકેફ થશે.

ઉત્તર રેલવેના જનરલ મેનેજર શોભન ચૌધરીના જણાવ્યા મુજબ, તે વિશ્વના સૌથી મોટા અને સૌથી વ્યસ્ત રેલવે નેટવર્કમાંનું એક છે, જે લાખો લોકો માટે પરિવહનનું મહત્વનું સાધન પ્રદાન કરે છે, જે દેશના હજારો શહેરો અને નગરોને જોડે છે. ભારતીય રેલ્વેના આધુનિકીકરણની પ્રક્રિયા છેલ્લા નવ વર્ષથી ચાલી રહી છે. આ અંતર્ગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને પેસેન્જર સુવિધાઓ સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહત્વાકાંક્ષી યોજનામાં રેલ્વે સ્ટેશનોનું નવીનીકરણ, નવી રેલ્વે લાઇન પાથરવી, 100 ટકા વિદ્યુતીકરણ અને મુસાફરો અને સંપત્તિની સલામતી વધારવા જેવી પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી 508 સ્ટેશનોના નવીનીકરણ કાર્યોના પ્રારંભ સાથે સમગ્ર ભારતમાં 'અમૃત ભારત સ્ટેશન યોજના'નું ઉદ્ઘાટન કરશે, જેમાંથી 71 રેલવે સ્ટેશન ઉત્તર રેલવે ઝોનમાં છે.

આ પ્રોજેક્ટ પાછળ 24470 કરોડનો ખર્ચ થશે

વડાપ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પુનર્વિકાસ પ્રોજેક્ટનો ખર્ચ 24,470 કરોડ રૂપિયા હશે અને તે મુસાફરોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે. વડાપ્રધાન જે રેલ્વે સ્ટેશનો માટે પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે તેમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 55-55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્ય પ્રદેશમાં 34, આસામમાં 32, ઓડિશામાં 25 રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે. પંજાબમાં 22, ગુજરાતમાં 21 અને તેલંગાણામાં 21, ઝારખંડમાં 20, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18, હરિયાણામાં 15 અને કર્ણાટકમાં 13 છે.

વિશ્વકક્ષાની સુવિધાઓ આપવી

પીએમઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાધુનિક જાહેર પરિવહન પર વારંવાર ભાર મૂકે છે અને લોકોના પરિવહન માટે રેલવે એ પસંદગીનું માધ્યમ છે. તેમણે રેલવે સ્ટેશનો પર વિશ્વ કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના મહત્વને પ્રાથમિકતા આપી છે. આ અભિગમ સાથે 1,309 સ્ટેશનોના પુનર્વિકાસ માટે 'અમૃત ભારત સ્ટેશન યોજના' શરૂ કરવામાં આવી હતી. યોજના હેઠળ પીએમ મોદી 508 સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget