શોધખોળ કરો

Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરથી ઉત્તર પ્રદેશના પ્રવાસન ઉદ્યોગને થશે ફાયદો, 20-25 હજાર કરોડ રૂપિયાની વધશે આવક

રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થતાં ઉત્તર પ્રદેશમાં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની ધારણા છે

અયોધ્યામાં રામ મંદિર માટે લાંબી પ્રતિક્ષાનો અંત આવવાનો છે. થોડા સમય બાદ આજે 22મી જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. આ મંદિરને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ છે. રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થતાં ઉત્તર પ્રદેશમાં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની ધારણા છે, જેનાથી રાજ્યની આવકમાં પણ વધારો થવાની આશા છે.

કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ રાજ્યને મળે છે

એસબીઆઈના રિપોર્ટ અનુસાર, યુપીની આવકને આનાથી 20 થી 25 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થઈ શકે છે. રિપોર્ટ અનુસાર અયોધ્યામાં રામ મંદિર અને અન્ય પ્રવાસન યોજનાઓને કારણે ઉત્તર પ્રદેશની ટેક્સ રેવન્યુ 20 હજાર કરોડ રૂપિયાથી વધીને 25 હજાર કરોડ રૂપિયા થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશને કેન્દ્ર સરકારની પિલગ્રિમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઇવ (પ્રસાદ) યોજનાથી ઘણો ફાયદો થઈ રહ્યો છે.

યુપીમાં પ્રવાસીઓનો ખર્ચ બમણો થશે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં પ્રવાસીઓનો ખર્ચ 2022 સુધીમાં બમણો થઈ શકે છે. વર્ષ 2022માં સ્થાનિક પ્રવાસીઓએ ઉત્તર પ્રદેશમાં 2.2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. વિદેશી પ્રવાસીઓએ રાજ્યમાં 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. રિપોર્ટ અનુસાર, રામ મંદિર અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટેની અન્ય યોજનાઓના આધારે રાજ્યમાં પ્રવાસી ખર્ચ આ વર્ષે 4 લાખ કરોડ રૂપિયાને પાર કરી શકે છે.

SBIના રિપોર્ટમાં ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થાની પણ વાત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2027-28માં દેશની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડૉલરની થઈ જશે ત્યાં સુધીમાં ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થા 500 બિલિયન ડૉલરને પાર કરી શકે છે. આ નોર્વે જેવા દેશની સમગ્ર અર્થવ્યવસ્થાના કદ કરતાં પણ વધુ હશે. તે ભારતના અર્થતંત્રમાં બીજા નંબરનું સૌથી મોટું યોગદાન આપનાર હશે.

રામ મંદિરના કારણે એક સાથે અનેક પાસાઓ પ્રભાવિત થઈ રહ્યા છે. મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું ત્યારથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. અયોધ્યા અને તેની આસપાસની જમીનના ભાવ આસમાને પહોંચી ગયા છે. પ્રવાસીઓના સંભવિત આગમનને ધ્યાનમાં રાખીને કંપનીઓએ અત્યારથી જ તૈયારીઓ ઝડપી કરી દીધી છે. આનાથી ખાસ કરીને પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રને મોટું પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. આ પહેલા રિટેલ વેપારીઓના સંગઠન CATએ કહ્યું હતું કે રામ મંદિરના કારણે દેશભરના વેપારીઓને 1 લાખ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ મળ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
Embed widget