શોધખોળ કરો

Arvind Kejriwal On Freebies: પીએમ મોદીના નિવેદન પર કેજરીવાલે કર્યો પલટવાર, જાણો શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ચૂંટણી પહેલા સરકારો દ્વારા આપવામાં આવતી મફત સુવિધાઓ પર કટાક્ષ કર્યો હતો. શનિવારે બુંદેલખંડ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ તેને રેવડી સંસ્કૃતિ ગણાવી હતી.

Arvind Kejriwal On Freebies: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ચૂંટણી પહેલા સરકારો દ્વારા આપવામાં આવતી મફત સુવિધાઓ પર કટાક્ષ કર્યો હતો. શનિવારે બુંદેલખંડ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ તેને રેવડી સંસ્કૃતિ ગણાવી હતી. હવે પીએમના નિવેદન પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા સામે આવી છે.

 

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હોસ્પિટલોમાં મફત સારવાર શું ખોટી છે? દિલ્હીમાં તમામ મેડિકલ ટેસ્ટ મફતમાં કરવામાં આવે છે. મને કહો કે અમે શું ખોટું કર્યું છે? હું દેશનો પાયો નાખું છું, હું રેવડી મફતમાં નથી વેંચી રહ્યો. પહેલા સરકારી શાળાઓની હાલત ખરાબ હતી. આજે ગરીબોના બાળકો NEET, JEE પાસ કરી રહ્યા છે. અમે હજારો બાળકોનું ભવિષ્ય બદલી નાખ્યું છે. હું બાળકોને મફત શિક્ષણ આપું છું. શું સરકારી શાળાઓમાં મફત શિક્ષણ આપવું ખોટું છે?

 

મફત શિક્ષણ અને સારવારને ફ્રીની રેવડી ન કહેવાય

તેમણે કહ્યું કે આપણા દેશના બાળકોને મફત અને સારું શિક્ષણ આપવું અને લોકોને સારી અને મફત સારવાર આપવી તેને ફ્રીમાં રેવડી વહેંચવી ન કહેવાય. અમે એક વિકસિત અને ગૌરવશાળી ભારતનો પાયો નાખી રહ્યા છીએ. આ કામ 75 વર્ષ પહેલા થઈ જવું જોઈતું હતું. સીએમ કેજરીવાલે કહ્યું કે દિલ્હીની સરકારી શાળાઓમાં 18 લાખ બાળકો અભ્યાસ કરે છે. જેમ દેશભરની સરકારી શાળાઓની સ્થિતિ ખરાબ હતી, તેમ જ દિલ્હીની સરકારી શાળાઓની પણ હાલત ખરાબ હતી. 18 લાખ બાળકોનું ભવિષ્ય બરબાદ થયું. આજે આ બાળકોનું ભવિષ્ય સારુ બનાવ્યું તો મે શું ગુનો કર્યો?

અરવિંદ કેજરીવાલે ફ્રી રેવડીનો અર્થ જણાવ્યો

અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ ફ્રીની રેવડી શું છે, હું તમને જણાવું. એક કંપનીએ ઘણી બેંકો પાસેથી લોન લીધી અને પૈસા ખાઈ ગઈ. બેંક નાદાર થઈ ગઈ અને તે કંપનીએ એક રાજકીય પક્ષને કરોડો રૂપિયાનું દાન આપ્યું અને સરકારે તે કંપની સામે કોઈ પગલાં ન લીધા. આ ફ્રી રેવડી કલ્ચર છે. અમે ફરિસ્તા યોજના દ્વારા 13 હજાર લોકોના જીવ બચાવ્યા છે, તેમને પૂછો કે શું આ ફ્રી રેવડી છે. તમારા મંત્રીઓને મફતમાં વીજળી મળે છે. જ્યારે અમે લોકોને મફતમાં વીજળી આપીએ છીએ તો શું આ ફ્રી રેવડી છે? અમે 17 હજાર લોકોને મફતમાં યોગ શીખવીએ છીએ. લગભગ 45 હજાર જેટલા વડીલોએ વિનામૂલ્યે તીર્થયાત્રા કરી છે, તે પુણ્યની વાત છે, પરંતુ તેઓ મને કહી રહ્યા છે કે, તે ફ્રીમાં રેવડી વેંચી રહ્યા છે.

પીએમ મોદીએ રેવડી કલ્ચર પર શું કહ્યું હતું?

તમને જણાવી દઈએ કે બુંદેલખંડ એક્સપ્રેસવેના ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે આપણા દેશમાં ફ્રી રેવડીનું વિતરણ કરીને વોટ એકત્રિત કરવાની કલ્ચર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે અત્યંત જોખમી છે. દેશની જનતાએ આ રેવડી કલ્ચરથી ખૂબ જ સાવચેત રહેવું પડશે. પીએમના આ નિવેદન પર દિલ્હીના સીએમએ પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો...

Vidya Balan Education: 'પરિણીતા'થી બોલીવૂડમાં એન્ટ્રી કરનારી વિદ્યા બાલને શું કર્યો છે અભ્યાસ ? જાણો તેના વિશે

CRIME NEWS : બે માસુમ દિકરી અને પત્નીને ગોળી મારી વેપારીએ પોતે પણ કરી આત્મહત્યા, ઘટનાથી ખળભળાટ

CRIME NEWS : 8 વર્ષમાં પ્રેમીએ 14 વાર કરાવ્યો ગર્ભપાત, લિવઈનમાં રહેતી મહિલાએ કરી આત્મહત્યા

તિસ્તા સેતલવાડ કેસમાં મોટો ખુલાસો, તિસ્તાએ કોંગ્રેસ પ્રમુખના સલાહકાર પાસેથી બે વાર લાખો રૂપિયા લીધાનો SITનો દાવો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget