શોધખોળ કરો

Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરથી ઉત્તર પ્રદેશના પ્રવાસન ઉદ્યોગને થશે ફાયદો, 20-25 હજાર કરોડ રૂપિયાની વધશે આવક

રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થતાં ઉત્તર પ્રદેશમાં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની ધારણા છે

અયોધ્યામાં રામ મંદિર માટે લાંબી પ્રતિક્ષાનો અંત આવવાનો છે. થોડા સમય બાદ આજે 22મી જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. આ મંદિરને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ છે. રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થતાં ઉત્તર પ્રદેશમાં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની ધારણા છે, જેનાથી રાજ્યની આવકમાં પણ વધારો થવાની આશા છે.

કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ રાજ્યને મળે છે

એસબીઆઈના રિપોર્ટ અનુસાર, યુપીની આવકને આનાથી 20 થી 25 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થઈ શકે છે. રિપોર્ટ અનુસાર અયોધ્યામાં રામ મંદિર અને અન્ય પ્રવાસન યોજનાઓને કારણે ઉત્તર પ્રદેશની ટેક્સ રેવન્યુ 20 હજાર કરોડ રૂપિયાથી વધીને 25 હજાર કરોડ રૂપિયા થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશને કેન્દ્ર સરકારની પિલગ્રિમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઇવ (પ્રસાદ) યોજનાથી ઘણો ફાયદો થઈ રહ્યો છે.

યુપીમાં પ્રવાસીઓનો ખર્ચ બમણો થશે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં પ્રવાસીઓનો ખર્ચ 2022 સુધીમાં બમણો થઈ શકે છે. વર્ષ 2022માં સ્થાનિક પ્રવાસીઓએ ઉત્તર પ્રદેશમાં 2.2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. વિદેશી પ્રવાસીઓએ રાજ્યમાં 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. રિપોર્ટ અનુસાર, રામ મંદિર અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટેની અન્ય યોજનાઓના આધારે રાજ્યમાં પ્રવાસી ખર્ચ આ વર્ષે 4 લાખ કરોડ રૂપિયાને પાર કરી શકે છે.

SBIના રિપોર્ટમાં ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થાની પણ વાત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2027-28માં દેશની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડૉલરની થઈ જશે ત્યાં સુધીમાં ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થા 500 બિલિયન ડૉલરને પાર કરી શકે છે. આ નોર્વે જેવા દેશની સમગ્ર અર્થવ્યવસ્થાના કદ કરતાં પણ વધુ હશે. તે ભારતના અર્થતંત્રમાં બીજા નંબરનું સૌથી મોટું યોગદાન આપનાર હશે.

રામ મંદિરના કારણે એક સાથે અનેક પાસાઓ પ્રભાવિત થઈ રહ્યા છે. મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું ત્યારથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. અયોધ્યા અને તેની આસપાસની જમીનના ભાવ આસમાને પહોંચી ગયા છે. પ્રવાસીઓના સંભવિત આગમનને ધ્યાનમાં રાખીને કંપનીઓએ અત્યારથી જ તૈયારીઓ ઝડપી કરી દીધી છે. આનાથી ખાસ કરીને પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રને મોટું પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. આ પહેલા રિટેલ વેપારીઓના સંગઠન CATએ કહ્યું હતું કે રામ મંદિરના કારણે દેશભરના વેપારીઓને 1 લાખ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ મળ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય
ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય
Embed widget