શોધખોળ કરો

Atiq-Ashraf Shot Dead: અતીક-અશરફની હત્યા મામલે મોટો ખુલાસો, હત્યાકાંડ સમયે હાજર હતા શૂટર્સના અન્ય બે સાથીઓ

ગેંગસ્ટર અતીક અને અશરફ મર્ડર કેસને લઈને મોટો ખુલાસો થયો છે

Atiq Ashraf Murder Case: ગેંગસ્ટર અતીક અને અશરફ મર્ડર કેસને લઈને મોટો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે ત્રણ આરોપી શૂટરોએ અતીક અને અશરફ પર ગોળીબાર કર્યો ત્યારે હત્યાકાંડના સ્થળે વધુ બે લોકો હાજર હતા. આ બે લોકો આ ત્રણેયને સતત સૂચના આપતા હતા. જો કે આ બંનેના નામ હજુ જાણવા મળ્યા નથી. હાલ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. હવે SIT આ બંનેને શોધી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શૂટર્સના આ બે સાથીઓમાંથી એક પ્રયાગરાજનો જ છે. એટલું જ નહીં, બંનેએ ત્રણેય શૂટર્સના રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરી હતી અને રેકી દરમિયાન તેમની મદદમાં પૂરો સહયોગ પણ આપ્યો હતો. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે. હત્યાકાંડ વખતે તેમાંથી એક હોસ્પિટલના પરિસરમાં અને બીજો હોસ્પિટલની બહાર ઊભો હતો.

હોટલમાંથી આરોપી શૂટરોના ફોન મળી આવ્યા

શૂટરોએ તેમના મોબાઈલ હોટલમાં છોડી દીધા હતા. આ પછી પણ બંને સતત અતીક અને અશરફનું ચોક્કસ લોકેશન મેળવી રહ્યા હતા. એસઆઈટીએ તે હોટલમાંથી શૂટરોના બે જૂના ફોન પણ રિકવર કર્યા છે. જો કે આ બંને ફોનમાં કોઈ સિમ નથી. એટલું જ નહીં, 13 એપ્રિલે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અતીકના પુત્ર અસદના ફોનમાંથી પણ પોલીસને ઘણી મહત્વપૂર્ણ માહિતી મળી હતી.

પોલીસને શેરે અતીક નામના વોટ્સએપ ગ્રુપની જાણ થઈ છે. અતીકના પુત્ર અસદે આ ગ્રુપ બનાવ્યું હતું. પ્રયાગરાજ, કૌશામ્બી અને ફતેહપુરના લગભગ 200 યુવાનો આ જૂથના સભ્ય હતા. ઉમેશ પાલ મર્ડર કેસના થોડા દિવસ પહેલા આ ગ્રુપને ડિલીટ કરવામાં આવ્યું હતું. આ ગ્રુપમાં જોડાયેલા નંબરો ચેક કર્યા બાદ પોલીસ આ લોકોની પૂછપરછ કરવાની પણ તૈયારી કરી રહી છે.

Satya Pal Malik: પુલવામા મામલે બોલવું સત્યપાલ મલિકને ભારે પડ્યું? CBI કાર્યવાહી શરૂ

CBI Summons Satya Pal Malik: જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સામે મુશ્કેલી ઉભી થઈ છે. ભ્રષ્ટાચારના કેસમાં CBIએ સત્યપાલ મલિકને મૌખિક સમન્સ પાઠવ્યા છે. એજન્સી દ્વારા તેમને 27 અને 28 એપ્રિલના રોજ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. જોકે આ અંગે સીબીઆઈએ હજુ સુધી પુષ્ટિ કરી નથી.

એજન્સીએ જમ્મુ અને કાશ્મીરમાં ભૂતકાળના બે પ્રોજેક્ટમાં ગેરરીતિ અંગે કેસ નોંધ્યો હતો. આ કેસમાં સીબીઆઈએ તેમને બોલાવ્યા છે. મલિકે દાવો કર્યો હતો કે, તેમને બે ફાઇલો પર સહી કરવા માટે 300 કરોડની ઓફર મળી હતી. સીબીઆઈએ ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ તેમની પૂછપરછ કરી હતી.

મલિકને આ સમન એવા સમયે મોકલવામાં આવ્યું હતું જ્યારે તેણે પુલવામા હુમલાને લઈને સરકારની નિષ્ફળતા ગણાવી હતી. તેમણે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સીઆરપીએફએ વિમાન માંગ્યું હતું પરંતુ તે આપવામાં આવ્યું ન હતું અને હુમલો થયો હતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget